દુકાળ

જ્યારે એક દુકાળ (અથવા દુષ્કાળ ) મહિનાઓ અથવા વર્ષોની અવધિ માટે લંબાય છે ત્યારે એક ક્ષેત્રમાં પાણીના પુરવઠાની ઊણપ નોંધાય છે.

કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ થયા છે ત્યારે ત્યાં દુષ્કાળ સર્જાય છે. તેની અસરગ્રસ્ત ક્ષેત્રના જૈવિક તંત્ર અને ખેતી પર એક વાસ્તવિક અસર જોઈ શકાય છે. દુકાળો કેટલાંય વર્ષો સુધી રહી શકે છે, તેમ છતાં ટૂંકો પણ તીવ્ર દુકાળ મહત્ત્વપૂર્ણ હાનિનું કારણ બની શકે છે અને સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોચાડી શકે છે.

દુકાળ
ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા, બેનામબ્રાની બહારની બાજુના ખેતરો દુકાળની પરિસ્થિતીઓ ભોગ બન્યા છે.

આ વૈશ્વિક ઘટનાથી ખેતી પર વ્યાપક પ્રભાવ પડે છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજો છે કે યુક્રેનના કદ જેટલો ફળદ્રુપ જમીનનો વિસ્તાર દુકાળ, વનનાબૂદી અને વાતાવરણીય અસ્થિરતાને કારણે દરેક વર્ષે ગુમાવતા જઈએ છીએ. દુકાળનો લાંબા સમય સુધીનો સમયગાળો સામૂહિક સ્થળાંતર માટે એક મુખ્ય પરિબળ બને છે અને આફ્રિકાના હોર્ન અને સાહેલમાં થતાં સંખ્યાબંધ સતત ચાલુ રહેતા સ્થળાંતર અને અન્ય માનવીય સંકટોમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પરિણામો

દુકાળ 
સોનોરન રણ, મેક્સિકોમાં સૂકી જમીન.

દુકાળના ગાળાઓમાં મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય, ખેતી, આરોગ્ય, આર્થિક અને સામાજિક પરિણામો મળી શકે છે. તેની સંવેદનશીલતા અનુસાર અસર બદલાતી રહે છે. ઉદાહરણ માટે, ખેતીમાંથી કુટુંબ માટે અનાજ મેળવતા ખેડૂતો દુકાળ દરમિયાન સ્થળાંતર કરવાનું વધુ પસંદ કરે છે કારણ કે તેમની પાસે ખોરાકના વૈકલ્પિક સ્ત્રોતો હોતા નથી. મુખ્ય ખોરાકના સ્રોત તરીકે આજીવિકા ધરાવતી ખેતી પર આધારિત ક્ષેત્રો સાથેની જનસંખ્યા દુકાળથી અછત સર્જતી પરિસ્થિતીથી વધુ સંવેદનશીલ હોય છે.

દુકાળ પાણીની ગુણવત્તાને ઓછી કરી શકે છે, કારણ કે પાણીનું ઓછું વહેણ પાણીમાં ભળતાં પ્રદુષકોને ઘટાડે છે અને બાકી રહેલાં પાણીના સ્રોતમાં દૂષિતતા વધારે છે. દુકાળનાં સામાન્ય પરિણામોમાં આ બાબતોનો સમાવેશ થાય છે:

