ઓખામંડળ સ્ટેટ રેલ્વે એ ૧,૦૦૦ મિ.મી.
(૩ ફૂટ ૩ ૩⁄૮ ઈંચ) નો ગેજ ધરાવતી ઓખામંડળની ૧૯મી સદીની રેલ્વે હતી. આ રેલ્વે ૩૭ માઈલ (૬૦ કિ.મી.) જેટલી લાંબી હતી.
સ્થાન | ગુજરાત |
---|---|
કાર્યકાળ | ૧૯૧૩–૧૯૪૮ |
ઉત્તરગામી | સૌરાષ્ટ્ર રેલ્વે, પશ્ચિમ રેલ્વે |
ગેજ | ૧,૦૦૦ mm (3 ft 3 3⁄8 in) metre gauge |
મુખ્ય મથક | ઓખા (તા. દ્વારકા) |
આ રેલ્વેને ઓખામંડળ રજવાડાના ખર્ચે બાંધવામાં આવી હતી. કુરંગા અને અર્થારા વચ્ચેની લાઈનને ૧૯૧૩માં પરવાનગી મળી ગઈ હતી. પરંતુ પ્રથમ વિશ્વ વિગ્રહને લીધે ૧૯૧૮ સુધી આ લાઈન પર કાર્ય શરૂ થયું ન હતું.
ઈ.સ. ૧૯૨૧માં ગાયકવાડસ્ બરોડા સ્ટેટ રેલ્વે (GBSR)એ ઓખામંડળ રેલ્વેના વ્યવસ્થાપનનું કાર્ય હાથમાં લીધું. ૧૯૨૨માં કુરંગા ઓખા રેલ્વે શાખા ખુલ્લી મુકવામાં આવી અને તેને ઓખા પોર્ટ ટ્રસ્ટ રેલ્વે સાથે જોડી દેવામાં આવી.
ઈ.સ. ૧૯૨૩માં ઓખામંડળ રેલ્વેનું સંચાલન અને વ્યવસ્થાપન જામનગર એન્ડ દ્વારકા રેલ્વેને સોંપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રજવાડાઓની વિવિધ રેલ્વે સેવાઓને વિલિન કરીને ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રેલ્વેની સ્થાપના કરવામાં આવી. તે સાથે આ રેલ્વેને પણ સૌરાષ્ટ્ર રેલ્વેમાં વિલિન કરી દેવામાં આવી.
This article uses material from the Wikipedia ગુજરાતી article ઓખા મંડળ સ્ટેટ રેલ્વે, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.