માલપુર રાજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું.
તેનું કેન્દ્ર માલપુર નગર હતું,જે અત્યારે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવે છે.
માલપુર રજવાડું માલપુર | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટીશ ભારત | |||||||
૧૪૬૬–૧૯૪૩ | |||||||
Flag | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 251.23 km2 (97.00 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 13552 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૪૬૬ | ||||||
• બરોડા રાજ્યમાં જોડાણ | ૧૯૪૩ | ||||||
|
માલપુર રજવાડાની સ્થાપના ૧૪૬૬માં થઈ હતી, પરંતુ તેના પ્રારંભિક ઇતિહાસ વિશે ખુબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. રાવલ દિપસિંહજી સેઓસિંહજીએ ૧૨ એપ્રિલ ૧૮૮૨ના રોજ ગાદી સાંભળી હતી.
ડિસેમ્બર ૧૯૪૩માં જોડાણ યોજના હેઠળ માલપુર રજવાડાને બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. છેલ્લા શાસક રાવલ ગંભીરસિંહજી હિમંતસિંહજી હતા, તેઓનો જન્મ ૨૭ ઓક્ટોબર, ૧૯૧૪માં થયો હતો અને તેમણે ૨૩ જૂન, ૧૯૨૩ના રોજ રાજગાદી પર બેઠા હતા. તેમણે સ્કોટ કૉલેજ, સદ્રા અને મેયો કૉલેજ, અજમેરમાં શિક્ષણ મેળવ્યું હતું. રાવલ ગંભીરસિંહજીએ ખંડેલાના રાજા પ્રતાપસિંહની મોટી પુત્રી નંદ કંવર સાથે લગ્ન કર્યા હતા. ભારતમાં જોડાવાની પ્રક્રિયા સક્રિય હતી, તે દરમિયાન ૧૯૪૭ સુધી નામમાત્રનું શાસન કર્યું હતું. છેવટે બરોડા રાજ્યએ ૧ મે ૧૯૪૯ના રોજ ભારતીય સંઘને મંજૂરી આપી.
માલપુર રાજ્યના શાસકો રાઓલનું બિરુદ ધરાવતા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article માલપુર રજવાડું, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.