  • પાકની વૃદ્ધિ અથવા ઉપજની ઉત્પાદકતા અને પશુધન રાખવા માટેની ક્ષમતા ઓછી કરે છે
  • વેરાન વિસ્તારો બને છે, જે જમીનના ધોવાણની નિશાની છે, તે હરિયાળી જમીનનો વધુ વેરાન બનાવે છે.
  • રણ બની રહેલો વિસ્તાર અને જમીનના ધોવાણથી જે પ્રદેશમાં જ્યારે દુકાળ આવે છે ત્યારે વંટોળ ઊભો થાય છે.
  • સિંચાઈ માટે પાણીની ઊણપને કારણે અછત
  • કુદરતી આવાસોને હાનિ પહોંચતા, ભૂસ્તરીય અને પાણીની વન્યસૃષ્ટિને અસર થાય છે.
  • કુપોષણ, નિર્જલીકરણ અને સંબંધિત રોગો
  • સામૂહિક સ્થળાંતર, આંતરિક વિસ્થાપન અને આંતરરાષ્ટ્રીય શરણાર્થીમાં પરિણમે છે.
  • પાવર સ્ટેશન માટે ઉપલબ્ધ ઠંડુ પાડનારા પ્રવાહીના અપૂરતા પ્રવાહને કારણે વીજ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, અને હાઈડ્રોઈલેક્ટ્રીક ડેમો દ્વારા પાણીના વહેણમાં ઘટાડો થાય છે
  • ઔદ્યાગિક વપરાશકારો માટે પાણીની તંગી
  • સાપોનું વિસ્થાપન અને સાપના ડંખના કિસ્સાઓમાં વધારો
  • સામાજિક અશાંતિ
  • પાણી અને ખોરાક સહિતના કુદરતી સ્રોતો માટે યુદ્ધ
  • દુકાળના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જંગલમાં આગની જેમ અત્યંત જ્વાલાયુક્ત આગના કિસ્સાઓ વધુ સામાન્ય

વૈશ્વિક સ્તરે

દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં દુકાળ આબોહવાની એક સામાન્ય અને આવર્તક લાક્ષણિકતા છે. તેનું પ્રાચીન દસ્તાવેજોમાંના ગીલ્ગામેશ નામના મહાકાવ્યમાં આ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે અને તેનું જોડાણ જોસેફના આગમનની બાઈબલની વાર્તા સાથે કરવામાં આવ્યું હતું અને પછી પ્રાચીન ઈજિપ્તના હિજરતીઓ સાથે કરવામાં આવ્યું હતું. ઈ.સ.પૂ. 9500 ચીલીમાં શિકારી- એકત્રિત થઈને સ્થળાંતરની ઘટના સાથે જોડાવામાં આવ્યું છે, એવી રીતે 135,000 વર્ષ પહેલાં આફ્રિકાની બહાર અને દુનિયાના બાકીના ભાગોમાં પ્રારંભિક માનવીએ જેમ હિજરત કરી હતી.

આધુનિક લોકો સિંચાઈ અને પાકની ફેરબદલી દ્વારા દુકાળની મોટાભાગની અસર અસરકારકપણે ઓછી કરી શકે છે. આધુનિક યુગમાં હંમેશા વધતી વસ્તી ગીચતા દ્વારા ઉત્તેજિત બનતાં, દુકાળમાંથી બહાર આવવાની પૂરતી રણનીતિને વિકસવવામાં નિષ્ફળતા એક ગંભીર માનવીય ખર્ચનું વહન કરે છે.

પ્રદેશો

દુકાળ 
2001ની સેટેલાઈટ છબીમાં ચાડ તળાવ, વાદળી રંગનું વાસ્તવિક તળાવ છે. 1960થી તળાવ 95 ટકા સંકોચાઈ ગયું.
દુકાળ 
નવા દક્ષિણ વેલઝના ઉરનક્વીન્ટી નજીક દુકાળથી અસરગ્રસત પશુવાડા પર ઘેટાં.

આફ્રિકાના હોર્નમાં આવર્તક દુકાળ રણીકરણ માટે મુખ્ય પરિબળ બની ગંભીર જૈવિક ભારે ઉત્પાતનું સર્જન કરે છે, જેનાથી પ્રેરિત વ્યાપક ખોરાકની અછતનું સર્જન થયું છે અને તે હજી પણ આવર્તક છે. હોર્નના ઉત્તર-પશ્ચિમે, ડારફર તેના પાડોશી સુદાન સાથે ઘર્ષણમાં છે, ઉપરાંત ચાદને પણ અસર કરે છે, દશકાઓના દુકાળ તેમાં ઈંધણ પૂરું પાડે છે, ડારફર સંઘર્ષના કેટલાંક કારણોમાં દુકાળ, રણીકરણ અને વધુ પડતી વસ્તીનું સામૂહિક જોડાણ છે, કારણ કે અરબ બાગ્રા રખડુઓ પાણીની શોધમાં જ્યાં મોટા ભાગે બિન-અરબ ખેડૂતો દ્વારા જમીન રોકાયેલી છે ત્યાં વધુ દક્ષિણ તરફ તેમના પશુધનને લઈ જાય છે.

