અમૃતા પ્રીતમ: પંજાબી સાહિત્યકાર

અમૃતા પ્રીતમ (૩૧ ઓગસ્ટ ૧૯૧૯ – ૩૧ ઓક્ટોબર ૨૦૦૫) (Punjabi: ਅਮ੍ਰਿਤਾ ਪ੍ਰੀਤਮ,amritā prītam ,હિંદી: अमृता प्रीतम,amr̥tā prītam ), ભારતીય લેખિકા અને કવયિત્રી હતા જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે અને પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે.

તેમને ભારત-પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમાન પ્રમાણમાં પ્રેમ મળ્યો હતો, તેમણે છ દાયકાથી વધુ લાંબી કારકીર્દિમાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવનચરિત્રો, નિબંધો, પંજાબી લોકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના ૧૦૦થી વધુ પુસ્તકો તૈયાર કર્યા હતા જેનું કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયું હતું.

અમૃતા પ્રીતમ
અમૃતા પ્રીતમ: જીવનકથા, સન્માન, અંગત જીવન
જન્મઅમૃતા કૌર
(1919-08-31)August 31, 1919
ગુજરાનવાલા, બ્રિટિશ ભારત
મૃત્યુOctober 31, 2005(2005-10-31) (ઉંમર 86)
દિલ્હી, ભારત
વ્યવસાયનવલકથાકાર, કવિયત્રી, નિબંધકાર
રાષ્ટ્રીયતાભારત
સમયગાળો1936-2004
લેખન પ્રકારકવિતા, ગદ્ય, જીવનકથા
વિષયભારતના ભાગલા, મહિલાઓ, સ્વપ્ન
સાહિત્યિક ચળવળરોમૅન્ટિક પ્રોગ્રેસિવિઝમ
નોંધપાત્ર સર્જનોપિંજર (નવલકથા)
અજ્જ અક્ખાં વારિસ શાહ નું (કવિતા)
સુનેરે (કવિતા)

તેમને પોતાની ઘણી માર્મિક કવિતા આજ અખાં વારિસ શાહ નુ (આજે હું વારિસ શાહને કહું છું) માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે – ૧૮મી સદીના કવિ વારિસની યાદમાં લખેયાલા શોકગીત "વારિસ શાહને ઊર્મિકાવ્ય"માં ભારતના ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે તેણીએ પોતાના સંતાપની અભિવ્યક્તિને રજૂ કરી હતી.

નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ પીંજર (કંકાલ) (૧૯૫૦) છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર પુરો રચ્યુ હતુ, જે મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વના ભાગ્ય સામે ઘુંટણિયા ટેકવી દેવાની વાત છે; આ નવલકથા પરથી 2003માં પીંજર નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી.

1947માં જ્યારે ભૂતપૂર્વ બ્રિટિશ ભારતના ભારત અને પાકિસ્તાન નામના બે સ્વતંત્ર દેશોમાં ભાગલા પડ્યાં ત્યારે, તેમણે લાહોરથી ભારતમાં હિજરત કરી હતી, છતા તેઓ આજીવન પાકિસ્તાનમાં પણ તેમની સમકાલિન હસ્તીઓ જેમકે મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલા જ લોકપ્રિય રહ્યા હતા.

પંજાબી સાહિત્યમાં મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખતા અમૃતા પ્રીતમ 1956માં, પ્રસિદ્ધ રચના, સુનેહે (સંદેશા) કે જે એક લાંબી કવિતા છે તેના માટે સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા, બાદમાં તેમને 1982માં કાગઝ તે કેનવાસ (કાગળ અને કેનવાસ) માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર છે. 1969માં તેમને પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો, અંતે વર્ષ 2004માં ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું અને એ જ વર્ષે તેમને સાહિત્ય એકાદમી (ભારતીય પત્રોની એકાદમી) દ્વારા ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન સાહિત્ય એકાદમી ફેલોશિપ અપાયું હતું જે “સાહિત્યના ચિરંજીવો” ને આજીવન સિદ્ધિ માટે અપાય છે.

