રાજા આર્થર

રાજા આર્થર એક મહાન બ્રિટિશ નેતા છે, જેમણે મધ્યકાલિન ઇતિહાસ અને રોમાંસિસ કથાના અનુસાર; છઠ્ઠી શતાબ્દીના પ્રારંભમાં સેક્ષોન આક્રમણકારોના વિરુદ્ધ બ્રિટનની સેનાનું નેતૃત્વ કર્યું હતું.

આર્થરની ર્વાતાની વિગતો મુખ્યત્વે લોક-કથાઓ અને સાહિત્યક આવિષ્યકારથી રચાયેલી છે, અને તેમના ઐતિહાસિક અસ્તિત્વને લઈને આધુનિક ઇતિહાસકારો વચ્ચે વિવાદો અને મતભેદઓ થતા આવ્યા છે. આર્થરની અપર્યાપ્ત ઐતિહાસિક ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા માટેની માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી, જેમાં અનાલેસ કેમ્બ્રિ , ધ હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ અને ગિલડાસના લેખોનો સમાવેશ થાય છે. આર્થરનું નામ શરૂઆતના કાવ્ય સ્ત્રોતોમાં પણ છે જેમ કે વાઈ ગોડોડીન .

રાજા આર્થર
કિંગ આર્થરની મૂર્તિ, હોફકીર્ક, ઈન્સબ્રુક, અલ્બ્રેકટ દૂરર દ્વારા ચિત્રિત અને પિટર વિસ્ચેર ધ એલ્ડર દ્વારા નિમણૂ૱ક થયેલ, 1520ની

મહાન આર્થરની આંતરરાષ્ટ્રીય રૂપથી દિલચસ્પ વ્યકિત તરીકેની છબી, મોટા ભાગે મોનમાઉથની જીઓફ્રીની ઉમંગી અને કાલ્પનિક 12મી સદીની હિસ્ટોરીયા રીગમ બ્રિટાનિયા (બ્રિટનના રાજાઓના ઇતિહાસ ) ની પ્રસિદ્ધીના કારણે વિકાસ પામી હતી. જો કે, આનાથી પહેલાના સમયની કેટલીક વેલ્શ અને બ્રેટનની વાર્તાઓ અને કવિતાઓ આર્થરની વાર્તા સાથે સંબંધિત છે; આ લેખોમાં આર્થર કયાં તો માનવીઓ અને અલૌકિક દુશમનોની સામે બ્રિટનની રક્ષા કરવાવાળો એક મહાન યોદ્ધા તરીકે પ્રસ્તુત થયો હતો, અથવા તો પછી લોકકથાઓના જાદુઈ ચિત્ર તરીકે પ્રસ્તુત થયો હતો; કેટલીક વાર વેલ્શ અધરર્વલ્ડ અનવનની સાથે સંકળાયેલ દેખાયો હતો. જેફ્રી હિસ્ટોરીયા ના કેટલા અંશ (1138 માં પૂરાં થયેલ) પહેલાના સ્ત્રોતોમાંથી ગ્રહણ કરાયેલા કે પછી જીઓફ્રીએ પોતે પોતાની રીતે આવિષ્યકાર કરેલા, તે હજી અજ્ઞાત છે.

આર્થરિયન પૌરાણિક કથા વિષયો, ઘટનાઓ અને પાત્રોની દૃષ્ટિએ ભલેને એક પાઠથી બીજા પાઠમાં વ્યાપક રીતે વિવિધતા છે અને તેમનું કોઈ એક પ્રમાણિક સંસ્કરણ પણ નથી, જીઓફ્રીની ઘટનાઓના વર્ણનમાં મોટાભાગે પછીની વાર્તાઓએ આરંભિક બિન્દુ તરીકે કામ કર્યું છે. જીઓફ્રીએ વર્ણન કર્યું છે કે આર્થર એક બ્રિટનના રાજા હતા અને બ્રિટેન, આયરલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને ગૌલમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. હકિકતમાં, જીઓફ્રીની હિસ્ટોરીયા માં ઘણા એવા તત્વો અને ઘટનાઓ પ્રસ્તુત થઈ છે કે જે હાલમાં આર્થરિયનની કથાના અભિન્ન અંગ બની ગયા છે, જેમાં આર્થરના પિતા ઉથેર પેંડ્રેગન, જાદુગર મર્લીન, તલવાર એક્સકેલિબર, આર્થરનો ટીન્ટાજેલમાં જન્મ, કામલેન્નમાં મોડ્રેડના વિરુદ્ધનું તેનું અંતિમ યુદ્ધ અને એવલોનમાં અંતિમ દિવસનો સમાવેશ થાય છે. 12મી સદીના ફ્રેન્ચ લેખક ક્રેટિયન દે ટ્રોયસ, જેમણે કથામાં લાન્સલોટ અને હોલી ગ્રેઇલનો ઉમેરો કર્યો, જે પછી આર્થરિયન રોમાંચક કથાની શૌલીનો પ્રારંભ થયો જે મધ્યકાલિનયુગના સાહિત્યનો મહત્વનો વિષય બન્યો. આ ફ્રેન્ચ કથાઓનું, ઘણી વખત ધ્યાન કિંગ આર્થરથી ખસીને બીજા પાત્રો જેમ કે નાઇટ્સ ઓફ ધ રાઉન્ડ ટેબલ કેન્દ્રીત થઈ જાય છે. આર્થરિયન સાહિત્ય, મધ્યકાલિન યુગમાં ખૂબ સમૃદ્ધ થયો પરંતુ પછી કેટલીએ સદીઓ સુધી તેની પડતી થઇ જ્યાં સુધી 19મી સદીમાં એક મહત્વનું પુનરુત્થાન અનુભવ્યું. 21મી સદીમાં, આ કથાઓને જીવન મળ્યું, અને ફકત વાર્તાઓમાં નહીં પરંતુ થિયેટર, ફિલ્મ, ટીવી, કોમીકસ અને બીજા ઘણા મીડિયાએ તેને ગ્રહણ કર્યું.

વિવાદિત ઐતિહાસિકતા

રાજા આર્થર 
નવ યોગ્ય વ્યકિતઓ પૈકી એક આર્થર, ટેપેસ્ટ્રી, સી. 1385

કિંગ આર્થરની દંતકથાઓની ઐતિહાસિકતા આધારને લઈને કેટલાય લાંબા સમયથી વિદ્વાનો દ્વારા દલીલો થતી રહી છે. એક મત માનવાવાળા, હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ (બ્રિટોનનો ઇતિહાસ ) અને અનાલેસ કેમ્બ્રિ (વેલ્સ એનલ્સ ) ની પ્રસ્તુતિને પ્રમાણિત કરતા, આર્થરને એક વાસ્તવિક ઐતિહાસિક વ્યકિત, એક રોમન-બ્રિટિશ નેતા માને છે, જેણે 5મી સદીના અંતથી 6ઠ્ઠી સદીના આરંભમાં આક્રમણકારો એંગ્લો-સેક્ષોન સામે યુદ્ધ કર્યું હતું. ધ હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ , જે એક 9મી સદીની લેટીન ઐતિહાસિક હસ્તલિપિઓ છે; જેમાં નેન્નિઅસ નામના વેલ્શ પાદરીના લેખોનો સંબંધ બતાવ્યો છે, જેમાં બાર લડાઈઓની સુચિ છે જે કિંગ આર્થરે લડી હતી. આ મોન્સ બેડોનિક્સનું યુદ્ધ અથવા તો માઉન્ટ બેડનની સાથે તેની પરાકાષ્ઠાએ પહોંચી જેમાં તેના માટે એવું કહેવામાં આવ્યું છે કે તેમણે એકલા હાથે જ આ યુદ્ધમાં 960 લોકોને મારી નાખ્યા હતા. જો કે હાલનો અભ્યાસ, આ અવધિના ઇતિહાસ માટેના સ્ત્રોત તરીકે હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ ને વિશ્વાસનીય ગણવા કે નહીં તે માટે સવાલ ઊભા થઈ રહ્યા છે.

બીજા પાઠો કે જે આર્થરના ઐતિહાસિક અસ્તિત્વના કેસમાં સહકાર આપતા દેખાય છે તે 10મી સદીના અનાલેસ કેમ્બ્રિ છે, જે પણ આર્થરનું માઉન્ટ બેડનના યુદ્ધ સાથેનું જોડાણ દર્શાવે છે. અનાલેસ એ આ યુદ્ધની તારીખ 516-518 બતાવી છે, અને કેમલેનના યુદ્ધનું વર્ણન કર્યું છે જેમાં આર્થર અને મેડ્રોટ (મોર્ડ્રેડ) બંનેનું મૃત્યુ થયું હતું, જેની તારીખ 537-539 બતાવી છે. આ વિગતોનું અવારનવાર હિસ્ટોરીયા ની વિગતોમાં વિશ્વાસ વધારવા માટે ઉપયોગ થયો છે અને સમર્થન કરવા માટે કે આર્થરે ખરેખર માઉન્ટ બેડનની લડાઈ લડી હતી. જો કે, આ સ્ત્રોતને હિસ્ટોરીયા બ્રિટ્ટોનમના વૃતાંત ને સમર્થન આપવા માટે ઉપયોગ કરવાની પ્રક્રિયામાં ઘણી મૂશ્કેલીઓ નજરે પડી હતી. નવીન શોધ દર્શાવે છે કે અનાલેસ કેમ્બ્રિ એ વેલ્સમાં 8મી સદીમાં પાછળથી શરૂ થયેલો ઈતિવૃત આધારિત છે. વધારામાં, અનાલેસ કેમ્બ્રિના જટિલ મૂળપાઠો એ નિશ્ચિતતાને નામુંમકિન કરે છે કે આર્થરિયન ઇતિહાસ તેની સાથે તે પહેલાંથી જોડાયા રહેલા છે. તેઓ વધારે તો સંભવ છે કે 10મી સદીમાં અમુક બિન્દુઓ સાથે જોડાયા અને કયારેય અનાલેસના કોઈપણ પૂર્વ સેટમાં અસ્તિત્વમાં નથી. માઉન્ટ બેડનનો પ્રવેશ કદાચ હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ પાસેથી મેળવેલ હતો 1}.

