વળા રજવાડું અથવા વલ્લભીપુર રજવાડું ૧૯૪૮ સુધી બ્રિટિશ શાસન સમયનું ભારતનું એક રજવાડું હતું, જેનું કેન્દ્ર વલ્લભીપુર હતું.
રજવાડાંના છેલ્લા શાસકે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે કરાર પર સહી કરી હતી.
વળા રજવાડું વલ્લભીપુર વલ્લભીપુર | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું | |||||||
૧૭૪૦–૧૯૪૮ | |||||||
Flag | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૨૧ | 492 km2 (190 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૨૧ | 11386 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૪૦ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
|
વળા રજવાડાંની સ્થાપના ૧૭૪૦માં ઠાકોર સાહેબ અખેરાજજીએ ભાવનગર રજવાડાની નજીક તેમના જોડિયા ભાઇ વિસાજી માટે કરી હતી. તે સૌરાષ્ટ્રના ઘણાં નાનાં રાજ્યોમાંનું એક હતું. તેમાં ૪૦ ગામોનો સમાવેશ થતો હતો. ૧૯૦૩-૦૪માં તેની વસ્તી ૧૩,૨૮૫ અને ૧૯૨૧માં તેની વસ્તી ૧૧,૩૮૬ વ્યક્તિઓની હતી.
આ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સી હેઠળ આવતું હતું.
રાજ્યના શાસકો ગોહિલ રાજપૂત હતા, જેઓ ઠાકુર સાહેબ કહેવાતા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article વળા રજવાડું, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.