મણિલાલ હ. પટેલ: ગુજરાતી લેખક

મણિલાલ હરિદાસ પટેલ (૯ નવેમ્બર ૧૯૪૯) ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે.

ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેઓને ૧૯૯૪-૯૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૨૦૦૭માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયેલાં છે.

મણિલાલ પટેલ
મણિલાલ પટેલ ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯
મણિલાલ પટેલ ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯
જન્મમણિલાલ હરિદાસ પટેલ
(1949-11-09) 9 November 1949 (ઉંમર 74)
ગોલાના પાલ્લા, લુણાવાડા તાલુકો, ગુજરાત
વ્યવસાયકવિ, નિબંધકાર, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનો
  • પદ્મા વિનાના દેશમાં (૧૯૮૩)
  • ભૂંસાતા ગ્રામચિત્રો (૨૦૦૦)
નોંધપાત્ર પુરસ્કારો
  • ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૯૪-૧૯૯૫)
  • ઉશનસ્ પુરસ્કાર (૧૯૯૬-૧૯૯૭)
જીવનસાથી
ગોપી (લ. 1972)
સંતાનોબે પુત્રો, એક પુત્રી
સહીમણિલાલ હ. પટેલ: ગુજરાતી લેખક
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધઅર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ (૧૯૭૮)
માર્ગદર્શકધીરુભાઈ ઠાકર

જીવન

તેમનો જન્મ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં અંબાબેન અને હરિદાસને ત્યાં થયો હતો. તેમણે ૧૯૬૭માં એસ.એસ.સી., ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઇડરમાં ગુજરાતીનું અધ્યાપન કાર્ય અને ૧૯૮૭માં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે રીડર તરીકે જોડાયા. બાદમાં તેમણે પ્રાધ્યાપક તરીકે અને વિભાગના અધ્યક્ષ તરીકે પદોન્નતિ મેળવી. ૨૦૧૨માં તેઓ નિવૃત થયા.

સર્જન

એમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે. ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪), ‘કિલ્લો’ (૧૯૮૬) અને ‘અંધારું’ (૧૯૯૦) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.

‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩), ‘સાતમી ઋતુ’ (૧૯૮૮), ‘ડુંગર કોરી ઘર કર્યા’ (૧૯૯૬), ‘પતઝડ’ (૧૯૯૯ હિન્દી) તથા ‘વિચ્છેદ’ (૨૦૦૬) તેમના કાવ્યસંગ્રહો છે.

‘રાતવાસો’ (૧૯૯૩), ‘લલિતા’ (૧૯૯૫), ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧), ‘સદાબહાર વાર્તાચયન’ (૨૦૦૨), ‘અંજળ’ (૨૦૦૪) તથા ‘સુધા અને બીજી વાર્તાઓ’ (૨૦૦૭) તેમના નવલિકા સંગ્રહ છે. ‘મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫) એ તેમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ છે.

‘હું તો નિત્ય પ્રવાસી’ એ તેમનો પ્રવાસનિબંધ છે. ‘તરસ્યા મલકનો મેઘ’ (૨૦૦૭) એ પન્નાલાલ પટેલનું જીવનવૃતાંત છે. ‘કવિતાનું શિક્ષણ’ (૧૯૭૯), જીવનકથા (૧૯૮૬), ‘ઇશ્વર પેટલીકર (૧૯૮૪), ‘નિંબંધકાર સુરેશ જોષી’ (૧૯૮૯), ‘પરિષ્કૃત વાર્તા અને બીજા લેખો’ (૧૯૯૯), ‘સર્જક રાવજી પટેલ’ (૨૦૦૪), ‘ગુજરાતી પ્રેમ કવિતા’ (૧૯૬૩) એ તેમના વિવેચન સંગ્રહો છે.

બાહ્ય કડીઓ

Tags:

ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારત છોડો આંદોલનવસ્તીપાલીતાણાવાંસસિંહ રાશીનવનિર્માણ આંદોલનરવીન્દ્ર જાડેજાપ્રાથમિક શાળાપક્ષીરામનવમીઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજહોકાયંત્રસાપગાંઠિયો વાસરિતા ગાયકવાડગીર સોમનાથ જિલ્લોભારતનું સ્થાપત્યધનુ રાશીકસ્તુરબાબગદાણા (તા.મહુવા)કૃત્રિમ વરસાદજમ્મુ અને કાશ્મીરકાઠિયાવાડકચ્છનું મોટું રણઆંતરરાષ્ટ્રીય મહિલા દિનહોમિયોપેથીગુજરાતના તાલુકાઓરક્તપિતમોબાઇલ ફોનવિનોબા ભાવેકુન્દનિકા કાપડિયાગુજરાતનું રાજકારણભારતીય અર્થતંત્રભરતનાટ્યમતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઅનિલ અંબાણીપિત્તાશયબારમેર જિલ્લોગુજરાતી અંકમહર્ષિ દયાનંદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓચામુંડાગુજરાત વિધાનસભાભારતમાં આરોગ્યસંભાળગંગાસતીસ્વામિનારાયણસોમનાથગોળમેજી પરિષદસંખેડાઆદિ શંકરાચાર્યબિન-વેધક મૈથુનકચ્છનો ઇતિહાસમૂળરાજ સોલંકીઅમરેલીસામાજિક વિજ્ઞાનઅગિયાર મહાવ્રતબારડોલી લોક સભા મતવિસ્તારબોટાદસ્વપ્નવાસવદત્તાપ્રેમાનંદગ્રામ પંચાયતદુલા કાગનક્ષત્રગાંધીનગરકેરીઘોરખોદિયુંકુમારપાળ દેસાઈશનિ (ગ્રહ)ચુડાસમાપાટણવિષ્ણુ સહસ્રનામસૌરાષ્ટ્રકેરળમોરતાલુકોચકલીદ્વારકાધીશ મંદિરકાંકરિયા તળાવહનુમાન ચાલીસા🡆 More