ભીમ(સંસ્કૃત: भीमः) મહાભારતના પાંચ પાંડવ પૈકીના એક પાંડવ પુત્ર હતા.
ભીમ માતા કુંતી અને વાયુ દેવતાના પુત્ર તથા પાંચ પાંડવોમાંથી બીજા નંબરના પાંડવ હતા. પોતાની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઈઓમાં જુદા તરી આવતા હતા.
સમગ્ર મહાભારતમાં તેમની પૌરાણિક શક્તિઓનાં ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. "સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન" ભીમની સરખામણીનું કોઇ નથી, તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં ભીમ વિષે કહેવાય છે કે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધૃતરાષ્ટ્ર પણ ખાઈ જાય. હંમેશાં અજોડ બાજુબળ ધારક સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.
પાંડવોના પ્રથમ અજ્ઞાતવાસ દરમ્યાન ભીમ પોતાના ભાઈઓ સાથે રહ્યા હતા. આ સમય દરમ્યાન ભીમનો સામનો હિડંબ અને હિડિંબા નામના રાક્ષસ ભાઈ-બહેન સાથે થયો. રાક્ષસોની કુરુ કુળ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમને તેની જાળમાં ફસાવવા કહ્યું. પરંતુ ભીમ અને હિડિંબા એક બીજા તરફ આકર્ષિત થયાં. ભીમે હિડંબ સાથે યુદ્ધ કર્યું અને હિડિંબા સાથે જંગલમાં એક વર્ષ રહ્યો. તેના થકી તેને ઘટોત્કચ નામનો એક પુત્ર થયો.
કુંતીના વચનને કારણે તેના ભાઈઓ સાથે તે દ્રૌપદી સાથે પરણ્યો. પાંડવોના કુરુ ભુમિમાં પાછા આવ્યાં પછી તેણે મગધ સમ્રાટ જરાસંઘને મલ્લ યુદ્ધમાં હરાવીને મારી નાંખ્યો. અને તેના ભાઈઓને રાજસુય યજ્ઞ કરાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. જ્યારે યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે રમાતો જુગાર (ધ્યુત) અંતિમ ચરણમાં પહોંચ્યોં ત્યારે ભીમ અત્યંત કોપાયમાન થઈ ગયો. જ્યારે દુશાસને દ્રૌપદીના વસ્ત્રહરણની ચેષ્ટા કરી ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે તે દુશાસનનો વધ કરી તેનું રક્ત પીશે. પાંડવોના બીજા અજ્ઞાતવાસ દરમ્યાન તે અલકાપુરીમાં રહ્યો જ્યાં કુબેરે તેને વરદાન આપ્યું. અજ્ઞાતવાસના અંતમાં તે રાજા વિરાટના રસોઈયાના ગુપ્ત વેશે રહ્યો.
ઘણાં અવસરોમાં સ્વયં અર્જુન અને અન્યોએ કૃષ્ણના મનસુબા પર શંકા આણી પણ ભીમનાં પાત્રએ સતત કૃષ્ણને પૂર્ણ વિશ્વાસપાત્ર જ ગણ્યા.
