અગિયાર મહાવ્રત, કે જેને ગાંધીજીનાં અગિયાર મહાવ્રત પણ કહેવાય છે, એ મહાત્મા ગાંધી વડે તેમના આશ્રમમાં રહેવા માગતા લોકો જોડે લેવડાવવામાં આવેલાં અગિયાર મહાવ્રત અથવા પ્રતિજ્ઞા દર્શાવે છે.
તેનું શબ્દશ: વર્ણન આ મુજબ છે:
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા;
એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.
સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વત્ર ભયવર્જન, સ્વદેશી, સ્વાદત્યાગ, સર્વ ધર્મ સમભાવ - એમ અગિયાર મહાવ્રતો ગાંધીજી વડે અપાયાં છે. આ મહાવ્રતો વિશેની માહિતી મણિભવન ગાંધી સંગ્રહાલયમાં વિગતે જોવા મળે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article અગિયાર મહાવ્રત, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.