જાદવપુર યુનિવર્સિટી (જેયુ ) (હિન્દી: जादवपुर विश्वविद्यालय) (બંગાળી: যাদবপুর বিশ্ববিদ্যালয়) એ ભારતમાં એક શૈક્ષણિક અને સંશોધન સંસ્થા છે.
તે કોલકતા, પશ્ચિમ બંગાળમાં આવેલ છે અને તેના બે કેમપ્સ છે - જાદવપુર ખાતે મુખ્ય કેમ્પસ અને સોલ્ટ લેક ખાતે નવું કેમ્પસ. જાદવપુર યુનિવર્સિટી અગ્રણી સંશોધન સંસ્થાઓ, જેમ કે ઇન્ડિયન એસોશિયેશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી અને સેન્ટઅલ ગ્લાસ એન્ડ સેરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે નજીકથી સંલગ્ન છે.
Jadavpur University Logo | |
પ્રકાર | Public |
---|---|
સ્થાપના | 1955 |
કુલપતિ | H.E. The Governor of West Bengal |
ઉપકુલપતિ | Professor Pradip Narayan Ghosh |
શૈક્ષણિક સ્ટાફ | 850 (approx) |
સ્નાતક વિદ્યાર્થીઓ | 5000 (approx) |
અનુસ્નાતક વિદ્યાર્થીઓ | 4000 (approx) |
સ્થાન | Kolkata, West Bengal, India |
કેમ્પસ | Jadavpur (Urban; 58 acres) and Salt Lake (Suburban; 26 acres) |
એથ્લેટિક નામ | JU |
વેબસાઇટ | Jadavpur.edu |
જેયુ, ભારતમાં એક ટોચની ઇજનેરી સંસ્થાઓમાંની એક માનવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન એ તેને "શ્રેષ્ઠતાની સંભાવ્યતા" સાથેની દેશની યુનિવર્સિટીઓ પૈકીની એક નિર્દેશિત કરેલી છે. વધારામાં, જાદવપુર યુનિવર્સિટીને, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલદ્વારા બે વખત, ભારતમાં "ફાઇવ સ્ટાર યુનિવર્સિટી" તરીકે ક્રમાંકિત કરવામાં આવી છે.
બ્રિટિશ શાસનના સમયમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન (એનસીઇ)ની સ્થાપના ઇ. સ. ૧૯૦૬માં રાષ્ટ્રિય કક્ષાએ સાહિત્યિક, વૈજ્ઞાનિક અને તકનીકી શિક્ષણ આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષ બંગાળના ઇતિહાસ માટે અગત્યનું હતું કેમ કે ત્યારે જ બંગાળ પ્રોવિન્સના લોર્ડ કર્ઝન, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા એક તરફ પૂર્વ બંગાળ (તે વિસ્તાર જે છેવટે ઇ. સ. ૧૯૭૧માં બનવાનો હતો બાંગ્લાદેશ) અને બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભાગલા કર્યા હતા. ઇ. સ. ૧૯૦૬માં, બંગાળી બુદ્ધજીવીઓના એક જૂથે (જેમાં સામેલ હતા, રબિન્દ્રનાથ ટાગોર, ઓરોબિન્દો ઘોષ, રાજા સુબોધ ચન્દ્ર મલિક અને બ્રજેન્દ્ર કિશોર રોયચૌધરી) નક્કી કર્યું કે તેઓ બંગાળના વિભાજનનો વિરોધ કરશે અને એક એવી સંસ્થા બનાવીને કે જે લોકોને ’રાષ્ટ્રિય ધોરણે અને રાષ્ટ્રિય નિયંત્રણ હેઠળ’ શિક્ષણ આપીને બ્રિટિશ શાસનને પડકાર આપશે. એનસીઇ તેના પ્રથમ અધ્યક્ષ રાસબિહારી ધોષના વડપણ હેઠળ સ્થાપિત થઇ હતી.