હિમાલયની નદીઓના જળપ્રવાહના તટપ્રદેશમાં અંદાજે 2.4 અબજ લોકો રહે છે. આવનારા દાયકાઓમાં ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારમાં પ્રથમ પૂર અને પછી દુકાળની સ્થિતિઓ સર્જાઇ શકે છે. ભારતમાં દુકાળ ગંગાને અસર કરે તે અંગે વિશેષ ચિંતા છે, કારણ કે તે 500 મિલિયનથી પણ વધારે લોકોને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે. રોકી પર્વતમાળા અને સીરા નિવેદા જેવી પ્રવતમાળાઓની હિમનદી દ્વારા મોટાભાગનું પાણી મેળવનાર ઉત્તર અમેરિકાના પશ્ચિમ તટીય પ્રદેશને પણ અસર પહોંચશે.

2005માં, એમેઝોન તટપ્રદેશના ભાગોએ 100 વર્ષોમાં સૌથી ખરાબ દુકાળનો અનુભવ કર્યો. વુડ્ઝ હોલ રિસર્ચ સેન્ટર પરિણામો નોંધતાં 23 જુલાઈ 2006ના રોજ પ્રકાશિત લેખેમાં દર્શાવ્યું છે કે વન તેની હાલની સ્થિતિમાં દુકાળના માત્ર ત્રણ વર્ષ સુધી અસ્તિત્વ ધરાવી શકશે. બ્રાઝિલીયન નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એમેઝોનીયન રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ લેખમાં દલીલ કરી છે કે આ દુકાળ પ્રતિક્રિયા, ક્ષેત્રીય વાતાવરણ પર વનનાબૂદીના પ્રભાવની સાથે જોડાઈ, એક "ટોચના બિંદુ" તરફ પ્રેરિત કરે છે, જ્યાંથી આ ઉલટાવી ન શકાય તેવી મૃત્યુની શરૂઆત થશે. તેનાથી એ નિષ્કર્ષણ નીકળે છે કે વરસાદ લાવતાં વનો દુનિયાની આબોહવા માટે ભારે ઉત્પાતના પરિણામો સાથે ઘાસવાળું વૃક્ષો વગરનું મેદાનઅથવા રણમાં પરિવર્તિત થવાના કાંઠા પર છે. WWF અનુસાર, આબોહવામાં પરિવર્તન અને વનનાબૂદીનું યુગ્મિકરણ મૃત વૃક્ષોની સૂકા થવાની અસરમાં વધારો કરે છે જે જંગલોમાં આગના કિસ્સાને ઈંધણ પૂરું પાડે છે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો હિસ્સો રણ અથવા અર્ધ-શુષ્ક જમીનો સામાન્યપણે અંતરિયાળ વિસ્તાર તરીકે જાણીતો છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના સંશોધકો દ્વારા 2005ના એક અભ્યાસમાં અંતરિયાળ વિસ્તારમાં વનનાબૂદીકરણનું સંશોધન કર્યું, અને સૂચવ્યું કે એક સમજૂતી માનવીય વસાહત સાથે સંબંધિત હતી જેઓ લગભગ 50,000 વર્ષો પહેલાં આવ્યાં હતાં. વસાહતીઓ દ્વારા નિયમિત બાળવાની ક્રિયા, ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તાર સુધી વરસાદ પહોચતો અટકાવતા હતા. જૂન 2008માં તે જાણીતું બન્યું કે વિશેષજ્ઞની ટુકડીએ લાંબા સમય માટે ચેતવણી આપી હતી કે જો ઓક્ટોબર સુધી પૂરતું પાણી ન મળે તો સમગ્ર મુર્રેય-ડાર્લીંગ તટપ્રદેશને કદાચ બદલી ન શકાય, તેવી ગંભીર જૈવિક તંત્રને હાનિ થઈ શકે છે. એક સરકારી કમિશન અહેવાલે 6 જૂલાઈ, 2008ના રોજ કર્યું કે ઓસ્ટ્રેલિયા વધુ ગંભીર દુકાળનો અનુભવ કરી શકે છે અને તેવું ભવિષ્યમાં વધુ વખત બની શકે છે. વર્ષ 2007ના ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ વિદ્ ટિમ ફ્લાન્નેરીએ અનુમાન કર્યું કે જ્યાં સુધી પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં પર્થ ચમત્કારીક પરિવર્તન નહીં લાવે તો એક નીતિભ્રષ્ટ શહેર તેની જનસંખ્યાની નિભાવણી માટે વધુ પાણી ન હોવાનું દુનિયાનું પ્રથમ ભૂતિયું મહાનગર બની રહેશે.