પ્રારંભિક પૂરાવાઓની વિશ્વસનીયતાના અભાવે હાલમાં ઘણા ઇતિહાસકારોએ આર્થરના પશ્ચાત રોમન-બ્રિટનને તેમના ઇતિહાસના લેખોમાંથી નિકાળી દીધા. ઇતિહાસકાર થોમસ ચાર્લ્સ એડવર્ડસની દૃષ્ટિએ “ સર્વેક્ષણના આ સ્તર પર કોઈ એટલું જ કહી શકે કે એક ઐતિહાસિક આર્થર હતો, પરંતુ ઇતિહાસકારો તેના આદર્શ વિશે કઈ કહીં ના શકે ”. અજ્ઞાનના આ આધુનિક પ્રવેશ એ અપેક્ષાકૃત હાલનું પ્રચલન છે; ઇતિહાસકારોની પહેલી પેઢીઓ ઓછી શંકાશીલ પ્રકારની હતી. ઇતિહાસકાર જોન મોરિસે મશહુર કલ્પિત આર્થરનું શાસન ધ એજ ઓફ આર્થર (1973), પેટા રોમન બ્રિટેન અને આયર્લેન્ડ્ના તેના સિદ્ધાંતોનું આયોજન કરીને બનાવ્યું. પરંતુ ઐતિહાસિક આર્થર વિશે કહેવા માટે તેમને બહુ ઓછા શબ્દ મળ્યા.

રાજા આર્થર 
ની હસ્તલીપીમાં ઉતારેલ, 10 મી સદીનું અનાલેસ કેમ્બ્રિ સી1100

આ મતના આંશિક પ્રતિક્રિયારૂપે, બીજા વિચાર સમુહ ઊભરી આવ્યા જેમની દલીલ હતી કે આર્થરનું કોઈ ઐતિહાસિક અસ્તિત્વ જ નથી. મોરિસના એજ ઓફ આર્થર એ પુરાત્વવિદ નોવેલ માયરેસને નિરીક્ષણ કરવા માટે પ્રેરયા એ જાણવા કે “ ઇતિહાસ અને પુરાણોની સીમારેખામાં કોઈ આવી વ્યકિત નથી જેમણે ઇતિહાસકારોનો આટલો બધો સમય બરબાદ કર્યો હોય ”. ગિલદાસની 6 ઠ્ઠી સદીની વિવાદાસ્પદ ડી અકિસડિયો એટ કોનક્વેસ્તુ બ્રિટાનિએ (ઓન ધ રુઇન એન્ડ કોનક્વેસ્ટ ઓફ બ્રિટેન ), જે માઉન્ટ બેડનની સ્મૃતિઓને જીવંત રાખવા લખેલ હતો તેમાં યુદ્ધનો ઉલ્લેખ છે પણ આર્થરનો ઉલ્લેખ નથી. આર્થરનો ઉલ્લેખ એંગ્લો-સક્ષોન ક્રોનિકલ માં પણ નથી થયો કે પછી 400 કે 820 ની વચ્ચે લખાયેલ કોઈ પણ જીવતં હસ્તલિપિમાં તેનું નામ નથી. ઉત્તર રોમન ઇતિહાસના મુખ્ય પહેલાંના સ્ત્રોત, પ્રારંભિક 8 મી સદીના બેડેના એસ્લેસિસ્ટીકલ હિસ્ટ્રી ઓફ ધ ઈંગ્લિશ પીપલ , જેમાં માઉન્ટ બેડનનો ઉલ્લેખ થયો છે પરંતુ આર્થરના નામનો ઉલ્લેખ નથી થયો. ઇતિહાસકાર ડેવિડ ડમવિલેએ લખ્યું છે : 'મને લાગે છે અમે જલ્દી જ આ ગૂંચવણનું નિવારણ લાવી શકીશું. તેનું આપણા ઇતિહાસની પુસ્તકોમાં પોતાનું એક સ્થાન છે અને “ આગ વગર ધૂમાડો ના થાય ” આ મતનો પણ એક સમૂહ છે... આ વિષયનું તથ્ય એ છે આર્થરના કોઈ ઐતિહાસિક પુરાવા નથી; આપણે તેમને આપણા ઇતિહાસમાંથી અને આ બધાથી વિશેષ આપણા પુસ્તકોના નામમાંથી કાઢી નાખવા જોઇએ. '

થોડા વિદ્વાનોની દલીલ છે કે આર્થર મૂળ રૂપથી લોકકથાઓનો કાલ્પનિક નાયક હતો - અથવા તો એક અર્ધ વિસ્મૃત સેલ્ટિક દેવતા હતો - જેમણે અતિતમાં બધા સારા કાર્યો માટે શ્રેય આપવામાં આવતો હતો. તેમની આકૃતિની તુલના કેંટના ટોટેમિક ઘોડાંવાળા દેવતા હેંગેસ્ટ અથવા હોર્સા સાથે કરવામાં આવતી હતી, જે પછી ઇતિહાસ સાથે જોડાઈ ગયા. બેડે આ મહાન વ્યકિતઓને 5મી સદીના પૂર્વી બ્રિટનના એંગ્લો-સેક્ષોન વિજયનો શ્રેય આપ્યો છે. એ પણ ચોક્કસ નથી કે પહેલાનાં ગ્રંથોમાં આર્થરને રાજા માનવામાં આવતા હતા. ના તો હિસ્ટોરીયા કે ના તો અનાલેસ તેમને “ રેક્ષ ” એટલે કે શાસક કહ્યા છે : પૂર્વવર્તિઓએ તેમને આની જગ્યાએ “ ડક્ષ બેલોરમ ” (યુદ્ધના નેતા) અને “ માઈલ્સ ” (સૈનિક) કહ્યા છે.

ઉત્તર રોમન અવધિના ઐતિહાસિક દસ્તાવેજ ઘણા ઓછા હોવાથી, આર્થરના ઐતિહાસિક અસ્તિત્વના પ્રશ્નના એક નિશ્ચિત જવાબની સભાવના ઓછી છે. 12મી સદીથી જ ઘટનાસ્થાનોને અને જગ્યાઓને આર્થરિયન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પુરાતત્વ નિશ્ચિત વિષયોમાં મળેલ લેખો દ્વારા ફકત નામોને જ મક્કમપણે પ્રકાશિત કરી શકે છે. કહેવાતા 'આર્થર સ્ટોન', 1998માં કોર્નવોલમાં ટીન્ટાજેલ કિલ્લામાં ખંડરમાં મળ્યો જેમાં 6 ઠ્ઠી સદીના સંદર્ભોને સુરક્ષિત જોવામાં આવ્યા, જેણે એક સંક્ષિપ્ત હલચલ ઊભી કરી પરંતુ સુસંગત સાબિત ના થયો. ગ્લાસ્ટોબરી ક્રોસ સહિત, આર્થરની સાક્ષીના બીજા લેખોને બનાવટી સુચિત કરવામાં આવ્યા. જો કે ઘણાં ઐતિહાસિક આંકડાઓને આર્થર માટેના આધારરૂપ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, કોઈ વિશ્વાસનીય પુરાવા આ અભિજ્ઞાન માટે પ્રકટ નથી થયા.

નામ

વેલ્શ નામ આર્થર નું મૂળ સ્વરૂપ એ એક ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાકે એવું સુચવ્યું કે તે એક લેટિન પરિવારનું નામ આર્થોરિયસ પરથી મૂળ બન્યું છે જે એક અજ્ઞાન અને વિવાદાસ્પદ વ્યુત્પતિ વિજ્ઞાન છે (પરંતુ સંભવત છે કે મેસાપિક અથવા તો એટ્રુસ્કેનનું મૂળ હોય શકે). બીજા ધારે છે કે આની મૂળ પ્રાપ્તિ વેલ્શના આર્થ (પહેલાં આર્ટ ) હશે જેનો અર્થ ‘ બેર ’ થાય છે અને એવું અનુમાન થયું કે આર્ટ-અર (પહેલાં * આર્ટો-યુરિઓસ ) એટલે કે “ બેર-મેન ” એ તેનું મૂળ રૂપ છે, જો કે આ મત સાથે ઘણી મુશ્કેલીઓ જોડાયેલી છે - ખાસ કરીને બ્રિટ્ટોનિકનું સંયોજન નામ * આર્ટો-યુરિઓસ ના જૂના વેલ્શ પ્રમાણે * આર્ટગર અને મધ્ય/આધુનિક વેલ્શ * આર્થવર થાય કે આર્થર નહીં (વેલ્શની કવિતામાં આર્થર નામને હંમેશા શબ્દના અંતે -ur - સાથે પ્રાસ કરાય છે, શબ્દના અંતે -wr - સાથે ક્યારેય નહીં જે સમર્થન કરે છે કે બીજો તત્વ [g]wr 'મેન' થઇ શકતો નથી). આ દલીલમાં આ પણ પ્રસ્તુત બની શકે કે આર્થરનું નામ આંરભિક લેટીન આર્લેથરિયન ગ્રંથોમાં આર્થર અથવા તો આર્ટરસ તરીકે પ્રસ્તુત થાય છે, આર્ટોરિયસ તરીકે ક્યારેય નહીં. જો કે, આ નામ આર્થર ઉત્પતિ વિશે કશું કહેવા માટે યોગ્ય નથી, કારણ કે આર્ટોરિયસ શબ્દ વેલ્શમાં સ્વાભાવિકરૂપથી આર્થર બની જાય; જોન કોચે કહ્યું કે લેટીનને લઈને આર્થરની ઐતિહાસકતાના (જો તેને આર્ટોરિયસ કહેવાય અને ખરેખર તે અસ્તિત્વમાં હોય તો) સંદર્ભમાં આ બધુ શકય બને અને તેની તારીખ પણ 6 ઠ્ઠી સદીથી હોવી જોઈશે.

એક વૈકલ્પિક સિદ્ધાંત નામ આર્થ૨ ને આર્કટરસ સાથે જોડે છે, જે નક્ષત્ર મંડળનો બુટસ સૌથી વધુ ચમકદાર તારો છે, જે ઉર્સા મેજર અથવા ગ્રેટ બેરની નજીક છે. આ નામનો અર્થ 'રીંછનો સરંક્ષક' અથવા “ રીંછ રક્ષક ” થાય છે. શાસ્ત્રીય લેટીનમાં આર્કટરસ , પ્રાચીન લેટીન આર્ટરસ થી વિકાસ પામ્યો હશે અને જ્યારે વેલ્શમાં આવ્યો હશે ત્યારે આર્થર બની ગયો હશે. પોતાની ચમક અને આકાશમાં પોતાની સ્થિતિના આધાર પર તેને લોકો “ રીંછના રક્ષક ” (ઉર્સા મેજરની તેની નિકટતાને કારણે) ના રૂપથી અને બુટ્સમાં બીજા તારાઓનો 'નેતા' હોવાને કારણે લોકો તેને માન આપતા હશે. જો કે, આની નોંધ કરવી મહત્વપૂર્ણ છે, કે આર્કટરસ નો રોમન લોકો દ્વારા વ્યકિતગત રૂપથી અથવા તો દિવ્ય નામ તરીકે ઉપયોગ કરતા હશે તેવું જણાતું નથી. આવા વ્યુત્પતિ વિજ્ઞાનનું ચોક્કસ મહત્વ સ્પષ્ટ નથી. એવું ઘણી વખત માનવામાં આવ્યું કે આર્ટોરિયસ પરની મૂળ ઉત્પતિનો અર્થ આર્થરની મહાનતાનો વાસ્તવિક ઐતિહાસિક આધાર હતો; પરંતુ હાલના અભ્યાસો પરથી સંકેત મળ્યા કે આ ધારણા બરાબર રીતે શોધાયા નથી. આનાથી વિપરીત આર્કટરસ પરથી આર્થર ના નામની વ્યુત્પતિ થઈ હોવાથી એવા સંકેત મળ્યા કે આર્થરની મહાનતા બિન ઐતિહાસિક છે.

