રજનીબાળા એ પંજાબી મૂળ ધરાવતી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી હતી.
તેમનું મૂળ વતન અમૃતસર, પંજાબ હતું. પિતા સાથે જામનગર આવીને વસવાટ કરનાર રજનીબાળાએ ગુજરાતના "માઉસ ટ્રેપ" ગણાતા એવા "પ્રિત પિયુને પાનેતર"ના ૮૦૦૦ શોમાંથી ૨૫૦થી વધુ શોમાં અભિનય આપ્યો હતો.
રજનીબાળા | |
---|---|
મૃત્યુ | ૬ ડિસેમ્બર ૨૦૧૦ |
વ્યવસાય | અભિનેતા |
રજનીબાળા પંજાબી હોવા છતાં તેમની જીભમાં ગુજરાતી ભાષા એટલી હદે વણાઈ ગઈ હતી કે કાઠીયાવાડી લહેકામાં તેમની અને રમેશ મહેતાની જોડી એક જમાનાની નંબર-૧ જોડી બની ગઈ હતી. ગુજરાતી ફિલ્મામાં વિદુષીના રોલમાં જાણીતી કલાકાર મંજરી દેસાઈના મૃત્યુ પછી રજનીબાળાએ આ સ્થાન મેળવ્યું હતું. તેમની છેલ્લી ક્ષણોમાં તેમના મોટા બહેન રાજકુમારી તેમની સાથે રહ્યા હતા. તેઓ તેમના પતિ મોહન શર્મા સાથે મુંબઈ રહેતા હતા અને ૬ ડિસેમ્બર, ૨૦૧૦માં તેમનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article રજનીબાળા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.