પૂર્વી આફ્રિકાએ તાજેતરમાં પાક અને પશુધનના નાશની સાથે, તેના દશકામાંનો સૌથી ખરાબ દુકાળનો સામનો કર્યો. યુ.એન. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે તાજેતરમાં કહ્યું કે લગભગ 4 મિલિયન કેન્યાની પ્રજાને તાત્કાલિક ખોરાકની જરૂરત છે.

કારણો

દુકાળ 
દુકાળને કારણે મૃત પામેલુ મોંગોલિયન હરણ.

સામાન્ય રીતે, વરસાદ વાતાવરણમાં પાણીની વરાળની માત્રા સાથે, પાણીની વરાળ ધરાવતાં હવાના કદના ઉપર તરફના દબાણ સાથે સંયુક્ત રીતે જોડાયેલો છે. જો આ બંનેમાંથી કોઈ પણ એકનું પ્રમાણ ઓછું થાય તો તેનું પરિણામ દુકાળ આવે છે. આ ઉચ્ચ દબાણ પ્રણાલી, પવનો સમુદ્ર સંબંધિત હવાના કદને લઈ જવાને બદલે ખંડીય પ્રમાણમાં લઈ જાય છે (એટલે કે પાણીનું પ્રમાણ ઓછું થાય છે), અને ઊંચા દબાણના ક્ષેત્રની આસપાસ કાંઠો વિકસાવે છે જે કોઈ એક ચોક્કસ ક્ષેત્રની પર વરસાદ પડતો અથવા ગડગડાટ સાથે તોફાન ઉદ્દભવતું અટકાવે છે અથવા તેનો બચાવ કરે છે. સમુદ્રી અને વાતાવરણીય મોસમ ચક્રો જેમ કે El Niño-Southern Oscillation (ENSO) પ્રશાંત તટ અને ઓસ્ટ્રેલિયાની સાથે અમેરિકા માટે દુકાળ સર્જતું એક નિયમિત આવર્તક પાસું છે. ગનસ, જર્મસ અને સ્ટીલના લેખક જેરીડ ડાયમન્ડ ઓસ્ટ્રેલિયાની આબોહવાના નમૂનાઓ પર એક કરતાં વધુ વર્ષ ENSO ચક્રોની વેરાન અસર જુએ છે. તેનું એક મુખ્ય કારણ આપે છે કે ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ ખેતીને સ્વીકારવાને બદલે એક શિકારી-એકત્રિત સમાજ બની રહ્યા છે. અન્ય હવામાન તીવ્ર દોલનો નોર્થ એટલાન્ટિક ઓસીલેશન તરીકે ઓળખાય છે, જે ઉત્તરપૂર્વ સ્પેનમાં દુકાળ સાથે જોડાયેલો છે.

