અરુણોદય નટવરલાલ જાની (૨૦ નવેમ્બર ૧૯૨૧ - ૧૬ મે ૨૦૦૩), જેઓ એ.
એન. જાની તરીકે જાણીતા હતા, ગુજરાતી અને સંસ્કૃત વિદ્વાન ભારતીય ઈતિહાસકાર હતા.
એ. એન. જાની | |
---|---|
જન્મ | અરુણોદય નટવરલાલ જાની 20 November 1921 બરોડા, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 16 May 2003 | (ઉંમર 81)
વ્યવસાય | વિદ્વાન અને ભારતીય ઇતિહાસકાર |
ભાષા | ગુજરાતી, અંગ્રેજી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
નોંધપાત્ર સર્જનો | અ ક્રિટિકલ સ્ટડી ઓફ શ્રીહર્ષ નૈષધીયચરિતમ (૧૯૫૭) |
નોંધપાત્ર પુરસ્કારો | મહામહોપ્ધાયાય (૧૯૮૨) |
તેમનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૧ના રોજ બરોડામાં થયો હતો. તેમણે ૧૯૪૬માં એમ.એ. પૂર્ણ કર્યું અને ૧૯૫૪માં બોમ્બે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. મેળવી. તેમણે નૈષધીયચરિત પર પોતાનો મહાનિબંધ લખ્યો હતો, જે ૧૨મી સદીના સંસ્કૃત કવિ શ્રીહર્ષ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. ૧૯૬૨માં, તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી જર્મનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો, અને તે જ યુનિવર્સિટીમાંથી ૧૯૬૪માં ફ્રેન્ચમાં પ્રમાણપત્ર મેળવ્યું. તેમણે ૧૯૬૭–૧૯૮૦ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પાછળથી સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ ૧૯૭૫–૧૯૮૧ દરમિયાન ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા.
તેમણે તેમના પ્રોફેસર જી. એચ. ભટ્ટ પાસેથી ભારતીય દર્શનની વિવિધ શાખાઓમાં રસ કેળવ્યો. તેમના નોંધપાત્ર વિદ્યાર્થીઓમાં એસ. એન. પેન્ડસેનો સમાવેશ થાય છે, જેમણે એ. એન. જાનીના માર્ગદર્શનમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો.
૧૬ મે ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું. તેમના પુત્ર જયદેવ જાની કવિ હતા, જેમને રસરાજા તરીકે ઓળખવામાં આવે છે.
એ. એન. જાનીના પ્રકાશનોની પસંદિત સૂચિ:
૧૯૮૨માં તેમને ભારત સરકાર દ્વારા મહામહોપધ્યાયના બિરુદથી નવાજવામાં આવ્યા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article એ. એન. જાની, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.