બાલાસિનોર રજવાડું બ્રિટીશ શાસન દરમિયાન બાલાસિનોરમાં આવેલું એક દેશી રજવાડું હતું.
તેની સ્થાપના સરદાર મોહમ્મદખાન બાબીએ કરી હતી. બાલાસિનોરના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં જોડાવા માટે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા. તેના શાસકો બાબી અથવા બબાઇ (પશ્તૂન જનજાતિ) કુટુંબના હતા. રાજ્યની સ્થાપના જાણીતી અભિનેત્રી પરવીન બાબીથી સંબંધિત જૂનાગઢના બાબી શાસકો દ્વારા કરવામાં આવી હતી.
બાલાસિનોર સ્ટેટની સ્થાપના ૨૮ સપ્ટેમ્બર ૧૭૫૮ના રોજ મોગલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતના અંતિમ નાયબ ગવર્નરના પરિવાર સાથે સંકળાયેલા પખ્તુન શાસક સરદાર મોહમ્મદખાન બાબી દ્વારા કરવામાં આવી હતી. શાસકો નવાબ બાબી તરીકે ઓળખાતા હતા. તે બોમ્બે પ્રેસિડેન્સી સંલગ્ન રેવા કાંઠા એજન્સીનું ૯ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. અંતિમ બાબી નવાબ હિઝ હાઇનેસ નવાબ મુહમ્મદ સલાબત ખાનજી દ્વિતીય હતા, જેમનું ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અવસાન થયું હતું.[સંદર્ભ આપો] નવાબ મુહમ્મદ સલાબત ખાનજી દ્વિતીયના વારસ અને પુત્ર નવાબઝાદા સુલતાન સલાઉદ્દીન ખાનબાબીનો જન્મ ૧૯૭૯માં થયો હતો. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ માંથી શિક્ષિણ મેળવ્યું હતું.
73°20′E / 22.95°N 73.33°E
This article uses material from the Wikipedia ગુજરાતી article બાલાસિનોર રજવાડું, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.