જુલિયન શ્વાઇન્ગર (૧૨ ફેબ્રુઆરી ૧૯૧૮ - ૧૬ જુલાઈ ૧૯૯૪) એક ભૌતિકશાસ્ત્રી હતા.
ભૌતિકશાસ્ત્રમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમડાઇનૅમિક્સ (ક્વૉન્ટમ વિજગતિશાસ્ત્ર)ના કાર્ય બદલ તેમને જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં ૧૯૬૫ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.
જુલિયન શ્વાઇન્ગર | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 16 July 1994 | (ઉંમર 76)
રાષ્ટ્રીયતા | યુનાઇટેડ સ્ટેટ્સ |
શિક્ષણ સંસ્થા | સિટી કૉલેજ ઑફ ન્યૂ યૉર્ક કોલંબિયા યુનિવર્સિટી |
પ્રખ્યાત કાર્ય | ક્વૉન્ટમ વિજગતિશાસ્ત્ર |
જીવનસાથી | ક્લૅરિશ કૅરોલ (લગ્ન. 1947) |
પુરસ્કારો | આલ્બર્ટ આઇન્સ્ટાઇન ઍવોર્ડ (૧૯૫૧) નૅશનલ મૅડલ ઑફ સાયન્સ (૧૯૬૪) ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૬૫) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | ભૌતિકશાસ્ત્ર |
કાર્ય સંસ્થાઓ | યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બરકલી Purdue University મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજિ હાર્વડ યુનિવર્સિટી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ |
ડોક્ટરલ સલાહકાર | ઈસિડોર આઇઝેક રબી |
જુલિયન શ્વાઇન્ગરનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ ન્યૂ યૉર્ક શહેર ખાતે એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમના પિતા બેન્જામીન શ્વાઇન્ગર કાપડના વહેપારી હતા. જુલિયન શ્વાઇન્ગરના માતાનું નામ બેલા હતું.
તેઓ પોતાની કિશોરવસ્થામાં પોતાના જેટલી ઉંમરના બાળકોની પ્રવૃત્તિમાં ખાસ રૂચિ ધરાવતા ન હતા. વાંચન તેમની શોખની પ્રવૃર્તિ હતી. તેમને પી.એ.એમ ડિરાકનું પુસ્તક ધી પ્રિન્સિપલ્સ્ ઑફ ક્વૉન્ટમ મિકેનિક્સ ૧૯૩૧માં, એટલે કે પુસ્તક પ્રગટ થયું એના બીજા જ વર્ષે, વાંચી નાખ્યું હતું. ત્યારે તેમની ઉંમર ૧૩ વર્ષની હતી.
શ્વાઇન્ગર અભ્યાસ માટે સૌપ્રથમ ટાઉનસેન્ડ હેરિસ હાઈસસ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યારબાદ સિટી કૉલેજ ઑફ ન્યૂ યૉર્કમાં જોડાયા હતાં.
શ્વાઇન્ગરે ૧૬ વર્ષની વયે તેમનો સૌપ્રથમ સંશોધન લેખ પ્રગટ કર્યો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રમાં સૈદ્ધાંતિક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને પ્રાયોગિક પાસાઓ પ્રત્યે ઓછુ લક્ષ આપતા હતા.
૧૯૫૭માં તેમણે બે પ્રકારનાં ન્યૂટ્રિનોના અસ્તિત્વનું પુર્વાનુમાન કર્યું હતું. આવાં બે ન્યૂટ્રિનો ઈલેક્ટ્રૉન અને મ્યૂઑન સાથે સંકળાયેલા હોય છે. આ પ્રકારના બે ન્યૂટ્રિનો (
ν
e) અને મ્યૂઑન ન્યૂટ્રિનો (
ν
μ)ની ત્યારબાદ પ્રાયોગિક રીતે શોધ થઈ હતી. જીવનના પાછલા વર્ષોમાં તેમણે ખાસ કરીને કણોના ઘટનાવિજ્ઞાન સંબંધી (phenomenological) સિદ્ધાંતનું વ્યાવહારિક મહત્ત્વ સમજાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ બાબતે તેમણે, ફોટૉન અને ગ્રેવિટૉન જેવા પ્રબળ આંતરક્રિયામાં ભાગ લેતા કણોને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવો સિદ્ધાંત વિકસાવ્યો હતો. તેમના બધાં જ વૈજ્ઞાનિક સંશોધનોનું તેમના પુસ્તક પર્ટિકલ્સ સૉર્સિસ ઍન્ડ ફિલ્ડ્ઝ નામના ગ્રંથના બે ખંડોમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article જુલિયન શ્વાઇન્ગર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.