મધ્યકાલિન સાહિત્ય પરંપરાઓ

આર્થરના પરિચિત સાહિત્યિક વ્યકિતત્વના નિર્માતા મોંનમાઉથના જીઓફ્રી હતા, તેમના ઐતિહાસિક ઉપનામ હિસ્ટોરીયા રેગમ બ્રિટાનિયા (બ્રિટનના રાજાનો ઇતિહાસ ) જે 1130 માં લખાઇ હતી. આર્થરના સંબંધમાં મૂળગ્રંથના સૂત્રોનું વિભાજન મોટાભાગે જીઓફ્રીના હિસ્ટોરીયા ના પહેલા લખાયા હતા (જે પૂર્વ ગલ્ફ્રિડિયન ગ્રંથના રૂપમાં, જીઓફ્રીનું લેટિન રૂપ, ગલ્ફ્રિડસ તરીકે જાણીતું છે) અને જે તેના પછી લખાયા હતા, જેને તેમના પ્રભાવને ના ટાળી શકયા (એટલે કે ગલ્ફ્રિડિયન હોય કે ઉત્તર-ગલ્ફ્રિડિયન ગ્રંથ હોય).

પૂર્વ ગલ્ફ્રિડિયન પરંપરાઓ

રાજા આર્થર 
વાય ગોદોદ્દીનનું ફેસિમાઈલ પાનુ, જે આર્થરને પ્રસ્તુત કરતા સૌથી વધુ પ્રસિધ્ધ આરંભિક વેલ્શના પાઠો પૈકી એક હતા સી.1275

આર્થરના પ્રારંભિક સાહિત્યિક સંદર્ભો વેલ્શ અને બ્રેટન સ્ત્રોતોથી આવેલ છે. તેમાં પૂર્વ ગલ્ફ્રિડિયન પરંપરામાં આર્થરની પ્રકૃતિ અને ચરિત્રને પૂર્ણરૂપથી પરિભાષિત કરવા માટેના થોડા પ્રયાસો કરવામાં આવ્યા છે, નહીં કે એક પાઠ કે પાઠ/કથાની જેમ. હાલમાં જ થોમસ ગ્રીન દ્વારા શૈક્ષણિક સર્વેક્ષણે આ માટેના પ્રયાસ કર્યા હતા જેમાં આ પૂર્વવર્તિ સામગ્રીના આધાર પર આર્થરના ચિત્રણના ત્રણ મુખ્ય પહલુઓની ઓળખાણ કરાઇ છે. પ્રથમ એ છે કે તેઓ એક વીર યોદ્ધા હતા જે બ્રિટન પર હુમલા કરવાવાળા અધ દુષ્ટો સામે લડતા હતા અને બધા આંતરિક તથા બાહ્ય મુસીબતો સામે રક્ષા કરતા હતા. જેમાં કોઈક માનવીઓનો ખતરો હતો જેમ કે સેક્ષોન, જેમની સામે તે હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ માં લડયા હતા, પરંતુ મોટાભાગે વધારે તો અલૌકિક દુનિયાના હતા જેમાં વિશાળ બિલાડી-રાક્ષસો, વિનાશકારી દૈત્ય સૂવર, ડ્રેગન, ડોગહેડ્સ, જાયન્ટ્સ, ચૂડેલોનો સમાવેશ થાય છે. બીજું તારણ એ નિકળે છે કે પૂર્વ-ગલ્ફ્રિડિયન આર્થર લોકકથાઓ (ખાસ કરીને ટોપોગ્રાફિક કે ઓનોમેસ્ટિક લોકકથાઓ) અને સ્થાનિય જાદુઇ આશ્ચર્ય વાર્તાઓનું ચરિત્ર હતું, જે અલૌકિક નાયકોના દળનો મુખિયા હતો; જે જંગલોમાં રહેતો હતો. ત્રીજો અને છેલ્લું તારણ એ છે કે આરંભિક વેલ્શમાં આર્થરનો વેલ્શ અધરર્વલ્ડ, અન્નવન સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. એક બાજુએ, બીજી દુનિયાના ભવનો પર ખજાનાની શોધમાં હુમલો કરતો હતો અને તેમના કેદિઓને તે મુકત કરતો હતો. બીજી બાજુ, સૈન્યદળના જુના સ્ત્રોતોમાં બુતપરસ્ત દેવતા, અને તેમની પત્ની અને તેમની મિલકતનો સમાવેશ થાય છે, જે સ્પષ્ટપણે મૂળરૂપથી બીજી દુનિયાના હતા.

આર્થરને સંબંધિત એક સૌથી વધુ પ્રસિદ્ધિ કાવ્ય છે જે એક વીરના મૃત્યુના ગીત સંગ્રહમાંથી આવે છે જે વાય ગોડોદ્દીન (ધ ગોડોદ્દીન ) તરીકે ઓળખાય છે, જેની રચનાનો શ્રેય 6 ઠ્ઠી સદીના કવિ એનેરીનને જાય છે. એક પંકિતમાં, એક યોદ્ધાની બહાદુરીની ખૂબ પ્રશંસા કરાય છે જેણે 300 દુશ્મનોને માર્યા હતા, પરંતુ તેમ છતાં પછી એવું કહેવામાં આવ્યું છે કે 'તે આર્થર ન હતાં' એવું કહેવાય છે કે તેમના કમાલની તુલના આર્થરની વીરતા સાથે ના થઈ શકે. વાય ગોડોદ્દીન ને માત્ર 13મી સદીની એક હસ્તલિપિ તરીકે ઓળખાય છે, જેનાથી આ નિશ્ચિત કરવું અશક્ય છે કે તે મૂળ પાઠો છે કે પછી પાછળથી પ્રક્ષેપિત કરાયા ગયા છે, પરંતુ જોન કોચનું માનવું છે કે આ પાઠ 7મી સદીની કોઈ તારીખનો છે અથવા તો પહેલાંનો સંસ્કરણ છે એ સિદ્ધ નથી થયું, મોટા ભાગે 9 કે પછી 10 મી સદીની તારીખોનો હોવાનો મનાય રહ્યો છે. ટેલિએસિનને ઘણી કવિતાઓની રચનાનો શ્રેય આપવામાં આવ્યો છે જેના વિષે એવું કહેવામાં આવ્યું છે કે તે 6 ઠ્ઠી સદીના કવિ હતા, જેમણે આર્થરનો પણ ઉલ્લેખ કર્યો છે, જો કે આ બધા કદાચ 8મી અને 12મી સદીની વચ્ચેની સંભવિત તારીખોની છે. તેમાં “ કદિર તેયરનોન ” ('ધ ચેર ઓફ ધ પ્રિન્સ'), જે “ આર્થર ધ બ્લેસ્ડ ô” સાથે સંબંધિત છે, “ પ્રેઈડ્ડિઉ અન્નાવન ” ('ધ સ્પોઇલ્સ ઓફ અન્નવન') જે આર્થરની બીજી દુનિયાના એક અભિયાનને દર્શાવે છે, અને “ મર્વનટ વથ્યર પેન (ડ્રેગન) ” “ ધ એલજી ઓફ ઉથર પેન (ડ્રેગન) ” જે આર્થરની વિરતાને સંબંધિત છે અને આર્થર તથા ઉથર પિતા-પુત્રના સંબંધનું સૂચન કરે છે જે મોનમાઉથના જીઓફ્રીના પહેલાની તારીખના છે, નો સમાવેશ થાય છે.

રાજા આર્થર 
વેલ્શની વાર્તા કલ્હવચ અને ઓલ્વનમાં કલ્હવચનો આર્થરના દરબારમાં પ્રવેશ, 1881

બીજા પહેલાંના વેલ્શ આર્થુરિયન ગ્રંથોમાં કાર્માર્થેનના બ્લેક બુક માં મળેલી એક કવિતાનો પણ સમાવેશ થાય છે, “ પા ગુર વાઈ વી વાઈ પોર્થર? ” ('વોટ મેન ઈઝ ધ ગેટકીપર?'). આ આર્થર અને કિલ્લાના ગેટકીપરની વચ્ચેના સંવાદના રૂપમાં છે, જે એક કિલ્લામાં પ્રવેશ કરવા માગતા હતા, જે વખતે આર્થર પોતાની અને પોતાના લોકોના કામોના વિશેષરૂપથી સેઈ (કે) અને બેડવ્યર (બેડિવેર) ના વિશે કહેતા હતા. વેલ્શ ગદ્ય ગાથા કલ્હવચ એન્ડ ઓલ્વેન (સી. 1100) જે આધુનિક મેબિનોજીઓન સંગ્રહમાં સમાવેશ છે, તેમાં આર્થરના લાકોની બહુ લાંબી સૂચી છે, જેમાં તેના 200થી વધારે લોકોના નામ છે, જો કે સેઈ અને બેડવ્યરે ફરીથી કેન્દ્રનું સ્થાન લીધું છે. આ વાર્તા પૂર્ણરૂપથી આર્થરની તે વાર્તાઓની છે જેમાં તે મુખ્ય જાયન્ટ, યસબડ્ડાદેનની છોકરી, ઓલવેનને મેળવવા માટે અસંભવ કામોની એક શૃંખલાને જીતવા માટે પોતાના સંબંધી કલ્હવચની મદદ કરતો હતો; જેમાં એક વિશાળકાયાનો માયાવી સુવર ટવર્ચ ટવચેના શિકારનો પણ સમાવેશ થાય છે. 9મી સદીના હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ પણ આ વાર્તા સાથે સંકળાયેલી છે ત્યાં સૂવરનું નામ ટ્રોય (એન)ટી છે. અંતમાં, આર્થરનો ઉલ્લેખ વેલ્શ ટ્રાઈડસ માં ઘણી વખત થયો છે, જે એક વેલ્શ પરંપરા અને દંતકથાઓનો ટૂંકા સારાંશનો સંગ્રહ છે જેને યાદ રાખવા માટે ત્રણ જોડાયેલા સમૂહો અથવા પ્રાસંગિક કથામાં વર્ગીકરણ કર્યું છે. પછીથી ટ્રાઈડસની હસ્તલિપિઓ મોનમાઉથના જીઓફ્રીની પાસેથી મેળવેલ છે પરંતુ જે પ્રારંભિક છે એમાં કોઈપણ જાતનો પ્રભાવ નજરે નથી પડતો અને સામાન્યરૂપથી તે પૂર્વ વેલ્શ પરંપરાનો હોવાની સહમતિ છે. ત્યાં સુધી કે આમાં આર્થરની અદાલતે બ્રિટનની પ્રાપ્તિસ્થાપનાની શરૂઆત કરી હતી; 'થ્રી XXX ઓફ ધ આઇલેન્ડ ઓફ બ્રિટન' માં 'આર્થરની અદાલત'નો ઘણીવખત “ ધ આઈલેન્ડ ઓફ બ્રિટન ” ના વિકલ્પ તરીકે ઉલ્લેખ થયો છે. જો કે હિસ્ટોરીયા બ્રિટ્ટાનોમ અને અનાલેસ કેમ્બ્રિ પરથી આ સ્પષ્ટ નથી થયું કે આર્થરને રાજા તરીકે પણ માનતા હતા કે નહીં, કલહવચ અને ઓલવેન અને ટ્રાઈડસ લખાયા હતા ત્યાં સુધીમાં તો તે પેંતેયર્નેડ યર યન્યસ હોન , “ આ આઇલેન્ડના શાસકના પ્રમુખ ” બની ગયો હતો, જે વેલ્સ, કોર્નવોેલ અને ઉત્તરની બીજી દુનિયા હતી.

