રાજેન્દ્ર પ્રસાદ: ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ

ડૉ.

રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.

રાજેન્દ્ર પ્રસાદ
રાજેન્દ્ર પ્રસાદ: ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ૧૯૫૮
ભારતના ૧લા રાષ્ટ્રપતિ
પદ પર
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ – ૧૩ મે ૧૯૬૨
પ્રધાન મંત્રીજવાહરલાલ નહેરુ
ઉપ રાષ્ટ્રપતિસર્વપલ્લી રાધાકૃષ્ણન
અનુગામીસર્વપલ્લી રાધાકૃષ્ણન
૧લા કૃષિમંત્રી
પદ પર
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૪ જાન્યુઆરી ૧૯૪૮
પ્રધાન મંત્રીજવાહરલાલ નહેરુ
પુરોગામીપદની સ્થાપના
અનુગામીજયરામદાસ દૌલતરામ
બંધારણ સભાના પ્રમુખ
પદ પર
૯ ડિસેમ્બર ૧૯૪૬ – ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
પ્રધાન મંત્રીજવાહરલાલ નહેરુ
ઉપ રાષ્ટ્રપતિહરેન્દ્ર કૂમાર મૂખર્જી
વી. ટી. કૃષ્નામચારી
પુરોગામીસચ્ચિદાનંદ સિંહા
અનુગામીપદ દૂર કરાયું
અંગત વિગતો
જન્મ(1884-12-03)3 December 1884
ઝેરડૈ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હવે સીવાન જિલ્લો, બિહાર, ભારત)
મૃત્યુ28 February 1963(1963-02-28) (ઉંમર 78)
પટના, બિહાર, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી
રાજવંશી દેવી
(લ. 1896; મૃ. 1962)
માતૃ શિક્ષણસંસ્થાકલક્તા યુનિવર્સિટી
પુરસ્કારોભારત રત્ન (૧૯૬૨)

યુવા જીવન

રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.

આઝાદીની ચળવળ સમયે

રાજેન્દ્ર પ્રસાદ: ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ 
જવાહરલાલ નેહરુ, ભુલાભાઈ દેસાઈ અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ (વચ્ચે) એ.આઇ.સી.સી.ની બેઠકમાં, એપ્રિલ,૧૯૩૯

વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. ૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.

ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.

Tags:

ભારતભારતનું બંધારણભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વલ્લભી વિશ્વવિદ્યાલયઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભારતની નદીઓની યાદીસંક્ષિપ્ત શબ્દમહંત સ્વામી મહારાજક્ષેત્રફળઆયોજન પંચલાલ બહાદુર શાસ્ત્રીવીર્યરવિન્દ્રનાથ ટાગોરગામઉદ્યોગ સાહસિકતાકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢઅભિમન્યુચક્રમોઢેરાકુરુક્ષેત્ર યુદ્ધરામાયણગણેશકચ્છ ઘોરાડ અભયારણ્યગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨કલકલિયોરાજધાનીહડકવાદલપતરામદિલ્હીલીમડોલોકસભાના અધ્યક્ષઉંબરો (વૃક્ષ)એપ્રિલ ૧૭ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગરબાઉમાશંકર જોશીમૂળદાસદિવ્ય ભાસ્કરનવરાત્રીકંસએરિસ્ટોટલવશતરણેતરઆત્મહત્યાસંત કબીરહિંદી ભાષાપૃથ્વીશ્રીરામચરિતમાનસવૈશ્વિક આબોહવા પરિવર્તનનવગ્રહમાનવીની ભવાઇમહુડોકુંવારપાઠુંતિરૂપતિ બાલાજીગોખરુ (વનસ્પતિ)પપૈયુંત્રિકમ સાહેબઆર્યભટ્ટચંદ્રયાન-૩બિલ ગેટ્સબારોટ (જ્ઞાતિ)લગ્નઆતંકવાદપશ્ચિમ ઘાટમહારાણા પ્રતાપમીરાંબાઈદયારામનિતા અંબાણીભારતના નાણાં પ્રધાનચૈત્ર સુદ ૯ઇતિહાસગુજરાતી સાહિત્ય પરિષદકલ્કિતુલસીદાસલોકમાન્ય ટિળકવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)શામળદાસ આર્ટ્સ કૉલેજઅખા ભગતવારલી ચિત્રકળાનાગર બ્રાહ્મણોદેવભૂમિ દ્વારકા જિલ્લો🡆 More