શ્રીરામચરિતમાનસ: તુલસીદાસકૃત રામાયણ

શ્રીરામચરિતમાનસ અવધી ભાષામાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદીમાં રચાયેલ એક મહાકાવ્ય છે.

જેમાં ભગવાન રામનું જીવનચરિત્ર અવધી ભાષામાં ચોપાઈ સ્વરૂપે આલેખવામાં આવ્યું છે. શ્રીરામ ચરિત માનસનું ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારતમાં રામાયણના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.

શ્રીરામચરિતમાનસ
શ્રીરામચરિતમાનસ: રચના, અધ્યાય, વિષય વસ્તુ
શ્રીરામચરિતમાનસનું મુખપૃષ્ઠ
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકતુલસીદાસ
ભાષાઅવધી
શ્લોકો૧૦૦૦૦

રચના

શ્રીરામ ચરિત માનસ ૧૫મી શતાબ્દીના કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. જેમ કે તુલસીદાસ એ શ્રીરામચરિત માનસ ના બાલકાણ્ડમાં સ્વયં લખ્યુ છે કે એમણે શ્રીરામચરિત માનસની રચના નો આરંભ અયોધ્યા માં વિક્રમ સંવત ૧૬૩૧ (ઇ.સ. ૧૫૭૪)ની રામનવમી ના દિવસે કર્યો હતો. ગીતાપ્રેસ ગોરખપુરના શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર અનુસાર રામચરિતમાનસ લખવામાં તુલસીદાસ ને ૨ વર્ષ ૭ મહિના ૨૬ દિવસ નો સમય લાગ્યો હતો. તેમણે આ રચના સંવત્ ૧૬૩૩ (ઇ.સ. ૧૫૭૬)ના માર્ગશીર્ષ શુક્લપક્ષ ના રામવિવાહના દિવસે પૂરી કરી હતી. આ મહાકાવ્યની ભાષા અવધી એ હિંદીની એક શાખા છે. રામચરિતમાનસ ને હિંદી સાહિત્યની એક મહાન કૃતિ મનાય છે. શ્રીરામ ચરિતમાનસને સામાન્ય રીતે તુલસી રામાયણ કે તુલસી કૃત રામાયણ પણ કહેવાય છે.

શ્રીરામચરિત માનસમાં શ્રીરામને ભગવાન વિષ્ણુના અવતારના રૂપમાં દર્શાવ્યા છે, જ્યારે મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણમાં શ્રી રામને એક માનવના રૂપમાં દેખાડ્યા છે. તુલસીના પ્રભુ રામ સર્વશક્તિમાન હોવા છતાં મર્યાદા પુરુષોત્તમ છે. શરદ નવરાત્રિમાં આના સુન્દર કાણ્ડનુ પઠન પુરા નવ દિવસ થાય છે.

અધ્યાય

રામચરિતમાનસ ને તુલસીદાસે સાત કાણ્ડોં મા વિભક્ત કરેલ છે. આ સાત કાણ્ડોં ના નામ છે - બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ, અરણયકાણ્ડ, કિષ્કિન્ધાકાણ્ડ, સુન્દરકાણ્ડ, લંકાકાણ્ડ અને ઉત્તરકાણ્ડ. છંદો ની સંખ્યા અનુસાર અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ અનુક્રમે સૌથી મોટો અને નાનો કાણ્ડ છે. તુલસીદાસ એ રામચરિતમાનસ મા હિંદી ના અલંકારો ( વિશેષ કરીને અનુપ્રાસ અલંકાર) નો ખૂબ જ સુંદર પ્રયોગ કરેલ છે.

  1. બાલકાણ્ડ
  2. અયોધ્યા કાણ્ડ
  3. અરણ્ય કાણ્ડ
  4. કિષ્કિન્ધા કાણ્ડ
  5. સુન્દર કાણ્ડ
  6. લંકા કાણ્ડ
  7. ઉત્તર કાંડ