માનવીય પ્રવૃત્તિ જેમ કે વધુ પડતી ખેતી, અત્યાધિક સિંચાઈ, વનનાબૂદીકરણ અને જમીનનું ધોવાણની વિરોધાભાસી અસર જમીનની પાણી રોકવાની અને ગ્રહણ કરવાની ક્ષમતા પર સીધી જ રીતે ઉત્તેજિત પાસાઓ દ્વારા ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે. જ્યારે આ તેમની મર્યાદામાં સાપેક્ષ રીતે અલગ થઈ શકે છે, ત્યારે વૈશ્વિક આબોહવામાં પરિવર્તન લાવતી પરિણામી પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ખેતી પર એક નક્કર અસર સાથે અપેક્ષિત દુકાળ સ્થિતીનું સર્જન કરે છે. સમગ્ર રીતે, વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગ દુનિયાના વરસામાં વધુ વરસાદનું પરિણામ આપશે. કેટલાંક વિસ્તારોમાં દુકાળની સાથે પૂર અને જમીનના ધોવાણમાં વધારો થશે. વિરોધાભાસ એ છે કે ગ્લોબલ વોર્મિંગ માટે સૂચવવામાં આવેલાં કેટલાંક ઉપાયો વધુ સક્રિય તકનીકો પર કેન્દ્રિત છે, તેમાંની એક અવકાશી તડકામાં વાપરવામાં આવતી છત્રી દ્વારા સોરલ કિરણોત્સર્ગનું વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો, આમ કરવાથી કદાચ દુકાળની તકો વધી જાય.

દુકાળના પ્રકારો

દુકાળ 
અરલ સમુદ્રનુ પાણી પાછુ ચાલ્યુ ગયુ હોવાથી મુશ્કેલીમાં આવેલુ વહાણ

જેમ એક દુકાળ ચાલુ રહે છે, તેમ તેની આસપાસની પરિસ્થિતી ક્રમશઃ કથળતી રહે છે અને તેની અસર સ્થાનિક વસ્તી પર ક્રમશઃ વધતી રહે છે. લોકો દુકાળને ત્રણ મુખ્ય રીતે વ્યાખ્યાયિત કરે છેઃ

  1. જ્યારે સરેરાશ વરસાદ કરતાં ઓછા વરસાદની સાથે વિસ્તૃત સમયગાળો હોય ત્યારે મોસમી દુકાળ ત્યારે આવે છે. મોસમી દુકાળ સામાન્ય રીતે અન્ય પ્રકારના દુકાળો કરતાં અગાઉ પડતો હોય છે.
  2. ખેતીવિષયક દુકાળો એવા દુકાળો છે જે પાકના ઉત્પાદન પર અથવા જૈવિક તંત્રની હાર પર અસર કરે છે. આ પરિસ્થિતી ભેજના સ્તરમાં કોઈ પણ પરિવર્તન થયા વગર સ્વતંત્ર્યપણે પણ સર્જાઈ શકે છે, જ્યારે જમીનની પરિસ્થિતી અને ધોવાણ પાકો માટે ઓછા પ્રમાણમાં પાણીની ઉપબલ્ધતાથી ખેતીવિષયક નબળા આયોજનથી થાય છે. તેમ છતાં, પરંપરાગત દુકાળ સરેરાશ વરસાદ કરતાં ઓછા વરસાદના લંબાયેલા સમયગાળો તેનું કારણ છે.
  3. જ્યારે એક્વીફર, તળાવો જેવા સ્રોતોમાં ઉપલબ્ધ સંગ્રહિત પાણી આંકડાકીય સરેરાશ કરતાં નીચું જતું રહે ત્યારે હાઈડ્રોલોજીકલ દુકાળ આવે છે. હાઈડ્રોલોજીકલ દુકાળ ખૂબ જ ધીમે ધીમે દેખાય છે કારણ કે તેમાં ઉપલબ્ધ સંગ્રહિત પાણીનો ઉપયોગ થાય છે જે ઉપયોગમાં લેવાય છે પણ તેનું ફરીથી ભરવામાં આવતું નથી. ખેતીવિષયત દુકાળની જેમ, માત્ર વરસાદ ગુમાવવા કરતાં વધુ પરિસ્થિતી બગડે ત્યારે આ પરિસ્થિતી સર્જાઈ શકે છે. ઉદા તરીકે તાજેતરમાં કાઝાખ્સતાનને પાણીનો સંગ્રહ કરવા માટે વર્લ્ડ બેન્ક દ્વારા એક મોટી રકમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે પાણી સોવિયેત શાસન હેઠળ અરલ સમુદ્ર દ્વારા અન્ય રાષ્ટ્રોમાં વાળવામાં આવ્યું. એવી જ પરિસ્થિતી તેમના સૌથી મોટા તળાવ, બાલ્ખાસની પણ છે, તે સંપૂર્ણ રીતે સૂકાઈ જવાના ભય હેઠળ છે.