લગભગ તે જ દિવસે એક વિરોધી સંગઠન, ધ સોસાયટી ફોર પ્રમોશન ઓફ ટેકનીકલ એજ્યુકેશન ઇન બેંગોલ, તારાકાન્ત પાલિત, દ્વારા શરુ કરવામાં આવી અને તેના હેઠળ પચ્ચીસમી જુલાઇ, ૧૯૦૬ના રોજ બેંગોલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. આ બંને સંસ્થાઓ પરસ્પર કેટલાંક વર્ષો સુધી લડયા પછી એસપીટીઇને એનસીઇ સાથે ઇ. સ. ૧૯૧૦માં ભેગી કરી દેવામાં આવી અને બેંગોલ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તેઓના હાથમાં આવી. ઇ. સ. ૧૯૨૧માં તે ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં કેમિકલ એન્જિનિયરિંગને અભ્યાસક્રમ તરીકે રજૂ કરનાર પ્રથમ શિક્ષણ સંસ્થા હતી. ઇ. સ. ૧૯૪૦ સુધીમાં, ઇન્સ્ટિટ્યૂટ પરોક્ષ રીતે એક સ્વતંત્ર યુનિવર્સિટી તરીકે કામ કરતી થઇ ગઇ હતી અને ઇ. સ. ૧૯૪૭માં ભારત દેશને આઝાદી મળ્યા પછી, વેસ્ટ બેંગાલ સ્ટેટ લેજીસલેચર એ, ભારત સરકારની સંમતિથી, ઇન્સ્ટિટ્યૂટને ( ચોવીસમી ડિસેમ્બર, ૧૯૫૫) થી સંપૂર્ણ સ્વાયતતા સાથે જાદવપુર યુનિવર્સિટીમાં તબદીલ કરવા માટે ૧૯૫૫નો જાદવપુર યુનિવર્સિટી નિયમ બનાવ્યો. તે દિવસથી આજદિન સુધી યુનિવર્સિટીએ તે તારીખને તેના કેલેન્ડરમાં કોન્વોકેશન દિવસ તરીકે ઉજવ્યો છે.
યુનિવર્સિટીનું ચિહ્ન એક ત્રણ-આગવાલું ફાનસ છે જે કમળના પત્તાઓથી ઘેરાયેલું છે. ફાનસ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રણ આગ - બૌદ્ધિક તાલીમ, લાગણીઓ અને વિચારશક્તિની રચના અને તત્ત્વજ્ઞાનના વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. બાહ્ય સિમા પર કમળના પત્તાઓ ફાઇન આર્ટ્સ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ચિહ્નની ડિઝાઇન સ્વ. નંદલાલ બોસે કરી હતી, જેઓ બેંગોલ સ્કુલ ઓફ આર્ટના અગત્યના સભ્ય હતા, જે શાંતિનિકેતનમાં રબિન્દ્રનાથ ટાગોરની વિશ્વા-ભારતી યુનિવર્સિટીના કલા ભવનના પણ એક શ્રેષ્ઠ માસ્ટર હતા. જ્યારે ડિસેમ્બર 24, 2005 ના રોજ યુનિવર્સિટીએ તેની સુવર્ણજયંતિ ઉજવી ત્યારે, તે પ્રસંગે એક ખાસ ચિહ્ન (ઉપર જુઓ) બનાવવામાં આવ્યું હતું, અને હેતુ "જાણવું એ વધવું છે’ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ તારીખ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનની શતાબ્દી પણ હતી.
જાદવપુર યુનિવર્સિટી બે અદ્યતન કેપસોમાંથી સંચાલન કરે છે, એક જાદવપુરમાં(58 એકર) અને બીજું સોલ્ટ લેકમાં (26 એકર). તેણે તાજેતરમાં જાદવપુરમાં એક બંધ થયેલ સીએસઆઇઆર (CSIR) નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હાંસિલ કર્યું, જે કરનાર તે ભારતની પ્રથમ યુનિવર્સિટી બની. જાદવપુરના મુખ્ય કેમ્પ્સમાં મોટાભાગની ત્રણ ફેકલટીઓના વિભાગો આવેલાં છે - એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્ટ્સ જેના અતિતિક્ત છે જાદવપુર યુનિવર્સિટી કેન્દ્રિય લાયબ્રેરી અને બ્લુ અર્થ વર્કશોપ. સોલ્ટ લેક કેમ્પસમાંથી પાંચ એન્જિનિયરિંગ વિભાગો કાર્યરત છે. સોલ્ટ લેક કેમ્પસનું મુખ્ય ગ્રાઉન્ડ, ક્રિકેટ એસોસિયેશન ઓફ બેંગોલને ભાડે આપવામાં આવ્યું છે અને તે ઘણીવાર આંતર રાજ્ય અને આંતરિક રાજ્ય ક્રિકેટ મેચોનું યજમાન થાય છે. નવું નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું કેમપ્સ ખૂબ જરૂરી એવી નવી લેબોરેટરીઓની જ્ગ્યાઓમાં ઉમેરો કરશે તેવી અપેક્ષાઓ છે ખાસ કરીને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ અને કોપ્મ્યૂટર એન્જિનિયરિંગ વિભાગોંમાં.
