ચુડાસમા અથવા ચૂડાસમા એ રાજપૂતોની એક પેટાજ્ઞાતિ છે.
જેમની પ્રાચીન રાજધાની વંથલી અને ત્યારબાદ નવમી સદીમાં જૂનાગઢ હતી. ૧૦મી અને ૧૧મી સદીમાં ચુડાસમાઓનું સ્થિર સામ્રાજ્ય સમગ્ર દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું.
ચુડાસમા વંશ | ||||||||||
| ||||||||||
રાજધાની | વંથલી (હાલમાં જુનાગઢ) | |||||||||
ધર્મ | હિંદુ | |||||||||
સત્તા | રાજાશાહી | |||||||||
પ્રમુખ | ||||||||||
• | c. ૮૭૫ - c. ૯૦૭ | ચંદ્રચુડ | ||||||||
• | c. ૯૪૦ - c. ૯૮૨ | રા' ગ્રહરિપુ | ||||||||
• | c. ૯૮૨ - c. ૧૦૦૩ | રા' કંવાટ | ||||||||
• | c. ૧૦૨૫ - c. ૧૦૪૪ | રા' નવઘણ | ||||||||
• | c. ૧૦૪૪ - c. ૧૦૬૭ | રા' ખેંગાર | ||||||||
• | c. ૧૪૫૧ - c. ૧૪૭૨ | રા' માંડલિક તૃતીય | ||||||||
ઇતિહાસ | ||||||||||
• | સ્થાપના | ૮૭૫ | ||||||||
• | અંત | ૧૪૭૨ | ||||||||
|
જુનાગઢ રાજ્યના દિવાન અથવા વડા પ્રધાન રણછોડજી અમરજી એ 1825 માં પર્સિયનમાં તારિખ-એ-સોરથ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં દિવાન રણછોડજી એ લખ્યું હતું કે ચુડાસમા રાજપૂત છે અને તેઓ ભગવાન સદાશિવના વંશજ છે તથા તેઓ સિંધથી આવ્યા છે. ઘણા શિલાલેખો તથા ઐતિહાસિક લખાણો ચુડાસમા જેમકે "માંડલિક નૃપ ચરિત" ઉપરાંત ગિરનાર ના નેમિનાથ મંદિર નો ઇસ.૧૪૫૪ ના સમયનો શિલાલેખ પરથી જાણવામાં આવે છે કે ચુડાસમા રાજપૂત કુળના છે
તેઓ કાઠિયાવાડમાં ચાવડા પછી ઘણું કરીને સાતમાં કે આઠમા સૈકાની લગભગ સિંધથી ઊતરી આવ્યા મનાય છે. ચૂડચંદ્ર નામના મુખી સાથે તેઓ આવેલા તે ઉપરથી ચુડાસમા કહેવાયા એમ મનાય છે. તેઓની પહેલી રાજધાની વંથલી કે વનસ્થળી કે વામનસ્થલી હતી. ત્યારપછી જુનાગઢ થઇ. તેમની સત્તા ૧૪૭૧માં નાશ પામી. કાઠીયાવાડમાં "ચુડાસમા" રાજની શરૂઆત ઈ.સ. ૮૭૫માં વનસ્થલી કે વામનસ્થલી (આજનુ વંથલી) ના વલ્લભી(વળા) રાજની પડતીથી થઈ. વાલારામ ચાવડાને કોઈ વારસદાર નહોતો, તેથી તેના "સમા" વંશના ભાણેજ "ચુડા" ને ખોળે બેસાડ્યો. જે પરથી "ચુડા-સમા" નામ ધારણ કર્યું અને વંથલીની આજુબાજુ લગભગ ૬૦૦ વર્ષ રાજ કર્યું.
સરવૈયા, રાયજાદા, રણા અને બીજા કેટલાક એ જાતની શાખા હોવાનું કહેવાય છે.