શમન માટેની રણનીતિ

દુકાળ 
અલ નીનો દ્વારા ઊભી થતી દુકાળની અસર.પાણીની વહેંચણી માટે જોવાતી રાહ(ઈબેય, માર્શલ આઈલેન્ડસ.)
  • વાદળા રોપવા- વરસાદ લાવવાની એક કૃત્રિમ પદ્ધતિ
  • સિંચાઈ અથવા ઉપભોગ માટે સમુદ્રી પાણીમાંથી ખારાશ દૂર કરવી.
  • દુકાળની દેખરેખ – સતત વરસાદના સ્તરની અને વર્તમાન સમયમાં વપરાશના સ્તરની સરખામણી કરવી, જે માનવસર્જિત દુકાળને અટકાવવામાં મદદ કરશે. ઉ.દા. તરીકે, યેમેનમાં પાણીના વપરાશનું વિશ્લેષણ દર્શાવે છે કે તેમનું પાણીનું સ્તર (ભૂગર્ભ પાણીનું સ્તર) તેમના ખાટ પાકને ફળદ્રુપ બનાવવા વધુ પડતાં ઉપયોગથી મૃત અવસ્થામાં છે. અત્યંત જ્વાલાગ્રાહી માટે, કીત્ચ-બ્ય્રામ દુકાળ સૂચકાંક અથવા પાલમેર દુકાળ સૂચકાંક તરીકે મેટ્રિક્સનો ઉપયોગથી વધતાં ભયની આગાહીમાં સાવચેતીપૂર્વકનું ભેજના સ્તરનું નીરિક્ષણ પણ મદદરૂપ બની શકે છે.
  • જમીનનો વપરાશ- પાકની ફેરબદલી અંગેનું સાવચેતીપૂર્વકનું આયોજન ઓછામાં ઓછું જમીનનું ધોવાણ થવામાં મદદ કરે છે અને સૂકા વર્ષોમાં ખેડૂતોને ઓછું પાણી જોઈતાં પાકોની રોપણી માટે મંજૂરી આપે છે.
  • ઘરની બહાર પાણી- વપરાશ પર પ્રતિબંધ- સ્પ્રિંક્લર, ઘરની બહારની વનસ્પતિ પર ચોરણો અથવા ડોલથી પાણી પાવવું, પૂલમાં પાણી ભરવું અને ઘરના વ્યવસ્થાપનામાં વધુ પડતું પાણીનો વપરાશ થતાં કાર્યો પર નિયમન કરવું.
  • વરસાદીપાણીનો સંગ્રહ – છાપરા અથવા બંધબેસતી જગ્યાએથી વરસાદીને એકત્રિત કરવું અને તેનો સંગ્રહ કરવો.
  • પાણીનો પુનઃવપરાશ- પહેલાના બિનજરૂરી પાણી (સેવેજ –મળમૂત્ર લઈ જતું પાણી)નો પુનઃઉપયોગ કરવા માટે તેની પર ટ્રીટમેન્ટ કરી અને તેને શુદ્ધ કરવું.
  • ટ્રાન્સવાઝમેન્ટ - દુકાળગ્રસ્ત વિસ્તારોમાં સિંચાઈ માટે નહેરો અથવા પુનનિર્દેશક નદીઓ તરીકેનો સામૂહિક પ્રયાસ