જીવનકથા

પ્રારંભિક વર્ષો

અમૃતા પ્રીતમનો જન્મ પંજાબના ગુજરાનવાલામાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે, તેઓ શાળાના શિક્ષક, કવિ તેમજ વ્રજ ભાષાના વિદ્વાન કરતારસિંહ હિતકારી કે જેઓ સાહિત્ય સામયિકનું પણ સંપાદન કરતા હતા તેમના એક માત્ર સંતાન હતા. આ ઉપરાંત તેઓ શીખ આસ્થાના પ્રચારક પણ હતા. અમૃતા અગિયાર વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. ટૂંક જ સમયમાં, તેઓ તેમના પિતા સાથે લાહોર જતા રહ્યા હતા, જ્યાં તેઓ 1947માં ભારતમાં હિજરત કરી ત્યાં સુધી રહ્યા હતા. પુખ્તવયની જવાબદારીઓ સામે હોવા સાથે માતાના અવસાન બાદ એકલતાના કારણે તેમણે નાની વયે લેખન શરૂ કર્યું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અમૃત લહેરે (અમર મોજાઓ) 1936માં પ્રકાશિત થયો હતો, ત્યારે તેઓ સોળ વર્ષના હતા અને તે વર્ષે જ તેમણે પ્રીતમસિંહ સાથે લગ્ન કર્યા હતા, જેઓ સંપાદક હતા અને તેમની સાથે બાળપણમાં તેમનું સગપણ થયું હતું, બાદમાં તેમણે પોતાનું નામ બદલીને અમૃતા પ્રીતમ કર્યું હતું. 1936 અને 1943ના વર્ષો દરમિયાન તેમણે અડધો ડઝન જેટલી કવિતાઓના સંગ્રહો લખ્યા. તેમણે વીરશૃંગારરસના કવયિત્રી તરીકેની સફર શરૂ કરવા છતા, ટૂંક સમયમાં તેમણે ચક્રો બદલ્યા, અને પ્રગતિશીલ લેખકોની ચળવળનો હિસ્સો બન્યા અને તેની અસર તેમના સંગ્રહ, લોક પીડ (લોકોની વેદના) (1944)માં જોવા મળી હતી, જેમાં 1943માં બંગાળના દુકાળ બાદના યુદ્ધગ્રસ્ત અર્થતંત્રની ખુલ્લેઆમ આલોચના કરવામાં આવી હતી. ભારતના ભાગલા પહેલા તેમણે લાહોર રેડિયો સ્ટેશન માટે પણ કામ કર્યું હતું.

ભાગલા

કોમી હિંસામાં અંદાજે એક મિલિયન મુસ્લિમો, હિન્દુઓ અને શીખોનું મૃત્યુ થયા બાદ 1947માં ભારતના ભાગલા થયા હતા, અને અમૃતા પ્રીતમ જ્યારે લાહોર છોડીને નવી દિલ્હીમાં ગયા ત્યારે તેઓ 28 વર્ષની વયે પંજાબી આશ્રિત બની ગયા હતા. ત્યારપછી, 1948માં, તેમના પુત્ર સાથે ગર્ભવતી થયા હતા અને દહેરાદૂનથી દિલ્હી મુસાફરી કરી હતી, તેમણે કાગળના ટુકડા પર કવિતા, “આજ અખાં વારિસ શાહ નુ” (હું આજે વારિસ શાહને કહું છું) સ્વરૂપે પોતાની પીડાને અભિવ્યક્ત કરી હતી; બાદમાં આ કવિતાએ તેમને અમર બનાવી દીધા અને ભાગલાના સૌથી મર્મભેદક સ્મૃતિકાર બની ગયા હતા. સૂફી કવિ વારિસ શાહ કે જેમણે હીર અને રાંજાની કરુણ ગાથા લખી હતી અને તેમના જન્મ સ્થળે જ અમૃતા પ્રીતમનો જન્મ થયો હતો તેમને ઉદ્દેશીને લખેલી કવિતા, પંજાબી રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છેઃ