આ પૂર્વ ગલ્ફ્રિડિયન વેલ્શ કવિઓ અને વાર્તાઓ ઉપરાંત, હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ અને અનાલેસ કેમ્બ્રિ સિવાય આર્થર થોડા બીજા લેટિન ગ્રંથોમાં પણ નજરે પડ્યો હતો. વિશેષ રૂપથી, આર્થર કેટલાક પશ્ચાત -રોમન સંતોના જાણીતા વિટે ('જીવનદોરીવાળા') માં સંદર્ભિત હતો, જેમાંથી કોઈને પણ સાધારણ રૂપથી ઐતિહાસિક સૂત્રો માટે વિશ્વાસનીય નથી માનવામાં આવતા (11મી સદીથી સંભવિત આરંભિક તારીખ). 12મી સદીના પ્રારંભમાં લાન્કાર્ફનના કારાડોક દ્વારા રચિત લાઈફ ઓફ સેંટ ગિલદાસ ના મુજબ એવું કહેવાયું કે આર્થરે ગિલદાસના ભાઈ હ્યુઇલને મારી નાખ્યો અને તેની પત્ની ગ્વેનહવ્યફારને ગ્લાસ્ટોનબરીથી બચાવી. 1100ની આસપાસ લખાયેલી, લાઈફ ઓફ સેંટ કડોક અથવા લિફ્રિસ ઓફ લાન્કાર્ફનના થોડા સમય પહેલા આ સંતે એક માણસને સરંક્ષણ આપ્યું હતું, જેણે આર્થરના ત્રણ સૈનિકોને માર્યા હતા, અને આર્થરે પોતાના માણસોની જગ્યાએ વેર્ગેલ્ડ ના રૂપમાં ઢોરના ધણની માંગણી કરી હતી. કાડોકે માંગણી પૂરી કરી, પરંતુ જ્યારે આર્થર તેમને લઈ જવા માટે પશુઓ પાસે જાય છે ત્યારે તે ફર્નના પડિકાઓમાં ફેરવાય છે. આ પ્રકારની ઘટનાઓનું વર્ણન કેરાનોગ, પદર્ણ અને યુફ્ફલામમાં છે જે સંભવત 12મી સદીની આસપાસ લખાયેલી મધ્યકાલીન કથા છે. આર્થરનો એક સ્પષ્ટરૂપથી ઓછી પ્રસિદ્ધીવાળો લેખ લિજેંડા સંકટી ગોએઝનોવી છે, જેને હંમેશા 11મી સદીના પ્રારંભમાં બતાવવામાં આવ્યો છે, પણ એના આલેખો 15મી સદીના પ્રારંભિક હસ્તલિપિના હોવાના પણ દાવા થયા છે. મલ્મેસ્બરીના વિલિયમના ડી જેસ્ટિસ રિગમ એન્ગ્લોરમ અને હરમનની ડી મિરાક્યુલિસ સંકટે મારિયા લાઉડેનસિસ માં આર્થરના મહત્વપૂર્ણ સંદર્ભો છે, જે એક સાથે પહેલી વખત થોડાક પાક્કા પૂરાવા આપ્યા જેનાથી એવું માનવાનું નિશ્ચિત થઈ શકે કે આર્થર વાસ્તવમાં મર્યા ન હતા અને કોઈક સ્થાન પર તે પાછા ફરેલા, આ એક એવો વિષય છે, જેના પર પશ્ચાત-ગાલ્ફ્રિડિયન લોકકથાઓમાં ઘણીવખત ધ્યાનમાં લેવામાં આવી છે.

મોનમાઉથની જીઓફ્રી

રાજા આર્થર 
મોર્ડ્રેડ, મોનમાઉથની જીઓફ્રી પ્રમાણે આર્થરનું છેલ્લું કર્મ, એન્ડ્રયુ લેન્ગના કિંગ આર્થર માટે એચ. જે. ફોર્ડેનું ઉદાહરણ : ધ ટેલ્સ ઓફ ધ રાઉન્ડ ટેબલ, 1902,

આર્થરના જીવનનો પ્રથમ લેખ મોનમાઉથની જીઓફ્રીએ લેટિનમાં રચેલા હિસ્ટોરીયા રિગમ બ્રિટાનિયા એ (બ્રિટનના રાજાઓનો ઇતિહાસ ) માં મળેલ છે. આ રચના સી 1138 માં પૂરી થઈ, જે બ્રિટીશ રાજાઓના એક મહાન ટ્રોજન નિર્વાસન બ્રુટસથી લઈને 7મી સદીના વેલ્શ રાજા કેડવોલ્લાડરના કલ્પનાશીલ અને કાલ્પનિક દસ્તાવેજો (લેખો) છે. જીઓફ્રીએ આર્થરને એ જ પશ્ચાત રોમનના સમયમાં ગોઠવ્યો છે જેમાં હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ અને અનાલેસ કેમ્બ્રિ હતા. તેમણે આર્થરના પિતા, ઉથર પેડ્રાગન, તેમના જાદુગર સલાહકાર મર્લિન, અને આર્થરના ગર્ભધાનની વાર્તાનો પણ આમાં ઉમેરો કર્યો છે, જેમાં ઉથર, મર્લિનના જાદુથી પોતાના દુશ્મન ગોર્લોઈસને ઓળખી જાય છે, ટીન્ટાજેલ ખાતે ગોર્લોઈસની પત્ની ઈગેરના સાથે સૂવે છે અને તે આર્થરને ગર્ભમાં ધારણ કરે છે. ઉથરનું મૃત્યુ થવાથી, પંદર વર્ષના આર્થરે તેમનો વારસો સંભાળ્યો અને બ્રિટનના રાજા બન્યા અને તેમણે કેટલીએ લડાઈઓ લડી, જે હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ માં અને બાથની લડાઈઓમાં સમાપન સમયે હતી તેવી જ હતી. તેના પછી તેમણે આયર્લેન્ડ, આઇલેન્ડ અને ઓર્કેને આઇલેન્ડ પર વિજય મેળવીને આર્થેરિયન સામ્રાજ્ય બનાવતા પહેલા પિકટ અને સ્કોટસને હરાવ્યા. બાર વર્ષની શાંતિ પછી, આર્થરે પોતાના સામ્રાજ્યને વિસ્તારવા એક પછી એક બાહર નીકળીને નોર્વે, ડેનમાર્ક અને ગૌલ પર કાબૂ મેળવ્યો. ગૌલ અત્યારે પણ રોમન સામ્રાજ્ય દ્વારા નિયંત્રિત છે, જ્યારે તેના પર વિજય પ્રાપ્ત થયો ત્યારે આર્થરની જીત સ્વાભાવિક રૂપથી તેમના સામ્રાજ્ય અને રોમની વચ્ચે એક વધારે ટક્કરની તરફ આગળ વધી. આર્થર અને તેમના શૂરવીરોને, જેમાં કીઉસ (કે), બેદુએરસ (બેદિવેર) અને ગુઆલગૌનસ (ગવાઇન) સહિત ફ્રાંસમાં રોમન સમ્રાટ લુસિઅસ તિબેરિઅસને હરાવ્યા પરંતુ જ્યારે તે રોમની તરફ કૂચની તૈયારી કરતા હતા, ત્યારે આર્થરે સાંભળ્યું કે તેમનો ભત્રીજો મોડ્રેડસે (મોડ્રેડ) - જેણે તેઓએ બ્રિટનના દાયિત્વ આપ્યું હતું - તેની પત્ની ગુએન્હુઆરા (ગુએનેવેર) ની સાથે લગ્ન કરી લીધા છે અને સિહાંસન પર કબજો મેળવી દીધો. આર્થર બ્રિટન પાછા ફર્યા અને તેમણે મોડ્રેડસને કોર્નવોલમાં કામબ્લામ નદીની પાસે હરાવ્યો અને તેને મારી નાખ્યો, પરંતુ તે પોતે પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. તેઓએ પોતાનું મુકુટ પોતાના રિશ્તેદાર કોન્સ્ટાનટાઇનને સોંપી દીધું અને તેમના જખ્મોને સારા કરવા માટે અવલોનના ટાપુ પર લઈ જવાયા જેના પછી તેઓ કયારેય દેખાયા નહીં.