હાલમાં, જાદવપુર યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીમાં તબદીલ કરવા માટે વિચારણા થઇ છે.
જાદવપુર યુનિવર્સિટી પ્રાથમિક ધોરણે એકમ ધરાવતી યુનિવર્સિટી છે જેમાં એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્ટ્સ ફેકલટીઓ છે. જોકે કેટલીક તદવીદ સંસ્થાઓ તેની સાથે સંકળાયેલી છે જેમ કે:
જેયુમાં દાખલો સ્પર્ધાત્મક છે, ખાસ કરીને એન્જિનિયરિંગ કોર્સો માટે. પૂર્વસ્નાતક વિદ્યાર્થીઓ ડબલ્યુબીજેઇઇ દ્વારા દાખલ કરવામાં આવે છે જે સમગ્ર ભારતભરના વિદ્યાર્થીઓ માટેની દાખલ થવાની પરિક્ષા છે. જેયુમાં કોઇ ડોમિસાઇલ કોટા નથી. અનુસ્નાતક વિદ્યાર્થીઓને જીએઅટીઇ દ્વારા દાખલ કરવામાં આવે છે.
જ્યારે આઇઆઇટીઓ સિવાયની ભારતની મોટાભગની ઇજનેરી કોલેજો પૂર્વસ્નાતક શિક્ષણ પર ભાર આપે છે, જાદવપુર યુનિવર્સિટી ભારતભરમાં પ્રાથમિક ધોરણે તેની સંશોધનની પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે, અને તેની ઇન્જિનિયરિંગ ફેકલ્ટીને સમગ્ર ભારતમાં સંશોધન આઉટપૂટમાં 6 નંબરનો ક્રમ મળ્યો હતો.
કેટલાંક અન્ય ક્રમાંકનો નીચે મુજબ આપ્યા છે:
નોંધપાત્ર શિક્ષકો
સુબિર રાહા સુપ્રસિદ્ધ વ્યાપાર અગ્રણી જેને ખાસ કરીને ભારતીય તેલ ક્ષેત્રમાં અને સામાન્ય ધોરણે જાહેર ક્ષેત્રમાં પોતાની છાપ છોડી હતી અને ઓએનજીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને એમડી.
કબિર સુમન (પહેલાં સુમન ચટ્ટોપાધ્યાય) નવીન કક્ષાના બંગાળી ગાયક-કપોસર-ગીત લેખક, લોક સભાના ત્રિણમુલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ.
રિતુપર્નો ઘોષ ઘણાં બધા રાષ્ટ્રિય પોરસ્કાર વિજેતા ફિલ્મોના નિર્દેશક, સંવાદ- અને પટકથા-લેખક.
મૌસમી ભૌમિક બંગાળી ગાયક-કમ્પોસર- ગીત લેખક અને એથ્નો-મ્યુસિકોલોજીસ્ટ.
સોહિની હલ્દર અગ્રણી બંગાળી સ્ટેજ અભિનેત્રી અને રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા ફિલ્મ અભિનેત્રી.
પરાંઇતા મોન્ડલ, અરબાના-ચેમ્પેઇન ખાતે યુનિવર્સિટી ઓફ ઇલિએનોઇસ, યુએસએ ખાતે સહાયક પ્રોફેસર .
કુણાલ બાસુ નવલકથાકાર અને સેઇડ બિઝનેસ સ્કુલ ખાતે પ્રોફેસર.
સિદ્ધાર્થ દત્તા પ્રો વાઇસ-ચાન્સેલર જાદવપુર યુનિવર્સિટી.
ચિરંજિબ ભટ્ટાચારજી કેમિકલ ઇનજેરીના પ્રોફેસર જાદવપુર યુનિવર્સિટી.
દેબાશિર સરકાર અધ્યાપક, કેમિકલ ઇજનેરી વિભાગ યુનિવર્સિટી ઓફ કલકત્તા.
પાયલ સરકાર બંગાળી અભિનેત્રીએ તેની સ્નાતક પદવી જાદવપુર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાંથી કરી હતી.
ઢાંચો:Kolkata topics ઢાંચો:Universities in West Bengal
એજ્યુકેટી
This article uses material from the Wikipedia ગુજરાતી article જાદવપુર યુનિવર્સિટી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.