આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહર માં સ્થિત છે.
આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. આ કિલ્લા ને ચાર દિવાલ થી ઘેરાયેલી પ્રાસાદ (મહેલ) નગરી કહવું સારું રહેશે.
આ ભારતનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. ભારતના મુઘલ બાદશાહ બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવ જાવ લાગી રહેતી હતી, જેમણે ભારતના ઇતિહાસને રચ્યો.
આ મૂલતઃ એક ઈંટોંનો કિલ્લો હતો, જે ચૌહાણ વંશના રાજપૂતો પાસે હતો. આનું પ્રથમ વિવરણ ઈ.સ. ૧૦૮૦ મા થયૂ હતું, જ્યારે મહમૂદ ગજનવીની સેનાએ આની પર કબ્જો કર્યો હતો. સિકંદર લોધી (૧૪૮૭-૧૫૧૭), દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલ્તાન હતો, જેણે આગ્રાની યાત્રા કરી , અને આ કિલ્લા માં રહ્યો હતો. તેણે દેશ પર અહીં થી શાસન કર્યું, અને આગ્રા ને દેશની દ્વિતીય રાજધાની બનાવી. તેની મૃત્યુ પણ , આ જ કિલ્લામાં [૧૫૭૧]] માં થઈ હતી, જેના પછી, તેના પુત્ર ઇબ્રાહિમ લોધી એ ગાદી ૯ વર્ષ સુધી સંભાળી જ્યારે તે પાણીપતના પ્રથમ યુદ્ધ (૧૫૨૬)માં મરણ પામ્યો. તેણે પોતાના કાળમાં, અહીં ઘણાં સ્થાન, મસ્જિદો અને કુવા બનાવડાવ્યાં. પાણીપત પછી, મોગલોએ આ કિલ્લા પર પણ કબ્જો કરી લીધો, સાથે જ આની અગાધ સમ્પત્તિ પર પણ . આ સમ્પત્તિમાં જ એક હીરો પણ હતો, જે કે પાછળથી કોહિનૂર હીરાના નામથી પ્રસિદ્ધ થયો. ત્યારે આ કિલ્લામાં ઇબ્રાહિમના સ્થાન પર બાબર આવ્યો. તેણે અહીં એક વાવડી બનાવડાવી. સન ૧૫૩૦ માં, અહીં હુમાયું નો રાજ્યભિષેક પણ થયો. હુમાયું આ જ વર્ષે બિલગ્રામમાં શેરશાહ સૂરીથી હારી ગયો, અને કિલ્લા પર તેનો કબ્જો થઈ ગયો. આ કિલ્લા પર અફગાનોનો કબ્જો પાંચ વર્ષોં સુધી રહ્યો, જેમને અન્તતઃ મોગલોંએ ૧૫૫૬ માં પાણીપતના દ્વિતીય યુદ્ધમાં હરાવી દીધા. આની કેન્દ્રીય સ્થિતિ ને જોતાં , અકબરે આને પોતાની રાજધાની બનાવવાનો નિશ્ચિય કર્યો, અને સન ૧૫૫૮માં અહીં આવ્યો. તેના ઇતિહાસકાર અબુલ ફજલે લખું છે, કે આ કિલ્લો એક ઈંટોંનો કિલ્લો હતો, જેનું નામ પછીલગઢ઼ હતું. આ ત્યારે ખસ્તા(ખરાબ) હાલત માં હતો, અને અકબરે આને બીજીવાર બનાવવો પડ્યો, જોકે તેણે લાલ બલુઆ પત્થરથી નિર્માણ કરાવ્યું. આનો પાયો મોટા વાસ્તુકારોંએ રાખી. આને અંદરથી ઈંટોંથી બનાવડાવ્યો અને બાહરી આવરણ હેતુ લાલ બલુઆ પત્થર લગાડવામાં આવ્યા. આના નિર્માણમાં ૧૪ૢ૪૪ૢ૦૦૦ લાખ ચવાલીસ હજાર કારીગર અને મજદૂરોએ આઠ વર્ષોં સુધી મેહનત કરી , ત્યારે સન ૧૫૭૩ માં આ બનીને તૈયાર થયો. અકબરના પૌત્ર શાહજહાંએ આ સ્થળને વર્તમાન રૂપમાં પહોંચાડ્યો. આ પણ મિથક છે,કે શાહજહાંએ જ્યારે પોતાની પ્રિય પત્નીના માટે તાજમહલ બનાવડાવ્યો, તે પ્રયાસ કરતો હતો,કે આ ઇમારતેં શ્વેત આરસની બને, જેમાં સોનાના અને મોતીના રત્ન જડ઼ેલા હોય. તેણે કિલ્લાના નિર્માણના સમયે, ઘણી પુરાણી ઇમારતો અને ભવનોને તોડાવી પણ દીધાં, જેથી કે કિલ્લામાં તેની બનાવડાવેલી ઇમારનતો હોય. પોતાના જીવનના અંતિમ દિવસોમાં , શાહજહાંને તેના પુત્ર ઔરંગજ઼ેબે આ જ કિલ્લામાં બંદી બનાવી દીધો હતો, એક એવી સજા, જે કિલ્લાના મહલોંની વિલાસિતાને જોતા, એટલી કડ઼ી ન હતી. એમ પણ કહેવામાં આવે છે,કે શાહજહાંની મૃત્યુ કિલ્લાના મુસમ્મન બુર્જ માં, તાજમહલ ને જોતા જોતા થઈ હતી. આ બુર્જના સંગમર્મરના ઝરોખાથી તાજમહલનો ખૂબ જ સુંદર દૃશ્ય દેખાય છે. આ કિલ્લો ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સમયે યુદ્ધ સ્થળ પણ બન્યો. જેના પછી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની નું રાજ્ય સમાપ્ત થયું, અને લગભગ એક શતાબ્દી સુધી બ્રિટેનના સીધું શાસન ચાલ્યું. જેના પછી સીધી સ્વતંત્રતા જ મળી.
આગ્રાના કિલ્લાને વર્ષ ૨00૪ માટે આગ઼ાખાં વાસ્તુ પુરસ્કાર આપવામાં આવ્યું હતું, અને ભારતીય ડાક વિભાગ એ ૨૮ નવેંબર,૨00૪ ના દિવસે આ મહાન ક્ષણની સ્મૃતિમાં, એક ડાકટિકીટ પણ કાઢી હતી. આ કિલ્લાનો એક અર્ધ-વૃત્તાકાર નક્શો છે, જિસકી સીધી તરફ યમુના નદીના સમાંતર છે. આની ચહારદીવારી સત્તર ફીટ ઊંચી છે. આમા બમણાં પરકોટ છે, જેની વચ્ચે ભારી બુર્જ બરાબર અંતરાલ પર છે, જેની સાથે સાથે જ તોપોના ઝરોખા, અને રક્ષા ચૌકીઓ પણ બની છે. આની ચાર ખૂણે ચાર દ્વાર છે, જેમાંથી એક ખિજડ઼ી દ્વાર, નદીની તરફ ખુલે છે. આના બે દ્વારો ને દિલ્લી ગેટ તથા લાહૌર ગેટ કહે છે (લાહૌર ગેટને અમરસિંહ દ્વાર પણ કહેવામાં આવે છે).