રાજા આર્થર 
મર્લીન ધ વિઝાર્ડ, સી.  1300

આ કથામાંથી કેટલો ભાગ જીઓફ્રીએ પોતે શોધ્યો છે તેના પર દલીલ ચાલુ જ છે. નિશ્ચિત રૂપથી લાગે છે કે જીઓફ્રીએ સેક્સોનના વિરુદ્ધની આર્થરની બાર લડાઈઓની યાદીનો ઉપયોગ કર્યો છે; જે 9મી સદીની હિસ્ટોરીયા બ્રિટ્ટોનમ માં છે, સાથે સાથે અનાલેસ કેમ્બ્રિ નું કામલાન યુદ્ધ અને આ મતનો પણ ઉપયોગ કર્યો છે કે આર્થર હજી પણ જીવતો છે. આર્થરની વ્યકિતગત સ્થિતિ તમામ બ્રિટનના રાજાના રૂપમાં પણ પૂર્વ ગલ્ફ્રિડિયન પરંપરામાંથી લેવામાં આવ્યું છે, જે કલ્હવ્ચ એન્ડ ઓલ્વેન , ટ્રિઆડસ અને સેંટસ લાઈવ્સમાં મળી આવે છે. વધારામાં, મોનમાઉથના કિંગ આર્થરમાં સામેલ હોય તેવા ઘણા ઘટકો તે "કુલ્વ્ચ અને ઓલવેન" ને સમાંતર છે. વફાદારી, આદર, શ્રેષ્ઠતા, ભેટ આપવી, પત્ની ચોરવી, અને જાદુઇ જીવોનો હેતુ અને થીમ બંને વાર્તાઓમાં આગળ પડતા છે. વધુમાં, મોનમાઉથે તેના કેટલાંય પાત્રોના નામ "કુલ્વ્ચ અને ઓલવેન" માંથી લીઘા; સર કેઇ "કેઇ" માંથી આવે છે; સર બેડિવેરે "બેડીવીર" માંથી આવે છે; અને અંતમાં સર ગ્વેન એ વેલ્શમાં "ગ્વાલચ્મેઇ" છે. સાથે, બંને વાર્તાઓની અભિનેત્રીઓના પણ સમાન નામ છે: ગ્યુનેવરનો અર્થ છે "વ્હાઇટ ફેન્ટમ", જ્યારે ઓલવેન "સફેદ રસ્તાનું" સાથે સમાન છે.અંતમાં જીઓફ્રીએ આર્થરની સંપત્તિને લાગતા વળગતા લોકોના નામોનો પણ ઉપયોગ કર્યો છે, જેમાં પરિવારના નજદીકી, પૂર્વ-ગલ્ફ્રિડિયન વેલ્શ પરંપરાના સહચર સમાવિષ્ટ છે, જેમાં કીઉસ (કે), બેદુએરસ (બેદિવેર), ગુએન્હુઆરા (ગ્વેનહવ્યફર), ઉથર (ઉથ્યર) અને સંભવત કેલિબર્નસ (કેલડફ્વલચ) ના નામ સમાવિષ્ટ છે જે પછીથી એકસકેલિબર બન્યા જેમાં અનુવર્તિ આર્થરિયન વાર્તાઓ છે. જો કે, હમણા નામ, મહત્વપૂર્ણ ઘટનાઓ અને શીર્ષકો લેવાયા છે, બ્રિનલે રોબર્ટસે તર્ક આપ્યો છે કે “ આર્થરિયન વિભાગ એ જીઓફ્રીની સાહિત્યિક રચના છે અને તેણે પહેલાંની કથામાંથી કઈ પણ ઉધાર નથી લીધું ”. એટલે જ, ઉદાહરણ રૂપે વેલ્શ મેડ્રોતને જીઓફ્રી દ્વારા મોડ્રેડસને દુષ્ટ બનાવ્યો છે પરંતુ વેલ્શ સ્ત્રોતોમાં 16મી સદી સુધી તેના આટલા નકારાત્મક ચરિત્રના સંકેત નથી મળ્યા. હિસ્ટોરીયા રિગમ બ્રિટાનિયા એ મુખ્યત: જીઓફ્રીની પોતાની રચના છે જેની ધારણાને પડકાર આપવાવાળા અપેક્ષાકૃત થોડા આધુનિક પ્રયાસ થયા છે અને મોટાભાગે વિદ્વાનોની આ ધારણા ન્યુબર્ઘર્ના વિલિયમની 12મી સદીની ટિપ્પણીનું અનુસરણ કરતી છે કે જીઓફ્રીએ પોતાની વાર્તાને 'બનાવી છે' જેનું કારણ કદાચ “ જુઠું બોલવા પર અન્ય અધિક પ્રેમ કરવાનું છે. ” આ દ્રષ્ટિકોણથી એક વિરોધી જીઓફ્રી અશે માને છે કે જીઓફ્રીની કથા-આંશિક રૂપથી 5મી સદીના રિઓતામસ નામના બ્રિટીશ રાજાના કાર્યોના સ્ત્રોત પરથી આંશિક રીતે અલગ છે, તે જ ચરિત્ર વાસ્તવિક આર્થર છે, જો કે ઇતિહાસકારો અને સેલ્ટિસિસ્ટસ એ અશેને નિષ્કર્ષરૂપથી સહમતિ નથી બતાવી.

તેમને જે કોઈ પણ સ્ત્રોતો રહ્યા હોય, જીઓફ્રીની હિસ્ટોરીયા રિગમ બ્રિટાનિયા ની અત્યંત લોકપ્રિયતા માટે ના ન કહી શકાય. જીઓફ્રીની લેટિન રચનાઓથી 200થી અધિક હસ્તલિપિઓની પ્રતિયો જીવતં હોવાની વાત કહેવાય છે, અને તેમાં બીજી ભાષામાં અનુવાદિતનો સમાવેશ નથી કરાયો. આમ, ઉદાહરણ તરીકે, લગભગ 60 હસ્તલિપિઓ હિસ્ટોરીયા ની વેલ્શ ભાષા સંસ્કરણમાં સમાયેલી છે, જે સૌથી પહેલા 13મી સદીમાં નિર્મિત થઈ; જૂની ધારણા એવી છે કે વેલ્શના આ પૌરાણિક સંસ્કરણ વાસ્તવમાં જીઓફ્રીની હિસ્ટોરીયા માંથી લેવાયા છે, જેને લાંબા સમય સુધી એકેડેમિક હલકો દ્વારા છોડી દેવાયા પછી 18મી સદીના લુઈસ મોરિસ જેવા પ્રાચીન વસ્તુથી જોડાયેલ વિધાનોએ ઉન્નત કર્યા. આ લોકપ્રિયતાના પરિણામે, જીઓફ્રીના હિસ્ટોરીયા રિગમ બ્રિટાનિયા ની આર્થરિયન દંતકથાના મધ્યકાલિન વિકાસ પર ખૂબ પ્રભાવ પડયો. જો કે આનો એવો અર્થ નથી કે આર્થરિયન રોમાંસની પાછળ ફકત આ રચનાત્મક શકિત હતી, તેનાં કેટલાય તત્વો ઉધાર લેવામાં આવ્યા અને વિકસિત કરવામાં આવ્યા (જેમ કે મર્લિન અને આર્થરનો અંત), અને તેણે એવી ઐતિહાસિક રૂપરેખા આપી કે જેમાં જાદૂઈ રોમાંસની કથા અને અદ્ભૂત સાહસિક વાર્તાઓ જોડાયા.

રોમાંસ પરંપરા

રાજા આર્થર 
12મી સદી દરમિયાન, ટ્રીસ્ટન અને ઈસ્યુલ્ટના “ આર્થરિયન ” પક્ષની વાર્તાઓના નિર્માણથી આર્થરનું પાત્ર અલગ પડવાનું શરૂ થયું.જોન વિલિયમ વોટરહાઉસ 1916

જીઓફ્રીના હિસ્ટોરીયા ની લોકપ્રિયતા અને તેના બીજા વ્યત્પન્ન કાર્યો (જેમ કે વેસના રોમન ડી બ્રુટ ) ને સામાન્યરૂપથી 12મી અને 13મી સદીમાં ખાસ કરીને ફ્રાંસમાં, યુરોપ ખંડમાં મહત્વપૂર્ણ સંખ્યામાં નવા આર્થરિયન કામોને સમજાવવામાં એક મહત્વપૂર્ણ અવયવ માનવામાં આવે છે. એવું ન હતું, જો કે “ મેટર ઓફ બ્રિટન ” ના વિકાસ પર માત્ર આર્થરિયન પ્રભાવ હતો. જીઓફ્રીની રચનાની આટલી પ્રસિદ્ધિના પહેલા આ વાતના પાકા પુરાવા છે કે ખંડમાં આર્થર અને આર્થરિયન વાર્તાઓનું જ્ઞાન હતું (ઉદાહરણ તરીકે, મોડેના અર્ચિવોલ્ટ જુઓ), સાથે સાથે 'સેલ્ટિક'ના નામનો ઉપયોગ અને વાર્તાઓ હતી જે આર્થરિયન રોમાંસમાં જીઓફ્રીની હિસ્ટોરીયા માં જોવા નથી મળતી. આર્થરની દૃષ્ટિથી કદાચ નવી આર્થરિયન વાર્તાના સૌથી મહાન પ્રવાહનો મહત્વપૂર્ણ પ્રભાવ તેના પોતાની રાજાની ભૂમિકા પર જ હતો; 12મી સદી અને તેના પછીના આર્થરિયન સાહિત્યના કેન્દ્રમાં લાન્સલોટ, ગુએનવેર, પર્સવલ, ગલાહડ, ગવૈન, ત્રિસ્ટાન અને ઈસોલ્ડ વધારે હતા અને આર્થર પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. જ્યારે આર્થર એ પૂર્વ ગલ્ફ્રિડિયન સાહિત્ય અને સ્વયં જીઓફ્રીના હિસ્ટોરીયા માં એકદમ કેન્દ્રમાં હતા, રોમાંસમાં તેમને જલ્દીથી બાજુમાં કરી દેવાયા. તેમના ચરિત્રને પણ ખાસું બદલવામાં આવ્યું. આરંભિક બંનેની સામગ્રીઓમાં અને જીઓફ્રીમાં તે એક મહાન અને કઠોર યોદ્ધા હતા, જે વ્યકિત ગતરૂપથી ચૂડેલો અને જાયન્ટ્સને હસતા હસતા મારી નાખતા હતા અને બધાં જ સૈન્ય અભિયાનોમાં જે પ્રમુખ ભૂમિકા ભજવતા હતા, જ્યારે ખંડ રોમાંસમાં તેઓને આળસુ રોઇ ફેઇનેઅન્ટ અને 'કઈ ના કરવાવાળો રાજા' કહેવાયા છે, જેમની 'નિષ્ક્રિયતા અને મૌન સ્વીકૃતિએ પરોક્ષ રૂપથી તેમના આદર્શ સમાજમાં એક કેન્દ્રીય દોષ પેદા કર્યો છે.' આ કાર્યોમાં આર્થરની ભૂમિકા લગભગ વારંવાર એક બુદ્ધિમાન, સ્વાભિમાની, ગુસ્સાવાળાં, થોડીક હદ સુધી નરમ અને કોઈકવાર નબળા રાજાની છે. એટલે જ તો જ્યારે મોર્ટ અર્ટુ માં લાન્સલોટનો ગુએનેવેર સાથેના પ્રેમ અંગે જાણે છે ત્યારે તે સરળતાથી નિસ્તેજ થઇ જાય છે અને શાંત થઇ જાય છે, જ્યારે ચરેટીઅન ડી ટ્રોયસના વ્યેન, ધ નાઇટ ઓફ ધ લાયન માં, તે એક ભોજન પછી જાગવા પણ સમર્થ નતા રહેતા અને તેઓ ઝોંકા ખાવા લાગતા. જેવું નોરિસ જે લેસીએ અવલોકન કર્યું છે કે જે કઈ પણ તેમની ભૂલો અને નબળાઈઓ આર્થરિયન રોમાંસમાં છે, “ તેમની પ્રતિષ્ઠાએ તેમની પોતાની વ્યકિતગત નબળાઈઓ સાથે - ક્યારેય - અથવા તો લગભગ નહીં - સમજુતી કરી નથી .... તેમના પોતાના અધિકાર અને મહિમા તેવા જ રહે છે.'

રાજા આર્થર 
14મી સદીના અંતમાં આર્થરનું (ટોચ પર કેન્દ્ર) મધ્ય યુગની અગ્રેજી કવિતા સર ગવૈન અને ગ્રીન નાઇટ ઉદાહરણ બનવું.

આર્થર અને તેમના અનુચર વર્ગ કેટલાક લેઇસ ના મેરી દી ફ્રાન્સમાં નજરે પડે છે, પરંતુ આ બીજા ફ્રાન્સના કવિ, ક્રેટિયન ડી ટ્રોય્સની રચના હતી, જેના પર આર્થર અને તેમની દંતકથાઓના ચરિત્રના વિકાસના સંબંધમાં સૌથી વધુ પ્રભાવ હતો. ચરિટીયને પાંચ આર્થરિયન રોમાંસ સી. 1170 અને સી. 1190. વચ્ચે લખાઇ હતી. એરેક એન્ડ એનાઇડ અને કિલજેસ આર્થરની વીર દુનિયાથી દૂર છે જ્યારે યુવેન, ધ નાઈટ ઓફ ધ લાયન વેલ્સમાં ય્વેન અને ગવૈન અલૌકિક સાહસ કરતા દેખાય છે, અને આર્થરને બાજુમાં કરી દેવાયા અને નબળા બતાવવામાં આવ્યા. જો કે, આર્થરિયન દંતકથાના વિકાસમાં સૌથી વધુ મહત્વપૂર્ણ લાન્સલોટ, ધ નાઈટ ઓફ ધ કાર્ટ છે, જેમાં લાન્સલોટ અને તેમના વ્યભિચારો સંબંધ આર્થરની પત્ની સાથે (ગુએનેવેર) સાથે છે, આવર્તી વિષયને વિસ્તારી અને પ્રસિદ્ધ કરી આર્થરને કુલ્ટાની પત્નીની ભૂમિકામાં બતાવ્યો છે અને પરસેવેલ, ધ સ્ટોરી ઓફ ધ ગ્રેઇલ જેમાં એક પવિત્ર ગ્રેઇલ અને ફિશર કિંગ તરીકે ઓળખાવ્યો છે અને પછી વાર્તામાં તેની ભૂમિકા બહુ ઓછી છે. ચરિટિયને આ પ્રકાર આર્થરિયન દંતકથાના વિસ્તાર અને તે કથાના પ્રસાર માટે આદર્શ ફોર્મની સ્થાપના કરી બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને પછી તેમની સર્જિત દુનિયાના સંદર્ભમાં આર્થરનું સર્જન કર્યું. પરસેવલ , જો કે અધુરી છે, જેમાં વિશેષ રૂપથી લોકપ્રિય હતા : કવિતાના ચાર અલગ અનુબંધ, જે પછીની અર્ધી સદીથી વધારે અવધિમાં નજરે પડયા, ગ્રેઇલની કલ્પના સાથે અને તેની ખોજનું રોબર્ટ ડી બોરોન જેવા બીજા લેખકો દ્વારા વિકાસ થયો, એક હકીકત એ પણ છે કે જેને ખંડના રોમાંસમાં આર્થરના પતનમાં તેજી લાવવામાં મદદ કરી. એ જ રીતે, લાન્સલોટ અને તેની આર્થરની પત્ની ગુએનેવેરના વિવાહિત સંબંધ હોવાથી આર્થરિયન દંતકથા કલાસિક રૂપાંકનોમાંથી એક બની, જો કે ગદ્ય લાન્સલોટ (સી. 1225) ના લાન્સલોટ અને પછીના પાઠો ક્રેટિયનના ચારિત્ર્ય અને અલરિચ વોન ઝટઝિખોવનના લેન્ઝલેટ નું એક સંયોજન હતું. અહીં એક ક્રેટિયનની રચના વેલ્શ આર્થરિયન સાહિત્યમાં પણ પ્રતિપુષ્ટિ દેખાઈ છે જેનું પરિણામ એવું નીકળે છે કે રોમાંસ આર્થર વેલ્શમાં સક્રિય આર્થર સાહિત્યિક પરંપરાની જગ્યા લેવા લાગ્યો. આ વિકાસમાં વિશેષ રૂપથી જે મહત્વપૂર્ણ છે તેમાં ત્રણ વેલ્શ આર્થરિયન રોમાંસ છે, જે ક્રેટિયનની ખૂબ નજદીક છે, જો કે કેટલાક નોંધપાત્ર ભિન્નતા છે : ઓવેન, ઓર ધ લેડી ઓફ ધ ફાઉન્ટેન , ક્રેટિયનની ય્વેન , જેરેઇન્ટ એન્ડ એનાઇડ થી લઈને એરેક એન્ડ એનાઇડ ; અને પેરેડર સન ઓફ એફ્રાવગ થી પરસેવલ સાથે સંબંધિત છે.

રાજા આર્થર 
હોલી ગ્રેઇલની દૃષ્ટિએ, રાઉન્ડ ટેબલનો અનુભવ.15મી સદીથી ફ્રેન્ચ હસ્તલીપી.

સી. 1210 સુધી, ખંડ આર્થરિયન રોમાંસ મુખ્ય રૂપથી કવિતાના માધ્યમથી રજુ કરવામાં આવ્યા હતાં; આ તારીખ પછીની વાર્તાઓ પાઠોમાં કહેવડાવવા લાગી. એમાંથી સૌથી મહત્વની 13મી સદીની ગદ્ય રોમાંસ વલ્ગેટ સાયકલ હતી (જે લાન્સલોટ-ગ્રેઇલ સાયકલ તરીકે પણ જાણીતી છે), આ તે સદીમાં લખાયેલી પાંચ મધ્ય ફ્રેન્ચ ગદ્યની એક શૃંખલા છે. આ રચનાઓ એસ્ટોઇર ડેલ સેંટ ગ્રેઇલ , એસ્ટિરે ડે મર્લિન , લાન્સલોટ પ્રોપ્રે , (અથવા પોર્સ લાન્સલોટ , જેને તેના પોતાના પર સમગ્ર વલ્ગેટ સાયકલના અડધા સુધી બનાવ્યું), કવેસ્ટ ડેલ સેંટ ગ્રાલ અને મોર્ટ આર્ટુ , જેણે ભેગા કરીને સમગ્ર આર્થરિયન કથાનો પ્રથમ સુસંગત સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યો આ ચક્ર એ પોતાની કથામાં આર્થર દ્વારા ભજવાયેલી ભૂમિકાને ઓછી કરવા પ્રત્યેના ભાવને ચાલુ રાખ્યો, જેના માટે ગલાહદ પાત્રનો પ્રવેશ કરાયો અને મર્લિનની ભૂમિકાને વધારવામાં આવી. મોર્ડ્રેડે આર્થર અને તેના બહેન વચ્ચે એક વ્યભિચારી સંબંધના માધ્યમથી અને કૈમલોટની ભૂમિકાને સ્થાપિત કરીને પણ કર્યું, જેનો પહેલી વખત ઉલ્લેખ આર્થરના પ્રાથમિક દરબારમાં ક્રેટિયનના લાન્સલોટ માં નિધનમાં વર્ણન થયો છે. ગ્રંથોની આ શૃંખલાના તરત પછી પશ્ચાત વલ્ગેટ સાયકલ (સી. 1230-40) એ અનુસરણ કર્યું જેમાંથી સુઈટ ડુ મર્લિન પણ એક ભાગ છે, જેને ગુએનવેરની સાથે લાન્સલોટના પ્રેમ સંબંધોનું મહત્વ બહુ ઓછું કરી દીધું, પણ આર્થરને તો બાજુમાં જ રાખ્યો, એ જ શ્રેણીમાં ગ્રેઇલની શોધ પર અધિક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ. એ જ પ્રમાણે આર્થર આ ફ્રેન્ચ ગદ્ય રોમાંસોમાં ચરિત્રમાં સાપેક્ષ રીતે ઘણો નાનો બન્યો; સ્વયં વલ્ગેટ અને એસ્ટોઇર ડે મર્લિન તથા મોર્ટ આર્ટુ માં તો ફકત એક મહત્વપૂર્ણ ચરિત્ર જ છે.

મધ્યકાલિન યુગમાં આર્થરિયન ચક્રના વિકાસ અને “ આર્થર ઓફ રોમાંસ ” ના ચરિત્રનું સમાપન લે મોર્ટે ડી'આર્થર માં થયું, જે થોમસ મલોરી દ્વારા પૂરી કથાનું અંગ્રેજીમાં પુનર્પાઠ છે તે 15મી સદીના અંતમાં એક જ ગ્રંથમાં છે. મલોરીએ જે કથાને આધાર બનાવ્યો તેનું મૂળ શીર્ષક ધ હોલ બુક ઓફ કિંગ આર્થર એન્ડ ઓફ હીસ નોબલ નાઈટસ ઓફ ધ રાઉન્ડ ટેબલ છે - જે રોમાંસના વિભિન્ન પહેલાંના સંસ્કરણ, વિશેષરૂપથી વલ્ગેટ સાયકલમાં છે અને એવું લાગે છે કે તેનો હેતુ આર્થરિયન કહાનીઓનું એક પ્રમાણિક અને વ્યાપક સંગ્રહ બનાવવું છે. કદાચ આનું જ પરિણામ છે, અને સત્ય છે કે તે લે મોર્ટે ડી'આર્થર ઈંગ્લેન્ડમાં સૌથી પહેલી મુદ્રિત પુસ્તકોમાંથી એક છે, જે 1485માં વિલિયમ કેકસ્ટોન દ્વારા પ્રકાશિત સૌથી મોડી આર્થરિયન રચનાઓ મલોરી દ્વારા ઉત્પન્ન થઈ છે.

