રાણી ઉદયમતી ૧૧મી સદીના એક ભારતીય રાણી અને સોલંકી વંશના ભીમદેવ સોલંકી પહેલાનાં પત્ની હતાં.
તેમણે પોતાના પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બનાવી હતી, જે એક વિશ્વ વિરાસત સ્થળ છે.
ઉદયમતી | |
---|---|
મહારાજ્ઞી શ્રી ઉદયમતી | |
રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકી વાવ | |
જન્મ | ઉદયમતી જૂનાગઢ |
જીવનસાથી | ભીમદેવ સોલંકી પહેલો |
વંશજ | કર્ણદેવ સોલંકી |
વંશ | સોલંકી વંશ |
પિતા | રા' ખેંગાર |
ધર્મ | હિંદુ ધર્મ |
ઉદયમતીનો જન્મ જૂનાગઢના રાજા રા' ખેંગારના ત્યાં થયો હતો; ગુજરાતી લેખક ધૂમકેતુ ઉદયમતી માટે ખેંગારસુતયા શબ્દનો પ્રયોગ કરે છે. ત્યારબાદ તેમના લગ્ન પાટણના રાજા ભીમદેવ સોલંકી પહેલા સાથે થયા હતા. ભીમદેવ સાથે તેમણે સંતાનમાં મૂળરાજ, ક્ષેમરાજ, અને કર્ણદેવ સોલંકીને જન્મ આપ્યો, જે પૈકી કર્ણદેવ પાછળથી પાટણના રાજા બન્યા.
૧૩૦૪માં જૈન વિદ્વાન મેરુતુંગસૂરિ લખેલ પ્રબંધચિંતામણીમાં ઉલ્લેખ છે કે સોલંકી વંશની રાણી ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કર્યું હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ્ ઇંડિયાએ જ્યારે ૧૯૫૮માં રાણકી વાવને બહાર લાવવા માટે ખોદકામ કર્યું ત્યારે એક આરસની પ્રતિમા મળી આવી જેમાં "મહારાજ્ઞી શ્રી ઉદયમતી" લખેલું હતું જે મેરુતુંગસૂરિના દાવાની પુષ્ટિ કરે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ઉદયમતી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.