છાણીયું ખાતર એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી અથવા ઓર્ગેનીક ખેતી કહેવામાં આવે છે.
છાણીયું ખાતર બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢૌ અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે. આ ખાડાની ઉપર ખાટી છાશ છાંટવાથી ખાતરની ગુણવત્તા વધે છે, એવી માન્યતા પણ કેટલાક ખેડૂતોમાં પ્રવર્તે છે.
ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ. અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો. આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article છાણીયું ખાતર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.