પતન, પુન: ઉદ્ધાર અને આધુનિક ગાથા

પશ્ચાત મધ્યકાલિન સાહિત્ય

મધ્યકાલિન યુગના અંતમાં કિંગ આર્થર પ્રત્યેની રુચિ ઓછી થતી ગઈ. જો કે મલોરીના મહાન ફ્રાન્સની રોમાંસનું અંગ્રેજી સંસ્કરણ ખૂબ લોકપ્રિય હતું, આર્થરિયન રોમાંસની ઐતિહાસિક રચનાની વાસ્તવિકતા પર હુમલામાં પણ વૃદ્ધિ થઈ, જે મોનમાઉથના જીઓફ્રીના સમયથી સ્થાપિત હતા - અને એજ રીતે સમગ્ર મેટર ઓફ બ્રિટનની કાયદેસરતા હતી. ઉદાહરણરૂપે 16મી સદીના માનવતાવાદી વિદ્વાન પોલીડોર વેરગિલે દલીલનો અસ્વીકાર કર્યો કે આર્થર પશ્ચાત રોમન સામ્રાજ્યના શાસક હતા, જે સમગ્ર પશ્ચાત ગલ્ફ્રિડિયન મધ્યકાલિન સમય “ ક્રોનિકલ પરંપરા ” માં જણાય છે અને વેલ્શ અને અંગ્રેજી પરપરાના આંતક હતા. મધ્યકાલિન યુગના અંતમાં તેની સાથે સામાજિક બદલાવો સંકળાયેલા, પુન: સ્થાપનાના સમયે આર્થરના ચરિત્રને ચોરવાની સાજીશ પણ રચાય અને તેમની પછી થોડીક શકિતઓ સાથે જોડાયેલી કથાઓને પણ દર્શકોને ખેંચવા ચોરવામાં આવી, જેનું પરિણામ 1634 માં મલોરીની લે મોર્ટે ડી'આર્થર ની અંતિમ મુદ્રણમાં દેખાયું, જે લગભગ 200 વર્ષો પછી આવ્યું. કિંગ આર્થર અને આર્થરિયન કથા પૂરી રીતે ત્યજી દેવામાં નહીં આવ્યા, પરંતુ 19મી સદીના પ્રારંભ સુધી સામગ્રીને ઓછી ગંભીરતાથી લેવાઇ અને મોટાભાગે 17મી અને 18મી સદીની રાજનિતી માટેનું વાહન તરીકે તેનો ઉપયોગ થયો. આ રિચર્ડ બ્લેકમોરના મહાકાવ્યો પ્રિન્સ આર્થર (1695) અને કિંગ આર્થર (1697) જેમાં આર્થરને જેમ્સ II ના વિરુદ્ધ વિલિયમ III ના સંઘર્ષના સહાયક તરીકે રજુ કરાયો. આ જ રીતે લાગે છે કે આ બધી અવધિમાં સૌથી લોકપ્રિય આર્થરિયન વાર્તા ટોમ થમ્બ છે જેણે પહેલા ચેપબુકસના માધ્યમથી કહેવાયું અને પછી હેનરી ફિલ્ડીંગના રાજનૈતિક નાટકોના માધ્યમથી પછી ગતિવિધિ સ્પષ્ટરૂપથી આર્થરિયન બ્રિટનની રાખવામાં આવી, મજાકીય પ્રસ્તુતિ હતી અને આર્થર તેના રોમાંસના ચરિત્રના મુખ્ય રૂપથી કોમેડી સંસ્કરણના રુપમાં પ્રકટ થયો.

જહોન ડ્રાયડેનની મસ્ક્યુકિંગ આર્થર ની રજૂઆત પણ થઈ, જો કે, હેનરી પર્સેલના સંગીતને આભારી, એકલા પર જ પ્રસ્તુત થઈ.

ટેનીસન અને પુન: સ્થાપના

રાજા આર્થર 
અલ્ફ્રેડ માટે ગુસ્ટેવ ડોરના આર્થર અને મર્લીનનું ઉદાહરણ, લોર્ડ ટેનીસનના આઈડલ્સ ઓફ ધ કિંગ, 1868.

19મી સદીના આરંભમાં મધ્યકાલિન, સ્વચ્છંદતાવાદ, અને પ્રાચીન પુન:ઉદ્ધારના પ્રત્યે રસે આર્થર અને મધ્યકાલિન રોમાંસને ફરીથી જાગૃત કર્યું. 19મી સદીના સભ્યો માટે નૈતિકતાની નવી સંહિતાને આકાર આપવામાં આવ્યો જે વીરતાના આદર્શોને સંબંધિત હતી જે “ આર્થર ઓફ રોમાંસ ” માં સન્નિહિત હતી. મલોરીના લે મોર્ટે ડી'આર્થર ને ફરીથી 1634થી પહેલીવાર છાપવામાં આવી ત્યારે ફરીથી નવી થયેલી આ રુચિને પહેલા 1816માં અનુભવી. શરૂઆતના મધ્યકાલિન યુગમાં આર્થરિયન કથાઓમાં ખાસ નક્કી રૂપે કવિઓનો રસ હતો, અને પ્રેરણાદાયી હતો, ઉદાહરણરૂપે વિલિયમ વર્ડસવર્થની “ ધ ઈજીપ્શિયન મેડ ” (1835), જે પવિત્ર ગ્રેઇલનું એક રૂપ છે. જેમાં વિખ્યાત અલ્ફ્રેડ લોર્ડ ટેનીસન હતું, જેની પહેલી આર્થરિયન કવિતા “ ધ લેડી ઓફ ધ શેલોટ ” હતી, જે 1832માં પ્રકાશિત થઈ. જો કે ખુદ આર્થરે આ રચનાઓમાંથી કોઈકમાં જ નાની ભૂમિકા ભજવી છે, પછીની મધ્યકાલિન રોમાંસ પરંપરામાં ટેનીસનની આર્થરિયન રચના આઈડલ્સ ઓફ ધ કિંગ લોકપ્રિયતાના ટોચ પર પહોંચી ગઈ હતી, જેને વિકટોરિયન યુગના માટે આર્થરના જીવનની નવી પરિભાષા નવી જ રીતે કરી. પ્રથમ પ્રકાશન 1859માં થયું, એના પહેલા અઠવાડિયાની અંદર લગભગ 10,000 પુસ્તકો વહેચાય. આઈડલ્સ માં, આર્થર આદર્શ માણસાઈનું પ્રતીક બન્યા હતા, જેમનો ધ્યેય પૃથ્વી પર એક આદર્શ રાજ્યની સ્થાપના કરવાનું હતું, જે અંતમાં માણસની નબળાઈઓના કારણે નિષ્ફળ થાય છે. ટેનીસનની રચના એ મોટી સંખ્યામાં અનુસરણકર્તાઓ માટે પ્રેરણાદાયક હતું, આર્થરની કથાઓમાં લોકોની વધારે રુચિ ઉત્પન્ન કરી અને પોતાના ચરિત્રમાં અને મલોરીની વાર્તાઓને વ્યાપક દર્શકોની સામે લાવ્યા. સાચી વાત તો એ છે કે આર્થરની વાર્તાઓનું મલોરીનું મહાન સંકલન પ્રથમ વખત આધુનિકીકરણની સાથે આઈડલ્સ ના આવી જવા પછી તરત જ પ્રકાશિત થયું અને 1862માં દેખાયું, અને સદીના અંત પહેલા તો છ બીજા સંસ્કરણ અને પાંચ પ્રતિયોગી હતા.

“ આર્થર ઓફ રોમાંસ ” અને તેના સંબંધિત વાર્તાઓમાં આ પ્રકારની રુચિના સિલસિલો ચાલુ જ રહ્યો અને સમગ્ર 19મી સદી અને 20મી સદી દરમિયાન; અને વિલિયમ મોરિસ જેવા કવિઓ અને પ્રી-રાફેલાઈટ કલાકારોને પણ પ્રતિભાવિત કર્યાં, જેમાં એડવર્ડ બર્ન-જોન્સનો સમાવેશ થાય છે. મજાકીય રમુજી વાર્તા ટોમ થમ્બ, જે 18મી સદીમાં આર્થરની કથાની પ્રાથમિક અભિવ્યકિત હતી, તેણે આઈડલ્સ ના પ્રકાશન પછી પણ ફરીથી લખવામાં આવી. જ્યારે ટોમે તેના નાના આકારને જાળવી રાખ્યો અને હાસ્યની રાહતવાળા ચરિત્રને પણ તેવો જ રાખ્યો હતો, તેની વાર્તામાં હવે મધ્યકાલિન આર્થરિયન રોમાંસથી અધિક તત્વો શામિલ કરવામાં આવ્યા અને આર્થરને અધિક ગંભીરતાથી અને ઐતિહાસિક દૃષ્ટિ એ આ નવા સંસ્કરણોમાં લેવાયા. પુન: જીવન પામેલો આર્થરિયન રોમાંસ પણ સંયુકત રાજ્ય અમેરિકામાં તે જ પ્રમાણે પ્રભાવશાળી બન્યો જેવો સિડની લનિયેરની પુસ્તક ધ બોયઝ કિંગ આર્થર (1880) અને વ્યાપક પુસ્તકો સુધી પહોંચેલ અને માર્ક ટ્વેઇનના વ્યાંગાત્મક અ કનેકટીકટ યાંકી ઈન કિંગ આર્થર્સ કોર્ટ (1889)ની રચના માટે પ્રેરક બની. જો કે “ આર્થર ઓફ રોમાંસ ” કોઈક વખત નવી આર્થરિયન રચનાઓમા કેન્દ્રમાં રહ્યા (જેમ કે તે બર્ન જોન્સના ધ લાસ્ટ સ્લીપ ઓફ આર્થર ઈન એવેલોન 1881-1898), બીજા પ્રસંગોમાં તે પોતાની મધ્યકાલિન યુગ સ્થિતિમાં પાછા ફર્યા અને કયાંક તો થોડાક દેખાયા અથવા તો પૂરી રીતે ન દેખાયા, વાગ્નેરના આર્થરિયન ઓપેરામાં પછી એક ઉલ્લેખનીય ઉદાહરણ પ્રકાશિત કર્યું. આના સિવાય આર્થરમાં રુચિના પુન:ઉદ્ધાર અને આર્થરિયન વાર્તાઓ અક્ષીણરૂપે ચાલુ નહીં રહીં. 19મી સદીના અંત સુધીમાં, આ મુખ્ય રૂપથી પ્રી-રાફેલાઈટ અનુસરણકર્તાઓ સુધી સિમિત રહી અને આ પ્રથમ વિશ્વ યુદ્ધથી પ્રભાવિત થવામાં બાકાત ન રહ્યું, જે વીરતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું અને એ જ રીતે તેમની મધ્યકાલિન યુગની અભિવ્યકિતઓ અને વીરપુરષના આદર્શ ભૂમિકા તરીકે આર્થરની રૂચિને નુકસાન પહોંચાડ્યું. રોમાંસ પરંપરા ચાલુ રહી, આમ છતાં, પર્યાપ્ત રૂપથી થોમસ હાર્ડી; લોરેન્સ બિનયોન અને જોન મેસફીલ્ડને આર્થરિયન નાટકોની રચના કરવા પ્રેર્યા, અને ટી.એસ. ઈલ્યિટને સંકેત આપ્યો કે તે આર્થરના માન્યતાને લઈ કવિતા ધ વેસ્ટ લેન્ડ લખે, જેમાં તેમનો ઉલ્લેખ ફિશર કિંગ તરીકે કરે.