ਅੱਜ ਆਖਾਂ ਵਾਰਸ ਸ਼ਾਹ ਨੂੰ ਕਿਤੋਂ ਕਬਰਾਂ ਵਿਚੋਂ ਬੋਲ।
ਤੇ ਅੱਜ ਕਿਤਾਬੇ ਇਸ਼ਕ ਦਾ ਕੋਈ ਅਗਲਾ ਵਰਕਾ ਫੋਲ।
ਇਕ ਰੋਈ ਸੀ ਧੀ ਪੰਜਾਬ ਦੀ ਤੂ ਲਿਖ ਲਿਖ ਮਾਰੇ ਵੈਣ
ਅਜ ਲੱਖਾਂ ਧੀਆਂ ਰੌਂਦੀਆਂ ਤੈਨੂ ਵਾਰਸਸ਼ਾਹ ਨੂੰ ਕਹਿਣ:
ਵੇ ਦਰਦਮੰਦਾਂ ਦਿਆ ਦਰਦੀਆ ਉੱਠ ਤੱਕ ਆਪਣਾ ਪੰਜਾਬ।
ਅਜ ਬੇਲੇ ਲਾਸ਼ਾਂ ਵਿਛੀਆਂ ਤੇ ਲਹੂ ਦੀ ਭਰੀ ਚਨਾਬ

આજ અખાં વારિસ શાહ નું, કિત્તો કબરા વિચ્ચો બોલ,
તે આજ કિતાબ-એ-ઈશ્ક દા કોઈ અગલા વરકા ફોલ
ઈક રોઝ સી ધી પંજાબ દી, તુન લીખ લીખ મારે વાં
આજ લખ્ખા ધીઆં રોન્દિઆ, તેનું વારિસ શાહ નું કહેં
ઉઠ દર્દમાન્દન દિઆ દર્દીઆ, ઉઠ તક્ક અપના પંજાબ
આજ બેલે લાશાં બિછિઆં તે લહૂ દી બહરી ચિનાબ

આજે, હું વારિસ શાહને કહુ છું, “તારી કબરમાંથી કંઈક બોલ”
અને આજે, પ્રેમની કિતાબમાં નવું લાગણીનું પાનું તો ખોલ
એકવાર, પંજાબની દીકરીની આંખમાંથી આંસુ સર્યું ને તે કરુણ ગાથા લખી
આજે, લાખો દીકરીઓ રુદન કરી કહે તેને
જાગો! ઓ વ્યથાનું વર્ણન કરનારા જાગો! ને જો તારા પંજાબને
આજે મેદાનો લાશોથી ઉભરાય છે, ને ચિનાબ લોહીથી વહી રહી છે

અમૃતા પ્રીતમે દિલ્હીમાં 1961 સુધી ઓલ ઈન્ડિયા રેડિયોની પંજાબી સેવામાં કામ કર્યું હતું. 1960માં તેમના છુટાછેડા થયા બાદ, તેમનું કામ વધુ સ્પષ્ટ નારીવાદી બન્યું હતું. તેમની સંખ્યાબંધ વાર્તાઓ અને કવિતાઓ લગ્નના દુઃખદ અનુભવ પર આધારિત હતી. પંજાબી અને ઉર્દૂ ભાષાની તેમની સંખ્યાબંધ રચનાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, ડેનિશ, જાપાનિઝ અને અન્ય ભાષામાં અનુવાદિત થઈ હતી, જેમાં તેમની આત્મકથારચનાઓ બ્લેક રોઝ અને રેવન્યૂ સ્ટેમ્પ (પંજાબીમાં રસીદી ટિકિટ )નો સમાવેશ થાય છે.

