પાયથાગોરસ કે સામોસનો પાયથાગોરસ (ગ્રીક: Πυθαγόρας ὁ Σάμιος કે Πυθαγόρας, આયોનિયન ગ્રીક: Πυθαγόρης જન્મ.
૫૭૦ ઈ.પૂ. લગભગ - અવસાન. ૪૯૫ ઈ.પૂ. લગભગ.) પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને ગણિતજ્ઞ હતો. જે તેમની પાયથાગોરાનિઝમ તરીકે જાણીતી ધાર્મિક ચળવળ, તત્વચિંતન અને ગણિતમાં તેનાં કાર્ય માટે પ્રખ્યાત છે. જો કે પાયથાગોરસ વિશેની મોટાભાગની માહિતીઓ તેમનાં સમયગાળા પછી, સદીઓ પછી, લખવામાં આવી આથી તેમના વિશે આધારભુત ગણાય તેવી માહિતીઓ બહુ થોડી જ છે. તે સામોસ ટાપુ પર જનમ્યો હતો, અને યુવાકાળમાં ઘણી મુસાફરી કરેલી. તેમણે ઈજીપ્તની મુલાકાત પણ લીધેલી. ૫૩૦ ઈ.પૂ. તે દક્ષિણ ઈટાલીમાં સ્થિત ગ્રીક વસાહત ક્રોટોનમાં આવી વસ્યો. અને ત્યાં તેમણે એક નવો ધાર્મિક પંથ સ્થાપ્યો.
પાયથાગોરસ | |
---|---|
Бюст Піфагора Самоського в Капітолійському музеї, Рим | |
જન્મ | Πυθαγόρας 6 century BC |
મૃત્યુ | 490s BC Metapontum |
વ્યવસાય | ગણિતશાસ્ત્રી, લેખક |
કાર્યો | Platonic solid |
બાળકો | Mnesarchus |
ઈ.પૂ. ૬ઠી શતાબ્દિમાં પાયથાગોરસે તત્વચિંતન અને ધાર્મિક શિક્ષણમાં ઘણું યોગદાન આપેલું. તે એક મહાન ગણિતજ્ઞ અને વિજ્ઞાનિક તરીકે પણ પ્રખ્યાત થયો, જો કે તે વધુ જાણીતો તો તેના નામે ઓળખાતા પાયથાગોરસનું પ્રમેય (Pythagorean theorem)થી થયો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article પાયથાગોરસ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.