ઈંડિયા ગેટ (હિંદી: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે.
તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હીના હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પિત હતી. શરૂઆતમાં અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકોના નામ તેના પર અંકિત છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાં લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.
ઈંડિયા ગેટ | |
---|---|
ભારત | |
ઈંડિયા ગેટ | |
For ભારતીય સિપાહીઓ જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધોમાં શહીદ થયેલા | |
Established | ૧૯૨૧ |
Unveiled | ૧૯૩૧ |
Location | 28°36′46.31″N 77°13′45.5″E / 28.6128639°N 77.229306°E near દિલ્હી, ભારત |
Designed by | એડવીન લ્યુટાઈંસ |
શરુઆતમાં કિંગ જ્યોર્જ ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બિરાજમાન હતી જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછી આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોત તરીકે પણ ઓળખાય છે તેણે લીધું છે.
આ ગેટની એકદમ પાછળ એક ખાલી ચંદરવો આવેલો છે તેની રૂપરેખા પણ લ્યુટાઈંસ દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. આ ચંદરવો ૧૮મી સદીમાં સ્થાપિત મહાબલીપુરમ મંડપોથી પ્રેરીત છે. તેમાં ભારતની સ્વતંત્રતા સુધી કિંગ જ્યોર્જ – ૫ ની પ્રતિમા મૂકાયેલી હતી જેને અત્યારે કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવી છે. પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારા જવાનોના નામ આ ગેટ પર લખવામાં આવ્યાં છે.[સંદર્ભ આપો]
ઈંડિયા ગેટની કમાનની નીચે જવાનોની સમાધિ પર ૧૯૭૧થી અજ્ઞાત શહીદ સિપાહીઓની યાદમાં એક જ્યોત અવિરત સળગે છે જેને અમર જવાન જ્યોત કહે છે. આ સમાધિ એક કાળા આરસના કેનોટાફ સ્વરૂપે છે જેના પર એક નાળચા પર ઊભેલી એક રાઈફલ (બંદૂક) છે જેના પર સિપાહીનું હેલ્મેટ છે.
આ કેનોટાફ પોતે પણ એક મંચ પર છે, જેના ચાર ખૂણે ચાર મશાલ અવિરત બળ્યાં કરે છે. આને ૨૬ જાન્યુઆરી ૧૯૭૨માં વડા પ્રધાને ઈન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પગલે પ્રદીપ્ત કરાઈ હતી.
આજે રાષ્ટ્રપતિ, વડા પ્રધાને તેમજ રાજ મહેમાન માટે આ સ્મારક પર રાષ્ટ્રીય પર્વના દિવસે અને ગણતંત્ર દિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરવી આવશ્યક છે. આમ કર્યાં પછી જ તેઓ રાજપથ પરથી પસાર થતી વાર્ષિક પરેડની સલામી ઝીલવા જાય છે.
૪૨મી ઊંચા ઈંડિયા ગેટની રચના એવા સ્થળ પર છે જ્યાંથી વિવિધ દિશામાં અનેક રસ્તાઓ ફૂટે છે. ત્રાસવાદીઓના હુમલાના ભયને ટાળવા આ સ્થળની આજુ બાજું વાહન પર બંદી આવવાથી હવે વાહન વ્યવહાર ઓછો થયો છે. આ પહેલાં અહીં સતત ટ્રાફિક રહેતું.
રાજપથની આસપાસ બનાવાયેલી ઘાસ બગીચા સાંજના સમયે લોકો દ્વારા ભરાઈ જાય છે, જ્યારે ઈંડિયા ગેટને રોશનીથી સજાવાય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ઈંડિયા ગેટ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.