અમૃતા પ્રીતમના પુસ્તક પરથી સૌપ્રથમ ફિલ્મ ‘કદંબર’ (1965)માં બની હતી જે તેમના પુસ્તક ધરતી સાગર તે સીપિયાં પરથી બની હતી, બાદમાં ‘ઉનાહ દી કહાની’ પરથી ડાકુ (ધાડપાડુ 1976) બની હતી, જેનું નિર્દેશન બાસુ ભટ્ટાચાર્યએ કર્યું હતું. તેમની નવલકથા પીંજર (કંકાલ, 1970) પરથી ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેમના માનવતાવાદના કારણે પુરસ્કાર વિજેતા હિન્દી ફિલ્મ બનાવી હતીઃ “અમૃતાજીએ બંને દેશોના લોકોની વ્યથાને આલેખી હતી.” પીંજર નું શુટિંગ રાજસ્થાન અને પંજાબના સરહદી પ્રાંતમાં થયું હતું.

તેમણે કેટલાક વર્ષો સુધી પંજાબમાં માસિક સાહિત્ય સામયિક “નાગમણી”નું સંપાદન કર્યું હતું, જે તેમણે ઈમરોઝ સાથે 33 વર્ષ સુધી ચલાવ્યું હતું; છતાં ભાગલા બાદ તેમણે વિપુલ પ્રમાણમાં હિન્દીમાં સારી રીતે લખ્યું હતું. તેણીના પાછલા સમયના જીવનમાં, તેઓ ઓશો તરફ વળ્યા હતા અને ઓશોના કેટલાક પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખી હતી જેમાં એક ઓમકાર સતનામ નો પણ સમાવેશ થાય છે, અને તેમણે આધ્યાત્મિક વિષયો અને સપના પર લખવાનું શરૂ કર્યું હતું, તેમજ કાલ ચેતના (સમયની ચેતના), અને અજ્ઞાત કા નિમંત્રણ (અજ્ઞાતનું નિમંત્રણ) જેવા પુસ્તકો તૈયાર કર્યા હતા. તેમણે કાલા ગુલાબ (કાળુ ગુલાબ) (1968), રસીદી ટિકિટ (રેવન્યૂ સ્ટેમ્પ) (1976), અને અક્ષરો કે સાયે (અક્ષરોના પડછાયા) શીર્ષકથી જીવનચરિત્રો પણ પ્રકાશિત કર્યા હતા.

સન્માન

અમૃતા પંજાબ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ છે જે પુરસ્કાર તેમને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના હસ્તે અપાયો હતો. તેઓ સાહિત્ય એકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા છે, આ પુરસ્કાર તેમને 1956માં સુનેહરે (સંદેશા ) માટે મળ્યો હતો, અમૃતા પ્રીતમને 1982માં તેમની રચના કાગજ તે કેનવાસ (કાગળ અને કેનવાસ) માટે ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. તેમને પદ્મ શ્રી (1969) અને વર્ષ 2004માં ભારતનું બીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ તેમજ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકદામી ફેલોશિપ અપાયા હતા. તેમને ઘણી યુનિવર્સિટી દ્વારા ડી.લીટ.ની માનદ પદવી આપવામાં આવી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટી (1973), જબલપુર યુનિવર્સિટી (1973) અને વિશ્વ ભારતી (1987)નો પણ સમાવેશ થાય છે.

તેમને બલ્ગેરિયાના ગણતંત્ર દ્વારા 1979માં આંતરરાષ્ટ્રીય વેપ્તસારોવ પુરસ્કાર અને ફ્રાન્સ સરકાર દ્વારા 1987માં ઓફિસર ડેન્સની પદવી, ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ (અધિકારી) આપવામાં આવી હતી. તેમને 1986-92 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. જીવનના અંતિમ દિવસોમાં તેમને પાકિસ્તાનની પંજાબી એકાદમી દ્વારા પુરસ્કાર અપાયો હતો, જેના માટે તેમણે કહ્યું હતું કે, બડે દિનો બાદ મેરે મૈકે કો મેરી યાદ આયી... ; અને પાકિસ્તાનના પંજાબી કવિઓએ તેમને વારિસ શાહ તેમજ અનુયાયી સૂફી આધ્યાત્મિક કવિ બુલ્લે શાહ અને સુલતાન બહુની કબર પરની ચાદર મોકલી હતી.