વિષય વસ્તુ

રામચરિતમાનસના પ્રારંભમાં જ તુલસીદાસે રામકથાના ઉદગમની વાત કરી છે. એમણે કહ્યું છે કે મૂળમાં આ કથા શંકર ભગવાને પાર્વતીને કહી છે. પછી યાજ્ઞવલ્કયએ ભારદ્વાજને સંભળાવી છે. તે પછી કાકભુશુંડીએ ગરુડને એની એ જ કથા કહી સંભળાવી હતી. તુલસીદાસે લખ્યું છે કે રામના અનેક પ્રકારના અવતારો થયા છે અને હજી સુધી સહસ્ર પ્રકારની રામાયણો લખાઈ છે. છતાંય તુલસીદાસે રામચરિતમાનસના કથાનકને જટિલતાથી મુક્ત રાખ્યું છે. રામની આ વિસ્તૃત કથા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચાલ્યા કરે છે. તેની સાથે સાથે અનેક કથા-તંતુઓ ગરુડ અને કાકભુશુંડીનો સંવાદ, ‘શિવ-ચરિત્ર’, ‘શિવ-પાર્વતી સંવાદ’ યાજ્ઞવલક્ય-ભારદ્વાજ વગેરે સંવાદ વણી લેવામાં આવ્યા છે.

કલાદૃષ્ટિએ આ એક ઉત્કૃષ્ટ મહાકાવ્ય ગણાયું છે. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં પ્રબંધ કૃતિ માટે સર્ગબદ્ધ કથા હોવી, ઉચ્ચ કુળનો ધીરોદાત્ત નાયક હોવો, શૃંગાર, શાંત તથા વીરરસમાંથી કોઈ એક રસનું અંગી રસ તરીકે હોવું અને અન્ય રસોનું અંગ ભાવથી હોવું, સુન્દર વર્ણન-યોજના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વિસ્તૃત વિશ્ર્લેષણ હોવું જરૂરી છે, તો પાશ્ર્ચાત્ય સાહિત્યશાસ્ત્રમાં જેને epic કહેવામાં આવે છે તેનાં લક્ષણો હોવાં જરૂરી છે. એ રીતે અતીત સાથેનો કથાતંતુ અહીં છે. વિશ્વની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓમાં ‘રામચરિતમાનસ’ને મહત્વનું સ્થાન છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

શ્રીરામચરિતમાનસ રચનાશ્રીરામચરિતમાનસ અધ્યાયશ્રીરામચરિતમાનસ વિષય વસ્તુશ્રીરામચરિતમાનસ સંદર્ભશ્રીરામચરિતમાનસ બાહ્ય કડીઓશ્રીરામચરિતમાનસઅવધી ભાષાગોસ્વામી તુલસીદાસરામરામાયણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માટીકામવૈશ્વિક આબોહવા પરિવર્તનસરિતા ગાયકવાડજામનગરકાલિદાસપાણીપતનું પહેલું યુદ્ધતારક મેહતા કા ઉલ્ટા ચશ્માગુજરાતી લિપિદિલ્હીવાઘેલા વંશભૂસ્ખલનજૈન ધર્મદાસી જીવણખેતીમહંત સ્વામી મહારાજપશુપાલનત્રિપિટકમનુભાઈ પંચોળીનાગલીવડોદરા રાજ્યગુજરાતી ફિલ્મોની યાદીઅમરેલી જિલ્લોમોરનર્મદવેણીભાઈ પુરોહિતપરશુરામભારતના ભાગલાપરબધામ (તા. ભેંસાણ)જોગીદાસ ખુમાણભારતગેની ઠાકોરસ્વાદુપિંડપ્રીટિ ઝિન્ટામાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ચોટીલાઉપેન્દ્ર ત્રિવેદીદિપડોયુટ્યુબધોળાવીરાસામાજિક ન્યાયશિક્ષણનું સમાજશાસ્ત્રહિમાંશી શેલતપોંગલમોહનલાલ પંડ્યાદાંડી સત્યાગ્રહવિકિકોશઅયોધ્યાહસ્તમૈથુનફુગાવોગુજરાતના લોકમેળાઓબિન્દુસારદુર્ગારામ મહેતાજીવેબેક મશિનસામાજિક વિજ્ઞાનસંયુક્ત આરબ અમીરાતનરેન્દ્ર મોદીઅવિભાજ્ય સંખ્યાનિકોબાર ટાપુઓઓખાહરણલાખમોરબી જિલ્લોકરીના કપૂરરાષ્ટ્રવાદસચિન તેંડુલકરસાપત્રેતાયુગબચેન્દ્રી પાલમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાવશઘોડોચંદ્રશેખર આઝાદકોળીસારનાથવીર્યમિથુન રાશીકે. કા. શાસ્ત્રી🡆 More