અતિસાર કે ડાયરિયા (અંગ્રેજી: Diarrhea)માં યા તો વારંવાર મળ ત્યાગ કરવો પડે છે અથવા મળ બહુ પાતળા હોય છે અથવા બન્ને સ્થિતિઓ હોઈ શકે છે.
પાતળા દસ્ત, જેમાં જળનો ભાગ અધિક હોય છે, થોડા-થોડા સમય ના અંતરે આવતા રહે છે.
અતિસાર | |
---|---|
ખાસિયત | Infectious diseases, gastroenterology |
અતિસારનું મુખ્ય લક્ષણ, અને ક્યારેક-ક્યારેક એકલા લક્ષણ, વિકૃત દસ્તોનું વારં-વાર આવવું હોય છે. તીવ્ર દશાઓમાં ઉદર ના સમસ્ત નીચલા ભાગમાં પીડા તથા બેચેની પ્રતીત થાય છે અથવા મળત્યાગ ના અમુક સમય પૂર્વ માલૂમ પડે છે. ધીમા અતિસારના બહુ સમય સુધી રહેતા, કે ઉગ્ર દશામાં થોડા જ સમયમાં, રોગીનું શરીર કૃશ થઈ જાય છે અને જળ હ્રાસ (ડિહાઇડ્રેશન) ની ભયંકર દશા ઉત્પન્ન થઈ શકે છે. ખનિજ લવણોનાં તીવ્ર હ્રાસથી રક્તપૂરિતા તથા મૂર્છા (કૉમા) ઉત્પન્ન થઈ મૃત્યુ સુદ્ધા થઈ શકે છે.
આ આંતરડામાં અધિક દ્રવ જમા થતા, આંતરડા દ્વારા તરલ પદાર્થ ને ઓછી માત્રામાં અવશોષિત કરવાથી કે આંતરડામાં મળ ના ઝડપથી પસાર થવાથી થાય છે.
ડાયરિયા ની બે સ્થિતિઓ હોય છે:
એક, જેમાં દિવસમાં પાંચ વાર થી અધિક મળ ત્યાગ કરવો પડે છે કે પતલું મળ આવે છે. આને ડાયરિયાની ગંભીર સ્થિતિ કહી શકાય છે. આનુપાતિક ડાયરિયામાં વ્યક્તિ સામાન્યતઃ જેટલી વાર મળ ત્યાગે છે તેનાથી અમુક વધુ વાર અને થોડું પતલું મળ ત્યાગે છે.
ઉગ્ર અતિસાર - ઉગ્ર (ઐક્યૂટ) અતિસારનું કારણ પ્રાયઃ આહારજન્ય વિષ, વિશેષ ખાદ્ય પદાર્થ પ્રતિ અસહિષ્ણુતા (એલર્જી) કે સંક્રમણ હોય છે. અમુક વિષ થી પણ, જેમકે સંખિયા કે પારદ ના લવણ થી, દસ્ત થવા લાગે છે.
જીર્ણ અતિસાર - જીર્ણ (ક્રૉનિક) અતિસાર ઘણા કારણોં થી થઈ શકે છે. આમાશય અથવા અગ્ન્યાશય ગ્રંથિ ના વિકાસ થી પાચન વિકૃત થઈ અતિસાર ઉત્પન્ન કરી શકે છે. આંત્ર ના રચનાત્મક રોગ, જેવાકે અર્બુદ, સંકિરણ (સ્ટ્રિક્ચર) આદિ, અતિસાર ના કારણ હોઈ સકતે છે. જીવાણુઓં દ્વારા સંક્રમણ તથા જૈવવિષોં (ટૌક્સિન) દ્વારા પણ અતિસાર ઉત્પન્ન થઈ જાય છે. આ જૈવવિષો ના ઉદાહરણ છે: રક્તવિષાક્તતા (સેપ્ટિસીમિયા) તથા રક્તપૂરિતા (યૂરીમિયા). ક્યારેક નિઃસ્રાવી (એંડોક્રાઇન) વિકાર પણ અતિસાર ના રૂપમાં પ્રકટ થાય છે, જેમકે ઐડીસન ના રોગ અને અત્યવટુકતા (હાઇપર થાઇરૉયડિજ્મ). ભય, ચિંતા તથા માનસિક વ્યથાઓ પણ આ દશા ને ઉત્પન્ન કરી શકે છે. ત્યારે આને માનસિક અતિસાર કહી શકાય છે.
સામાન્ય રીતે જ્યાં સુધી ઝાડા રહે ત્યાં સુધી દર્દીને ચપટી મીઠા અને મુઠી ખાંડવાળુ પાણી (ઓ.આર.એસ) ઝાડાના પ્રમાણ/તીવ્રતા અનુસાર આપવામાં આવે છે અને દહીં સાથે હળવું ભોજન જેમકે દહીં ભાત, દહીં, ખિચડી વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય દર્દીને તુરંત રાહત માટે દવાઓ આપવામાં આવે છે. સામાન્ય ઝાડા ફક્ત ઓ.આર.એસ.અને દહીં સાથે હળવા ભોજન તેમજ વધુ માત્રામાં પાણીથી જ મટી જતા હોય છે. અસામાન્ય સંજોગોમાં ગંભીર દર્દીને તુરંત સારવારમાં ગ્લુકોઝના બાટલા, ઇંજેક્શન વગેરે આપવામાં આવે છે. ડાયરિયા ઉગ્ર કે જીર્ણ (ક્રોનિક) હોઈ શકે છે અને પ્રત્યેક પ્રકારના ડાયરિયાના ભિન્ન-ભિન્ન કારણ અને ઇલાજ હોય છે. ડાયરિયાથી ઉત્પન્ન જટિલતાઓમાં નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન), ઇલેક્ટ્રોલાઇટ (ખનિજ) અસામાન્યતા અને મળદ્વારમાં જલન, શામિલ છે. નિર્જલીકરણ (ડી-હાઇડ્રેશન) ને પીવાવાળી રિહાઇડ્રેશન ઘોલ કી સહાયતાથી ઓછી કરી શકાય છે અને આવશ્યક હોય તો અંતઃશિરા દ્રવ્ય (ગ્લુકોઝ ચડાવવું) ની મદદ પણ લઈ શકે છે.
ચિકિત્સા માટે રોગી ના મળ ની પરીક્ષા કરી રોગ ના કારણોનો નિશ્ચય કરી લેવું આવશ્યક છે, કેમકે ચિકિત્સા તેના પર નિર્ભર છે. કારણ જાણી તેની અનુસાર વિશિષ્ટ ચિકિત્સા કરવાથી લાભ થઈ શકે છે. રોગી ને પૂર્ણ વિશ્રામ દેવો તથા ક્ષોભક આહાર બિલકુલ રોકી દેવું આવશ્યક છે. ઉપયુક્ત ચિકિત્સા માટે કોઈ વિશેષજ્ઞ ચિકિત્સકનો પરામર્શ ઉચિત છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article અતિસાર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.