શહરની તરફનો દિલ્લી દ્વાર, ચારેમાં ભવ્યતમ છે. આની અંદર એક વધુ દ્વાર છે, જેને હાથી પોળ કહે છે, જેની બનેં તરફ, બે વાસ્તવાકાર પાષાણ હાથીની મૂર્તિઓ છે, જેની પર સ્વાર રક્ષક પણ ઊભા છે. એક દ્વારથી ખુલવા વાળો પુલ, જે ખાઈ પર બન્યો છે, અને એક ચોર દરવાજો, આને અજેય બનાવે છે. સ્મારક સ્વરૂપ દિલ્લી ગેટ, સમ્રાટનો ઔપચારિક દ્વાર હતો, જેમાંથી ભારતીય સેના દ્વારા (પૈરાશૂટ બ્રિગેડ) કિલ્લાના ઉત્તરી ભાગને છાવણીના રૂપમાં પ્રયોગ થાય છે. અતઃ દિલ્લી દ્વાર જન સાધારણ હેતુ ખુલ્લો નથી. પર્યટક લાહૌર દ્વારથી પ્રવેશ કરી શકે છે, જેનું લાહૌરની તરફ (હવે પાકિસ્તાનમાં) મુખ હોવાના કારણે આવું નામ આપવામાં આવ્યું છે. સ્થાપત્ય ઇતિહાસની દૃષ્ટિથી, આ સ્થળ અતિ મહત્વપૂર્ણ છે. અબુલ ફજ઼લ લખે છે,કે અહીં લગભગ પાઁચ સૌ સુંદર ઇમારતો, બંગાલી અને ગુજરાતી શૈલીમાં બનેલી હતી. ઘણીઓને શ્વેત આરસ પ્રાસાદ બનવાને માટે ધ્વસ્ત કરવામાં આવી. અધિકાંશને બ્રિટીશે ૧૮0૩ થી ૧૮૬૨ના વચ્ચે, બૈરેક બનવા માટે તોડાવી દીધી. વર્તમાનમાં દક્ષિણ-પૂર્વી તરફ, મુશ્કિલ થી તીસ ઇમારતો શેષ છે. આમાંથી દિલ્લી ગેટ, અકબર ગેટ અને એક મહલ-બંગાલી મહલ – અકબરની પ્રતિનિધિ ઇમારતેં છે. અકબર ગેટ અકબર દરવાજ઼ા ને જ્યાંગીરે નામ બદલી કરી અમરસિંહ દ્વાર કરી કીધો હતો. આ દ્વાર, દિલ્લી-દ્વાર થી મેળ ખાતો થયો છે. બનેં લાલ બલુઆ પત્થરના બનેલા છે. બંગાળી મહેલ પણ લાલ બલુઆ પત્થરનો બનેલ છે, અને હવે બે ભાગો -- અકબરી મહલ અને જકાંગીરી મહેલમાં વેંચાઈ ગયો છે. અહીં ઘણાં હિંદુ અને [[ઇસ્લામી સ્થાપત્યકલા]ના મિશ્રણ જોવા મળે છે. બલ્કિ ઘણાં ઇસ્લામી અલંકરણોમાં તો ઇસ્લામમાં હરામ (વર્જિત) નમૂના પણ મિલતે છે, જેમ—અજદહે, હાથી અને પક્ષી, જ્યાં સામાન્ય રીતે ઇસ્લામી અલંકરણોમાં ભૌમિતિક નમૂના, લખાવટો, ધર્મિક પદો (આયત) આદિ જ ફલકોની સજાવટમાં દેખાય છે.
•આગ્રાના કિલ્લાને, આનાથી અપેક્ષા કૃત ખૂબ જ નાના દિલ્લીના લાલ કિલ્લા સાથે ભ્રમિત ન કરવું જોઈએ. મોગલોએ દિલ્લીના લાલ કિલ્લાને ક્યારેય કિલ્લો નહીં કહેવાય, પરંતુ લાલ હવેલી કહેવાઈ છે. ભારતના પ્રધાન મંત્રી અહીંની પ્રાચીરથી ૧૫ ઑગસ્ટ ના દિવસે, સ્વતંત્રતા દિવસના અવસર પર, પ્રતિ વર્ષે, દેશની જનતાને સમ્બોધિત કરે છે. •સર અર્થર કૉનન ડાયલ, પ્રસિદ્ધ અંગ્રેજ઼ી ઉપન્યાસ લેખકના શેર્લૉક હોમ્સ રહસ્ય ઉપન્યાસ ધ સાઇન ઑફ ફોર માં, આગ્રાના કિલ્લાનું મુખ્ય દ્રશ્ય છે. પ્રસિદ્ધ ઈજીપ્ત પૉપ ગાયક હીશમ અબ્બાસના અલબમ હબીબી ધ માં આગ્રા નો કિલ્લો દેખાડવામાં આવ્યું છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article આગ્રાનો કિલ્લો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.