કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે.
આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.
સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના તટ પર ૭૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે શક્યત: કબીરવડ હતો. જેમ્સ ફાર્બસે (૧૭૪૯-૧૮૧૯) ઓરિયન્ટલ મેમોરીસ (૧૮૧૩-૧૮૧૫)માં 610 m (2,000 ft) વ્યાસ અને ૩૦૦૦ શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ વિસ્તાર 17,520 m2 (4.33 acres) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.
કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કબીરવડ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.