અંગત જીવન

1935માં, અમૃતાએ પ્રીતમસિંહ સાથે લગ્ન કર્યા હતા, જે લાહોરના અનારકલી બજારમાં અગ્રણી હોઝિયરી વેપારીના પુત્ર હતા. 1960માં, અમૃતા પ્રીતમે કવિ સાહીર લુધિયાણવી (અબ્દુલ હાયી) માટે તેમના પતિને છોડ્યા હતા. તેમની પ્રેમકહાની તેમના જીવનચરિત્ર, રસીદી ટિકિટ માં લખવામાં આવી છે. જ્યારે સાહીરના જીવનમાં અન્ય મહિલાનો પ્રેમ આવ્યો તો, અમૃતાને ખ્યાતનામ કલાકાર અને લેખક ઈમરોઝમાં વધુ સારો દિલાસો અને સંગાથ દેખાયા હતા. તેમણે જીવનના અંતિમ ચાલીસ વર્ષ ઈમરોઝ સાથે વિતાવ્યા હતા, જેમણે તેમના મોટાભાગના પુસ્તકોના મુખપૃષ્ઠ બનાવ્યા હતા. તેમનો આ સંગાથ પણ એક પુસ્તક, અમૃતા ઈમરોઝઃ અ લવસ્ટોરી નો વિષય બની ગયો હતો.

31 ઓક્ટોબર 2005ના રોજ નવી દિલ્હીમાં લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું. તેઓ જીવનસાથી ઈમરોઝ, પુત્રી કંદલ્લા, પુત્ર નવરાજ, પુત્રવધુ અલ્કા અને પૌત્ર-પૌત્રીઓ તૌરસ, નૂર, અમન અને શિલ્પીને છોડીને ચિરવિદાય થયા હતા.

રચનાઓ

છ દાયકાથી વધારે લાંબી કારકીર્દિમાં તેમણે 28 નવલકથાઓ, 18 ગદ્યસંગ્રહો, પાંચ ટૂંકી વાર્તાઓ અને 16 વિવિધ ગદ્ય આવૃત્તિઓ લખ્યા હતા.

  • ડોક્ટર દેવ
  • કોરે કાગઝ, ઉન્ચાસ દિન
  • સાગર ઔર સિપિયાં
  • રંગ કા પત્તા
  • દિલ્લી કી ગલિયાં
  • તેરહવાં સૂરજ
  • યાત્રી
  • જીલાવતન (1968)

જીવનચરિત્ર

  • રસીદી ટિકિટ (1976)
  • શેડોઝ ઓફ વર્ડઝ (2004)

ટૂંકી વાર્તાઓ

  • કહાંનિયાં જો કહાંનિયાં નહીં
  • કહાંનિયો કે આંગન મે
  • સ્ટેન્ચ ઓફ કેરોસીન

કાવ્ય સંગ્રહો

  • અમૃત લહેરે (અમર મોજાઓ)(1936)
  • જીયુન્દા જીવન (ઉલ્લાસપૂર્ણ જીવન) (1939)
  • ત્રેલ ધોતે ફૂલ (1942)
  • ઓ ગીતાં વાલિઆ (1942)
  • બાદલામ દે લાલી (1943)
  • સાંજ દે લાલી (1943)
  • લોક પીરા (લોકોની પીડા) (1944)
  • પથ્થર ગીતે (ગોળ નાના પથ્થરો) (1946)
  • પંજાબી દી આવાઝ (1952)
  • સુનેહરે (સંદેશા) (1955) - સાથિયા એકાદમી પુરસ્કાર
  • અશોકા ચેટી (1957)
  • કસ્તૂરી (1957)
  • નાગમણી (1964)
  • ઈક સી અનિતા (1964)
  • ચક નંબર ચટ્ટી (1964)
  • ઉનિન્જા દિન (49 દિવસો) (1979)
  • કાગઝ કે કેનવાસ (1981)- ભારતીય જ્ઞાનપીઠ
  • ચૂની હુઈ કવિતાયેં

સાહિત્યિક સામયિક

  • નાગમણી , માસિક કવિતા.

