કલ્યાણભાઈ બાબરભાઈ પટેલનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામમાં ૨૭ ડિસેમ્બર ૧૯૩૬ના દિને નિરક્ષર ખેડુત તથા આદિવાસી કુટુંબમાં થયો હતો.
આ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે. |
તેમના પિતાનું નામ બાબરભાઈ અને માતાનું નામ ગજરાબેન છે. કલ્યાણભાઈ તેમનાં બીજા ક્રમના સંતાન હતા.
કલ્યાણભાઈ બાબરભાઈ પટેલ | |
---|---|
આર્થિક રીતે અત્યંત કપરા સંજોગોમાં ફાઇનલ પાસ કરીને તેઓ પ્રાથમિક શિક્ષક બન્યા હતા. આ અભ્યાસ પૂર્ણ કરવા માટે તેઓએ ગોવાળીયા અને ટપાલી તરીકે કાર્ય પણ કરવું પડયું હતું.
તેઓને ૧૯૫૯ના વર્ષમાં વાંસદા તાલુકાના કુકડા ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી. આ દરમ્યાન તેમનાં લગ્ન તે સમયના મુંબઇ રાજ્યના નાસિક જિલ્લામાં આવેલા સુરગાણા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી નારણભાઈ લાછાભાઈનાં જ્યેષ્ઠ પુત્રી નંદુબહેન સાથે થયાં. થોડા જ સમયમાં ગુજરાત રાજ્યની રચના થતાં અને ડાંગ વિસ્તારનો એમાં સમાવેશ થતાં ગુજરાત સરકારને ડાંગ વિસ્તાર માટે શિક્ષકોની જરૂર પડી. આ માટે કલ્યાણભાઈ અને નંદુબહેને પહેલ કરી સરકારને ત્યાં જવા માટે ખુશીથી હા પાડી હતી. પરિણામે તેમની નિમણુંક સરકારી આશ્રમશાળા, બારીપાડા ખાતે થઇ હતી. આ સમયે તેમણે ખાદીનાં કપડાં આજીવન પહેરવાનું નક્કી કર્યું હતું, જે આજપર્યંત એમણે જાળવી રાખ્યું છે.
અહીં તેઓ સ્થાનીક લોકો સાથે ઓતપ્રોત થઇ પોતાનું કાર્ય કરતા. અહીં રહી તેમણે ડાંગ જિલ્લાની ડાંગી ભાષા તેમ જ મહારાષ્ટ્ર રાજ્યની સરહદની નજીકનો વિસ્તાર હોવાથી મરાઠી ભાષા પર પણ પૂરેપુરું પ્રભુત્વ મેળવી લીધું હતું. આ કારણે તેઓ સ્થાનીક લોકોની સાથે આત્મીયતા કેળવી શકતા હતા. આ ઉપરાંત તેમણે અન્ય આદિવાસી ભાષાઓ પૈકીની ગામિત તેમ જ ચૌધરી ભાષામાં પણ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું.
સને ૧૯૯૪ના વર્ષમાં ધરમપુર તાલુકાના કેળવણી નિરીક્ષકના પદ પરથી વયમર્યાદાને કારણે તેમની નિવૃતિ થઇ. નિવૃતિ બાદ સામાજિક, રાજકીય, સહકારી ક્ષેત્રે તેમનો ઉદય થયો. હાલમાં તેઓ વાંસદા તાલુકાના કુરેલિયા ગામે નંદુવાડી ખાતે રહી વિવિધ ક્ષેત્રે પોતાની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. ૭૨ વર્ષની વયે તેઓ કોઇપણ યુવાનને પડકારી શકે તેવી તંદુરસ્તી તથા વાકછટા ધરાવે છે.
તેમની આશ્રમશાળાના વિદ્યાર્થીઓનાં ઉત્તમ પરિણામો મેળવતા. તેમની શાળામાં દરેક વિદ્યાર્થી મોતીના દાણા જેવા અક્ષરો વડે લખી શકતા હતા. તેઓ શારિરીક શિક્ષણની ફરજિયાત તાલિમ અને શિસ્તના આગ્રહી હતા. શિક્ષક તરીકેની આવી સરસ કામગીરી, ફરજનિષ્ઠા, તેજસ્વિતા, સાદાઇ, પરિશ્રમ, પ્રામાણિકતા, સ્વચ્છતા, દક્ષતા, વહીવટી કુશળતા જેવા ઉમદા ગુણોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા કલ્યાણભાઈને સને ૧૯૭૬માં તે સમયના રાજ્યપાલ શ્રી કે.કે.વિશ્વનાથનના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
ભારત સ્કાઉટ અને ગાઇડના ગુજરાત રાજ્યના મદદનીશ કમિશનર અને નવસારી જિલ્લાના ચીફ કમિશનર છે.
વલસાડ જિલ્લા પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે લિમઝર બેઠક પરથી ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી. તેમાંથી વિજયી બની તેઓ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા. આ સમયમાં વલસાડ જિલ્લાનું વિભાજન થતાં તેઓ નવસારી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા હતા. હાલમાં તેઓ ગુજરાત રાજ્યના ભાજપ આદિવાસી મોરચાના સભ્ય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article કલ્યાણભાઈ બાબરભાઈ પટેલ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.