આ પણ જુઓ

  • આબોહવા પરિવર્તન
  • કોલાપ્સઃ હાઉ સોસાયટીઝ ચૂઝ ટુ ફેઈલ ઓર સક્સિડ.
  • એફઈએમએ
  • આહાર સુરક્ષા
  • કાયમી શિથિલ થવાનો મુદ્દો
  • ઉચ્ચ ગુણવત્તાયુક્ત જમીન
  • કોમ્બેટ ડેઝર્ટીફીકેશન માટે યુનાઈટેડ નેશનસ કન્વરઝેશન
  • પાણી માટે સંઘર્ષ
  • પાણીની કટોકટી

ક્ષેત્રીય

  • એમેઝોન રેઈનફોરેસ્ટ દુકાળ
  • રશિયા અને યુએસએસઆરમાં દુકાળો અને પૂરો
  • ઓસ્ટ્રેલિયામાં દુકાળ, અપવાદરૂપ પરિસ્થિતીઓ રાહત ચૂકવણીઓ
  • યુ.કેમાં દુકાળ
  • યુ.એસ.માં દુકાળ
  • મેયા પડી ભાંગ્યું
  • સાહેલ દુકાળ

સંદર્ભો

બાહ્ય લિંક્સ

ઢાંચો:Global warming ઢાંચો:Natural disasters

Tags:

દુકાળ પરિણામોદુકાળ વૈશ્વિક સ્તરેદુકાળ કારણોદુકાળ ના પ્રકારોદુકાળ શમન માટેની રણનીતિદુકાળ આ પણ જુઓદુકાળ સંદર્ભોદુકાળ બાહ્ય લિંક્સદુકાળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધનુ રાશીહિંમતનગરસ્વપ્નવાસવદત્તાકેરીનડીઆદઐશ્વર્યા રાયસોલંકી વંશલવનાગેશ્વરમાધવપુર ઘેડગુજરાત ટાઇટન્સમળેલા જીવગુજરાતી અંકનરસિંહ મહેતાકાશ્મીરભદ્રનો કિલ્લોસ્વામિનારાયણભારતીય ધર્મોબ્રહ્માંડવિશ્વ વેપાર સંગઠનરવીન્દ્ર જાડેજાબાલમુકુન્દ દવેપાટણઅસોસિએશન ફુટબોલરાણી લક્ષ્મીબાઈઆણંદ જિલ્લોયોગ (મનોશારીરીક જીવનશૈલી)લોકમાન્ય ટિળકહસ્તમૈથુનભારતના રાષ્ટ્રપતિરવિશંકર રાવળસ્વાધ્યાય પરિવારજુનાગઢકૃષ્ણગુજરાતી ફિલ્મોની યાદીસમાજશાસ્ત્રરાહુલ ગાંધીઅમદાવાદ બીઆરટીએસદલપતરામઆદિ શંકરાચાર્યનિતા અંબાણીમોહેં-જો-દડોદયારામપશ્ચિમ ઘાટછંદપોલીસવાયુ પ્રદૂષણઅમૂલતકમરિયાંદ્વારકાખેતીઔદિચ્ય બ્રાહ્મણઅમિતાભ બચ્ચનઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)પ્રજાસત્તાક દિન (ભારત)હિમાલયવિશ્વકર્માકંપની (કાયદો)ત્રિકોણરમણભાઈ નીલકંઠમુસલમાનઝરખઘીપુ્ષ્ટિમાર્ગ બેઠકસુરતભારતીય ભૂમિસેનાગુજરાતના શક્તિપીઠોજ્યોતિબા ફુલેસંત રવિદાસપ્રથમ વિશ્વ યુદ્ધપોરબંદરકરમદાંવૃષભ રાશીચૈત્ર સુદ ૯અવિભાજ્ય સંખ્યાઘર ચકલીદશેરાઈંડોનેશિયા🡆 More