આધુનિક કથા

રાજા આર્થર 
આર્થર અને મોર્ડ્રેડનું યુદ્ધ, ધ બોયસ કિંગ આર્થર માટે એન.સી. વેઈથ દ્વારા ઉદાહરણ, 1922

20મી સદીના પશ્ચાત અર્ધમાં, આર્થરના રોમાંસ પરંપરાનો પ્રભાવ ઉપન્યાસોના માધ્યમથી ચાલુ રહ્યો, જેમ કે ટી એચ વ્હાઈટના ધ વંન્સ એન્ડ ફયૂચર કિંગ (1958) અને મેરિઓન ઝિમ્મેર બ્રાડલીના ધ મિસ્ટ ઓફ એવલોન (1982), એ ઉપરાંત રમુજી કથા જેમ કે પ્રિન્સ વેલિન્ટ (1937 પછી). ટેનીસને આર્થરના રોમાંસની વાર્તાઓમાં ફરીથી કામ કર્યું અને પોતાના સમય પર લાગુ પડેલ મુદ્દા અને ટિપ્પણી કરી, અને તેની સાથે આ વિષયમાં આધુનિક નજરીયો પણ અપનાવ્યો. ઉદાહરણ તરીકે, બ્રાડલીએ પોતાના વાર્તામાં આર્થર અને તેની કથાના સંબંધમાં એક નારીવાદ દૃષ્ટિકોણ અપનાવ્યો, જે આર્થરના મધ્યકાલિન યુગના વર્ણનથી વિરુદ્ધ છે, અને અમેરિકી લેખકે, સમાનતા અને લોકતંત્ર જેવા મૂલ્યો સાથે વધુ ગંભીરતાથી મોટેભાગે આર્થરની વાર્તા પર ફરીથી કામ કર્યું. રોમાંસ આર્થર ફિલ્મમાં લોકપ્રિય થઈ ગયો અને રંગમંચમાં પણ. ટી.એચ.વ્હાઈટના ઉપન્યાસ પર લેર્નર-લોઈવેના સંગીતમય નાટય }કેમલોટ (1960) અને ડિઝનીની એનીમેટેડ ફિલ્મ ધ સ્વોર્ડ ઈન ધ સ્ટોન (1963); જે પોતે કેમલોટ પર આધારિત હતુ જેમાં લાન્સલોટ અને ગુઅનેવેરના પ્રેમ સંબંધ અને પત્નીની નિષ્ઠાહિનતાના શિકાર આર્થરને કેન્દ્રિય ભૂમિકા પ્રદાન કરી, જેના પર 1967માં તેજ નામની એક ફિલ્મ બની. આર્થરની રોમાંસ પરંપરાની નજરે વિશેષ રૂપથી સ્પષ્ટ અને આલોચકોના મત અનુસાર તેને સફળતાપૂર્વક રોબર્ટ બ્રેસ્સોનની લાન્સલોટ ડુ લેક (1974) માં બતાવાયું, એરિક રોહમેરના પરસેવલ લે ગેલ્લોઈસ (1978) અને સંભવત: જોન બુરમનની ફેન્ટસી ફિલ્મ એકસકેલિબર (1981) માં કરાયું; આ આર્થરિયન હાસ્ય મોંટી પાયથન એન્ડ ધ હોલી ગ્રેઇલ નો મુખ્ય સ્ત્રોત પણ છે.

રોમાંસ પરંપરાના પુર્નપાઠ અને પુર્નકલ્પના જ કિંગ આર્થરની આધુનિક કથાનું મહત્વપૂર્ણ ભાગ નથી. આર્થરનો એક વાસ્તવિક ઐતિહાસિક ચિત્રણ કરવાની કોશિશ છે; સી  500 એડીથી ચાલી રહ્યો છે અને જે “ રોમાંસ ” થી અલગ તરી આવ્યો છે. જેમ કે ટેલર અને બ્રેવરે ઉલ્લેખ કર્યો છે, આ મોનમાઉથના જીઓફ્રી અને હિસ્ટોરીયા બ્રિટ્ટાનોમ ની મધ્યકાલિન “ ક્રોનિકલ પરંપરા ” ની આ વાપસી બીજા વિશ્વયુદ્ધના ફેલાયા પછી હમણાંની જ એક પ્રવૃત્તિ બની ગઈ, થોડાક વર્ષોમાં આર્થરિયન સાહિત્ય પ્રભાવી થઈ ગયો, જ્યારે આર્થરની દંતકથાઓ બ્રિટનમાં જર્મનના આક્રમણકારો સામે અવરોધાયેલા રહ્યા. કલેમેન્સ ડેનના રેડિયો નાટકોની શૃંખલા, ધ સેવિયર્સ (1942) એ ઐતિહાસિક આર્થરને બેતાબ બાધાઓ ન હોવા છતાં વીરતાપૂર્ણ પ્રતિરોધ કરતા દેખાયા, અને રોબર્ટ શેરિફ્ફનું નાટક ધ લોંગ સનસેટ (1955) આર્થર એ જર્મન આક્રમણકારોની સામે રોમાનો-બ્રિટીશ સાથે મળીને પ્રતિરોધ કરે છે. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આર્થરને રાખવાની આ પ્રવૃત્તિ આ અવધિના દરમિયાન પ્રકાશિત ઐતિહાસિક અને ફેન્ટસી ઉપન્યાસોમાં પણ સ્પષ્ટપણે નજરે પડે છે. તાજેતરના વર્ષોમાં, 5મી સદીના એક અસલી નાયક તરીકે આર્થરના ચિત્રણની આર્થરિયન દંતકથાના ફિલ્મી સંસ્કરણોમાં પોતાનો રસ્તો બનાવ્યો અને જેમાં સૌથી વધુ ઉલ્લેખનીય કિંગ આર્થર (2004) અને ધ લાસ્ટ લિજન (2007) છે.

આર્થરનો આધુનિક જીવનના વ્યવહાર માટે પણ એક આદર્શના રૂપમાં ઉપયોગ કરાયો. 1930ના દશકમાં, ઈસાઈ આદર્શો અને મધ્યકાલિન શિષ્ટતાના આર્થરિયન વિચારોને પ્રોત્સાહન આપવામાં બ્રિટનમાં નાઇટ્સ ઓફ ધ રાઉન્ડ ટેબલને ફેલોશીપને બનાવવામાં આવ્યું. યુનાઇટેડ સ્ટેટ્સમાં, હજારો છોકરાઓ અને છોકરીઓ આર્થરિયન યુવા સમૂહોમાં જોડાયા, જેમ કે નાઈન્ટસ ઓફ કિંગ આર્થર, જેમાં આર્થરની કથાઓને શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જો કે, આર્થરનો પ્રસાર સમકાલીન સંસ્કૃતિના એવા આર્થરિયન પ્રયાસોથી પર ચાલ્યો, આર્થરિયન નામ નિયમિત રૂપથી વસ્તુઓ, ઈમારતો અને સ્થાનો સાથે જોડાવા લાગ્યું. જેમ કે નોરિસ જે. લેસીએ જોયું, “ આર્થરની લોકપ્રિયતાની ધારણા સિમિતિ દેખાય છે, એ કોઈ આશ્ચર્યની વાત નથી કે તે કોઈક રૂપાંકનો અને નામો માટે લગાવાયા, પણ એમાં કોઈ શકની વાત નથી કે તે કેટલી હદ સુધી કેટલી સદીઓ પહેલા જન્મ લેવાવાળી એક કિંવદંતી હતી જે પ્રથમ તો ઊંડાણના સ્તર પર આધુનિક સંસ્કૃતિથી અંત:સ્થાપિત થઈ ગઈ છે. ”

આ પણ જોશો

  • કિંગ આર્થરનો પરિવાર
  • કિંગ આર્થરની ચમત્કારિત વાપસી
  • કિંગ આર્થરના ઓજારો
  • નવ યોગ્ય વ્યકિતઓ, જેમાંથી એક આર્થર હતો
  • આર્થરિયન પાત્રોની યાદી
  • કિંગ આર્થર સંબંધિત પુસ્તકોની યાદી
  • આર્થરિયન કથા પર આધારિત ફિલ્મોની યાદી
  • કિંગ આર્થરનો ઐતિહાસિક આધાર

નોંધો

સંદર્ભો

બાહ્ય કડીઓ

પુરોગામી
Uther Pendragon
Legendary British Kings અનુગામી
Constantine III

ઢાંચો:Arthurian Legend ઢાંચો:Celtic mythology (Welsh)

Tags:

રાજા આર્થર વિવાદિત ઐતિહાસિકતારાજા આર્થર નામરાજા આર્થર મધ્યકાલિન સાહિત્ય પરંપરાઓરાજા આર્થર પતન, પુન: ઉદ્ધાર અને આધુનિક ગાથારાજા આર્થર આ પણ જોશોરાજા આર્થર નોંધોરાજા આર્થર સંદર્ભોરાજા આર્થર બાહ્ય કડીઓરાજા આર્થર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મદનલાલ ધિંગરાગુજરાતી સામયિકોફુગાવોભારતનું સર્વોચ્ચ ન્યાયાલયભગત સિંહગૌતમ બુદ્ધપાટણ જિલ્લોચંદ્રગુપ્ત મૌર્યમહેન્દ્ર સિંઘ ધોનીકેન્દ્રશાસિત પ્રદેશગિરનારશામળાજીબારડોલી સત્યાગ્રહલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)આંગણવાડીગોળ ગધેડાનો મેળોરાજસ્થાનીમોરબીદિલ્હીઓસમાણ મીરસલામત મૈથુનસમાનાર્થી શબ્દોજયંતિ દલાલદશરથદેવાયત પંડિતવાયુનું પ્રદૂષણસંસદ ભવનઅમૂલમુકેશ અંબાણીસીમા સુરક્ષા દળલોથલમુંબઈભારતીય ચૂંટણી પંચકેરીરોગહરડેગાંધી આશ્રમપંચમહાલ જિલ્લોમણિશંકર રત્નજી ભટ્ટજવાહરલાલ નેહરુનિર્મલા સીતારામનરાહુલ ગાંધીપારસીસવાઇ માનસિંહ સ્ટેડિયમસુશ્રુતઆતંકવાદવિક્રમ ઠાકોરજીરુંસામાજિક ક્રિયાભાષાસ્વચ્છતાસુરેન્દ્રનગર જિલ્લોમોરસૂર્યમંડળનરેન્દ્ર મોદીશેત્રુંજયવિદ્યાગૌરી નીલકંઠપર્યાવરણીય શિક્ષણનર્મદા બચાવો આંદોલનમિનેપોલિસભારતના રાજ્ય વૃક્ષોની યાદીલોકનૃત્યહિંમતનગરજ્યોતીન્દ્ર દવેભારતના ચારધામજુનાગઢઆદિ શંકરાચાર્યખંડકાવ્યરમઝાનનક્ષત્રશ્રીનિવાસ રામાનુજનકૃષ્ણકુમારસિંહ ગોહીલપશ્ચિમ બંગાળગેની ઠાકોરમુઘલ સામ્રાજ્યહિમાલય🡆 More