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ એક કેન્દ્રીય યોદ્ધા રહ્યો, જેણે કૌરવોની ૧૧ અક્ષૌહિણી સેના માંથી ૬નો અંત આણ્યો. ૬ અક્ષૌહિણી સેનાને આંકડા સ્વરૂપે મુકતા તે ૧૭,૦૫,૮૬૦ માણસો અને ૭,૮૭,૩૨૦ પ્રાણીઓ જેટલી થાય છે. આ આંકડાજ ભીમની અનંત શક્તિઓનો ચિતાર આપે છે. યુદ્ધમાં કૃષ્ણનો પુત્ર સ્વયં તેનો સારથિ રહ્યો હતો. યુદ્ધના ૧૮ મુખ્ય દિવસે કૌરવો તેનો સામનો કરતાં ગભરાતા અને તેની સામે યુદ્ધ માટે હાથીઓ મોકલતાં. મહાભારતનું એક આખું ઉપ પ્રકરણ ભીમે યુદ્ધ દરમ્યાન તેના સારથિ (કૃષ્ણપુત્ર)ની સાથે કરેલા મજાક ભરેલા વાર્તાલાપ પર આધારિત છે. આ એક હજી પુરાવો છે કે વેદ વ્યાસે ભીમને કથામાં કેટલી મહત્તા આપી છે. ભીમનું પસંદગીનું હથિયાર ગદા હતું, તે જણાવે છે કે તે દ્વંદ્વ યુદ્ધમાં કુશળ હતો. તેણે મહાવીરોનો નાશ કર્યો જેવાકે બક (માનવ-ભક્ષક જાતિ નો રાજા), કિર્મિર (બકનો ભાઈ), મનિમન (કુબેરના બગીચાના રક્ષક અસુર), જરાસંઘ, દુશાસન, વગેરે. જ્યારે અર્જુન જયદ્રથને મારવા પ્રયત્ન કરતો હતો ત્યારે તેણે દ્રોણના રથને ૮ વખત તોડી તેને માત આપી.
તેણે કર્ણને પણ યુદ્ધમાંથી મેદાન છોડી જવા વિવશ કર્યો જ્યારે તે દુર્યોધનના ભાઈઓને બચાવવા પ્રયત્ન કરતો હતો. તેણે યુદ્ધ દરમ્યાને અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો જેથી પાંડવોને દ્રોણનો પુત્ર અશ્વત્થામા માર્યો ગયો એવી અફવા ફેલાવવા મદદ મળી. યુદ્ધના અંતે તેને દુર્યોધનને કમર નીચે(મલ્લ યુદ્ધના નિયમ વિરુદ્ધ) પ્રહાર કરી જીવલેણ રીતે ઘાયલ કર્યો. આ સમયે બલરામે કપટ માટે ભીમની નિંદા કરી પણ કૃષ્ણ દ્વારા તેમને શાંત કરવામાં આવ્યાં. પોતાનાથી મોટાઓને પુજ્ય તરીકે ગણતા યુદ્ધ દરમ્યાન કોઈ પણ વડીલની હત્યા ન કરી, આ તેના ગુણોને પ્રદર્ષિત કરે છે. એક માત્ર વડીલને તેણે માર્યા હોય તો તે છે રાજા બાહ્લિક (ભિષ્મના મોસાળ પક્ષનાં-મામા કે માસા) અને આ પણ તેણે તેમની વિનંતી કરવાથીજ કર્યું, કેમ કે કૌરવોનો સાથ આપવાનું તેમને અત્યંત દુ:ખ હતું (પોતાના ભાણિયા ભીષ્મને લીધે બાહ્લિકે કૌરવ પક્ષે લડવું પડ્યું હતું). તેના જીવનનો અંત તેના ભાઈઓ અને દ્રૌપદી સાથે સદેહે વૈકુંઠની યાત્રા દરમ્યાન થયો. આ પ્રવાસમાં તેનું મૃત્યુ છેલ્લે થયું અને માત્ર યુધિષ્ઠિર એકલા જ સદેહે વૈકુંઠ પહોંચી શક્યાં.
હિંદુ પૌરાણિક કથાઓ માં બે પાત્ર મહાન રસોઈયાઓ થઈ ગયાં એક ભીમ અને બીજા નળ. "અવિયલ" નામની દક્ષિણ ભારતીય વાનગી ભીમની શોધ મનાય છે. ભીમને પ્રખર બુદ્ધી હતી. તેનામાં પ્રખર મહામાનવીય બળ અને સંયમ હતો. પાંચ વ્યક્તિઓ આપસમાં લડાઈ લખીને આવ્યાં હતાં અને તેમાંથી માત્ર એક જ બચવાનો હતો. તે હતાં દુર્યોધન, ભીમ, જરાસંધ, કિંચક, અને બકાસુર. ભીમે અન્યોને હણી નાંખ્યા.[સંદર્ભ આપો]
This article uses material from the Wikipedia ગુજરાતી article ભીમ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.