રાજા ચંદ્રચુડે ચુડા અને પિતાનું નામ સમા જોડીને ચુડાસમા શાખા ચાલુ કરી હોય હોય તેવું અનુમાન છે. ચંદ્રચૂડ (૮૭૫-૯૦૭) નાં મૂળરાજ, મૂળરાજ (૯૦૭-૯૧૫) ના પુત્ર વિશ્વવરાહ હતા. ચુડાસમા રાજવંશ ઈતિહાસમાં મહારાજા વિશ્વવરાહ (૯૧૫-૯૪૦) એક મહાન રાજા હતા, તેમનાં નામ પાછળ આવતા શબ્દ વરાહ અને પછીના જુનાગઢ બધા રાજવીઓ એ રાહ શબ્દ લગાડવાની શરૂઆત કરી. આમ જૂનાગઢ ના રાજાઓ એ રા શીર્ષક ધારણ કર્યું. વિશ્વવરાહ પછી રા' ગ્રહરિપુ (૯૪૦-૯૮૨) ગાદીએ આવ્યો. ત્યાર બાદ રા' કંવાટ (૯૮૨-૧૦૦૩), રા' દિયાસ (૧૦૦૩-૧૦૧૦), સોલંકી શાસન (૧૦૧૦-૧૦૨૫), રા' નવઘણ પ્રથમ (ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪), રા' ખેંગાર પ્રથમ (૧૦૪૪-૧૦૬૭), રા' નવઘણ દ્વિતીય (૧૦૬૭-૧૦૯૮), રા' ખેંગાર દ્વિતીય (૧૦૯૮-૧૧૧૪), સોલંકી શાસન (ઈ.સ. ૧૧૧૪-૧૧૨૫), રા' નવઘણ તૃતીય (૧૧૨૫-૧૧૪૦) , રા' કંવાટ દ્વિતીય (૧૧૪૦-૧૧૫૨), રા' જયસિંહ (૧૧૫૨-૧૧૮૦), રા' રાયસિંહ (૧૧૮૦-૧૧૮૪), રા' મહિપાલ ( ૧૧૮૪-૧૨૦૧), રા' જયમલ્લ (૧૨૦૧-૧૨૩૦), રા' જયસિંહ (૧૨૩૦-૧૨૫૩), રા' ખેંગાર તૃતીય (૧૨૫૩-૧૨૬૦), રા' માંડલીક (૧૨૬૦-૧૩૦૬), રા' નવઘણ ચતુર્થ (૧૩૦૬-૧૩૦૮), રા' મહિપાલ તૃતીય (૧૩૦૮-૧૩૨૫), રા' ખેંગાર ચતુર્થ (૧૩૨૫-૧૩૫૧), રા' જયસિંહ દ્વિતીય (૧૩૫૧-૧૩૭૩), રા' મહિપાલ ચતુર્થ (૧૩૭૩), રા' મુક્તસિંહજી/ રા'મોકળસિંહજી (૧૩૭૩-૧૩૯૭), રા' માંડલીક દ્વિતીય (૧૩૯૭-૧૪૦૦), રા' મેલિંગદેવ (૧૪૦૦-૧૪૧૫), રા' જયસિંહજી તૃતીય (૧૪૧૫-૧૪૪૦), રા' મહિપાલ પંચમ (૧૪૪૦-૧૪૫૧) ગાદીએ આવ્યા. રા' માંડલિક તૃતીય (૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો. રા' માંડલીક તૃતીયના પરાજય બાદ તેમના પુત્ર ભુપતસિંહજીને મહમદ બેગડા એ જુનાગઢના સામંત તરીકે ગાદીએ સ્થાપ્યા, ત્યારથી તેમના વંશજો "રાયજાદા" કહેવાયા.
રા' ગ્રહરિપુ (ઈ.સ. ૯૪૦-૯૮૨) વિશ્વરાહનો અનુગામી ચુડાસમા રાજા હતો.
રા' કંવાટ (ઈ.સ. ૯૮૨-૧૦૦૩) રા' ગ્રહરિપુનો પુત્ર હતો.
રા' દિયાસ (ઈ.સ. ૧૦૦૩-૧૦૧૦) રા' કંવાટનો પુત્ર હતો. તે વંથલીની ગાદી પર ઇ.સ. ૧૦૦૩માં આવ્યો હતો.
રા' નવઘણ પ્રથમ (ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪) રા' દિયાસનો પુત્ર હતો.
રા' નવઘણ દ્વિતીય (ઈ.સ. ૧૦૬૭-૧૦૯૪) ચુડાસમા રાજા હતો. એ પોતાના ચાર પુત્રો પૈકી રાયધણજીને ભડલી (તા. બોટાદ)ની જાગીર આપી રાયધણજીએ પોતાની ચુડાસમા શાખા ચાલુ રાખી. બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો. તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી (અથવા સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાનો પુત્ર રા' ખેંગાર જુનાગઢની ગાદીએ બેઠો, તેથી તેમના વંશજો રા'જાદા કે રાયજાદા (રા' ના પુત્ર) તરીકે ઓળખાય છે. ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જુનાગઢના કરમજી (કર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકાના મેર સાથે સંઘર્ષ થતા રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી.
રા' ખેંગાર દ્વિતિય (ઈ.સ. ૧૦૯૮-૧૧૨૫) રા' નવઘણનો પુત્ર હતો.
રા'માંડલિક તૃતીય (ઈ.સ. ૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો. તેને ઇસ ૧૪૭૧ બાદ બળજબરીથી હિંદુ ધર્મ તજીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો[સંદર્ભ આપો] અને અમદાવાદનો બાદશાહ મહમદ બેગડો તેને સાથે લઈ ગયો. ઇસ્લામ ન સ્વીકારવા બદલ ક્રૂર ત્રાસ અપાયો ને ત્યાં એ મરણ પામ્યો. અમદાવાદમાં કંદોઈપોળમાં છે તેની કબર છે એમ કહેવાય છે. જોકે તે શંકાસ્પદ છે કારણ કે રા' માંડલીકનો પાળિયો બગસરા ગામ પાસે સાતલ્લી નદી પાસે મોજુદ છે માટે રા' માંડલીકે ઇસ્લામ સ્વીકાર્યો તે પણ શંકાસ્પદ છે. પરાક્રમી રાજા રા' માંડલિક ઉપર જૂનાગઢમાં માંડલિક મહાકાવ્યની રચના કવિ ગંગાધર દ્વારા ઈ.સ.૧૪૫૦ અથવા એ પહેલા કરવામાં આવી હતી. માંડલિક મહાકાવ્ય મુજબ રા' માંડલિક શાસ્ત્ર તેમજ શસ્ત્રમાં કુશળ હતા. તે દાન આપવામાં કર્ણભોજ તેમજ વિક્રમ કરતા પણ શ્રેષ્ઠ હતો. [સંદર્ભ આપો]
This article uses material from the Wikipedia ગુજરાતી article ચુડાસમા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.