અવતરણો

સીગારેટ અને કવિતા

એક દર્દ છે
મેં તેને સહન કર્યું છે
શાંતિપૂર્વક
સીગારેટની જેમ
કેટલાક ગીતો પાછળ છુટ્યા છે
હું ઝગમગ્યો છું
રાખની જેમ
સીગારેટમાંથી.


હું તને ફરી મળીશ (મૈં તેનુ ફીર મિલાંગી )

હું તને હજી ફરી મળીશ
ક્યાં અને કેવી રીતે
મને ખબર નથી
કદાચ હું
તારી કલ્પનાનો વિચાર બનીશ
અને કદાચ મારી જાતને
તારા કેનવાસ પર
એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ
હું સતત તારી સામે તાકી રહીશ.

વારસો

વર્ષ 2007માં, 'અમૃતા રિસાઈટેડ બાય ગુલઝાર' નામથી ખ્યાતનામ ગીતકાર ગુલઝાર દ્વારા આલ્બમ રિલિઝ કરાયો હતો, જેમાં ગુલઝારે ગાયેલી અમૃતા પ્રીતમની કવિતાઓ સમાવાઈ હતી, તેમના પર આધારિત એક ફિલ્મ રજૂ થશે.

પૂરક વાચન

સંદર્ભો

બાહ્ય કડીઓ

    વીડિયો

Tags:

અમૃતા પ્રીતમ જીવનકથાઅમૃતા પ્રીતમ સન્માનઅમૃતા પ્રીતમ અંગત જીવનઅમૃતા પ્રીતમ રચનાઓઅમૃતા પ્રીતમ વારસોઅમૃતા પ્રીતમ પૂરક વાચનઅમૃતા પ્રીતમ સંદર્ભોઅમૃતા પ્રીતમ બાહ્ય કડીઓઅમૃતા પ્રીતમપંજાબી ભાષાભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માધવરાયનો મેળો (માધવપુર ઘેડ)હનુમાન ચાલીસાગુજરાત વિદ્યા સભાલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ભદ્રનો કિલ્લોભારતીય જનતા પાર્ટીવીર્ય સ્ખલનપોરબંદરચૈત્ર સુદ ૧૫રાવજી પટેલવન લલેડુમાઉન્ટ આબુગિરનારભારતીય સંસદક્ષય રોગમદનલાલ ધિંગરાઉંઝામિથુન રાશીસાંચીનો સ્તૂપઅખા ભગતધ્વનિ પ્રદૂષણમહેન્દ્ર સિંઘ ધોનીથરાદઅમદાવાદ બીઆરટીએસઅભિમન્યુશક સંવતભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવસ્તીરાજીવ ગાંધીશિવાજીપ્રજાપતિગુજરાતની નદીઓની યાદીપ્રિયંકા ચોપરાખરીફ પાકતાજ મહેલઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારએકાદશી વ્રતભારતની નદીઓની યાદીસ્વપ્નવાસવદત્તાહોમિયોપેથીહનુમાન મંદિર, સાળંગપુરઆત્મહત્યાએ (A)સોનુંફણસખંભાતનો અખાતરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાલક્ષ્મી વિલાસ મહેલસુભાષચંદ્ર બોઝતાપમાનભગત સિંહભારતના ભાગલાભારતના રાષ્ટ્રપતિપાવાગઢનવસારીબારડોલી સત્યાગ્રહસુરેન્દ્રનગર જિલ્લોદ્વારકારાજધાનીસાબરકાંઠા જિલ્લોનાથ સંપ્રદાયહનુમાનસુંદરમ્રૂપિયોકનૈયાલાલ મુનશીઆંધ્ર પ્રદેશભારતીય અર્થતંત્રમોરબી રજવાડુંગુજરાત સાહિત્ય સભામુસલમાનઇઝરાયલઆમ આદમી પાર્ટીઅસોસિએશન ફુટબોલભારતના નાણાં પ્રધાનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમલેરિયાખેડા સત્યાગ્રહહડકવા🡆 More