ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા.
તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન પણ હતા. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિકત્વ સિદ્ધ કરવા પ્રસ્થાનત્રયીમાંથી ઉપનિષદ અને ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યા છે તેથી જ તેમનું સાનિધ્ય સ્વામિનારાયણ સંપ્રદાય માટે આશિર્વાદ સમાન સાબિત થયું. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંપ્રદાયની બન્ને ગાદીના આચાર્યના ઉપરી તેમને કર્યા હતા.
ગોપાળાનંદ સ્વામી | |
---|---|
ગોપાળાનંદ સ્વામી | |
અંગત | |
જન્મ | ખુશાલ ભટ્ટ ૦૮ જુલાઈ, ૧૮૩૭ (સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવાર) અરવલ્લી જિલ્લો, ગામ ટોરડા, તાલુકો ભિલોડા, ગુજરાત, ભારત (પુર્વે સાબરકાંઠા જિલ્લાના ઈડરનું ના ટોરડા ગામ) |
મૃત્યુ | ૨૧ એપ્રિલ, ૧૯૦૮ (ઉંમર ૭૦ વર્ષ) |
ધર્મ | હિંદુ |
માતા-પિતા | મોતીરામ અને જીવીબા |
કારકિર્દી માહિતી | |
ગુરુ | સ્વામિનારાયણ ભગવાન |
શિષ્યો
| |
સાહિત્યિક સર્જન | સ્વામીની વાતો |
તેમનો જન્મ સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવારના રોજ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામમાં મોતીરામ અને જીવીબાને ત્યાં થયો હતો.તેમનું નામ ખુશાલ ભટ્ટ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ તેઓ અનેક ચમત્કારો બતાવતા. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ શામળાજીના સખા હતા. શામળાજી તેમની સાથે રમવા આવતા એવો ઇતિહાસ મંદિરના રેકર્ડમાં નોંધાયેલો છે.[સંદર્ભ આપો]
ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતા ટુંક સમયમાં વેદ-વેદાંતનો અભ્યાસ પૂર્ણ કરીને પાઠશાળા સ્થાપી. બાળકોને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપ્યું, યોગવિદ્યા પણ શિખવતા, સમાધિ પણ કરાવતા, કોઇના અહંનો ઇલાજ પણ કરતા,વરસાદ વરસાવતા અને મંત્ર તંત્રના ઓથે લોકોને ભરમાવનારાની સાન પણ ઠેકાણે લાવતા. તેથી તેઓ એક મહાન સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છતા તેમને મન પ્રગટ ભગવાનને મળવાની તીવ્ર તમન્ના હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સર્વેશ્વરાનંદ સ્વામીનો સમાગમ થયો. પુર્વની પ્રીત જાગી,ભગવાનને મળવાની લગની લાગી. જેતલપુરમાં આવીને ભગવાન સ્વામિનારાયણને મળ્યા. સંસ્કૃત વિદ્યાના વિશેષ અભ્યાસ માટે મુક્તાનંદ સ્વામી સાથે રહ્યા.
આ સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ૧૮૬૪ ના કારતક વદ ૮ ના રોજ ભાગવતી દિક્ષા આપી અને ખુશાલ ભટ્ટ હવે ગોપાળાનંદ સ્વામી બની ગયા. તેઓ યોગવિદ્યા અને શ્રુતિ સ્મ્રુતિ સાહિત્યના પ્રકાંડ પંડિત હતા છતા સેવક બનીને રહેતા પણ કોઇ પરધર્મી શાસ્ત્રાર્થ કરવા અથવા લડવા આવે તેને જરુર પરચો મળતો. તેમણે વડોદરા, ઉમરેઠ વિગેરે સ્થાનોમાં અનેકવાર પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચા કરીને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને સતત વિચરણ કરીને ભગવત ધર્મનો પ્રસાર પ્રચાર કર્યો છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ગોપાળાનંદ સ્વામી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.