આઈએનએસ કુરસુરા (એસ ૨૦) એ ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી.
આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ સબમરીનને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીને વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લઈ દરિયાઈ સંત્રી તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.
હાલમાં આ સબમરીનને એક સંગ્રહાલય તરીકે આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ શહેર ખાતે રામકૃષ્ણ મીશન બીચ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ એશિયા ખંડનું સૌ પ્રથમ સબમરીન સંગ્રહાલય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article આઈ.એન.એસ. કુરસુરા (એસ ૨૦), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.